જાહેરમાં માર મારવાના કેસમાં ખેડાના 4 પોલીસકર્મીને કોર્ટે આપી આ સજા

ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ગયા વર્ષની નવરાત્રિ દરમિયાન પથ્થરમારની ઘટનામાં ખેડા પોલીસે 10 જેટલા યુવાનોને થાંભલી સામે ઉભા રાખીને જાહેરમાં ફટકાર્યા હતા. ગુજરાત હાઇકોર્ટે 4 ઓકટોબરે આ કેસમાં પોલીસ સામેનો આરોપ નક્કી કર્યા હતા, હવે આ પોલીસ કર્મીને ગુજરાત હાઇકોર્ટે 14 દિવસની સજા ફટકારી છે.

 ખેડા જિલ્લાના માતરમાં આવેલા ઉંઢેલા ગામમાં ગયા વર્ષે નવરાત્રિના તહેવાર દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. એ વખતે પોલીસે દશેક જેટલા યુવાનોને જાહેરમાં ખેંચી લાવીને થાંભલા સાથે ઉભા રાખીને દંડા ફટકાર્યા હતા. આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. 4 ઓકટોબરે જ્યારે સુનાવણી થઇ ત્યારે 4 પોલીસને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. તે વખતે હાઇકોર્ટે પોલીસને તેમના બચાવમાં એફિડેવીટ દાખલ કરવાનું કહ્યુ હતું. પોલીસે સમાધાનની તૈયારી બતાવી હતી, પરંતુ ફરિયાદીઓ સમાધાન માટે તૈયાર થયા નહોતા. હવે હાઇકોર્ટે ખેડા પોલીસના 4 પોલીસ કર્મીઓને 14 દિવસની સાદી કેદની સજાનો ચુકાદો આપ્યો છે.

ખેડા જિલ્લાના માતરના ઉંઢેલા ગામમાં ગયા વર્ષે નવરાત્રિના તહેવારમાં આઠમના દિવસે ગરબા રમાઇ રહ્યા હતા ત્યારે 150 જેટલાં ટોળાંએ ગરબા પર પથ્થરમારો કર્યો હતો જેને કારણે ગામમાં તનાવ ઉભો થયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે 10 આરોપીઓને પકડી પાડ્યા હતા અને આ આરોપીઓને ગામમાં લાવીને થાંભલા સાથે બાંધીને પોલીસે તમામને મેથીપાક આપ્યો હતો. તે વખતે આરોપીઓની માફી માંગતી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

તે વખતે પોલીસે કહ્યુ હતું કે, ઉંઢેલા ગામમાં તુલજા માતાના મંદિર પાસે ગરબાનું આયોજન હતું અને આ ગરબામાં પથ્થરમારો થયો હતો, જેમાં એક હોમગાર્ડ અને 6થી 7 મહિલાઓને ઇજા થઇ હતી.

ગુજરાત હાઇકોર્ટે 4 ઓકટોબરે કરેલી સુનાવણીમાં કેસમાં ખેડા પોલીસના એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્‍મણસિંહ અને રાજુ રમેશભાઈ ડાભી સામે આરોપ નક્કી કર્યા હતા અને તેમને બચાવ માટે 11 ઓકટોબર સુધીમાં સોંગદનામું રજૂ કરવા માટે હાઇકોર્ટે કહ્યુ હતું. ન્યાયાધીશ એ.એસ સુપેહિયા અને એમ.આર મેંડગેની સંયુક્ત બેન્ચે પોલીસકર્મીઓ વિરુદ્ધ સત્તાવાર આરોપો નક્કી કર્યા હતા. 

પોલીસે પોતાના બચાવમાં કહ્યુ હતું કે, ડર અને હિંસા ફેલાવવા માટે ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવો જરૂરી હતો. આ કાર્યવાહી માત્ર શાંતિ, સુલેહ અને કાયદાની વ્યવસ્થા જળવાઇ રહે તેના માટે કરવામાં આવી હતી

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.