UPSC પરીક્ષામાં પાસ થયેલા ગુજરાતના 16 યુવાઓને સન્માનિત કરતા CM ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનારા ગુજરાતના 16 યુવાનોને ગાંધીનગરમાં સન્માનિત કર્યા હતા. રાજ્ય સરકારના સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ‘સ્પીપા’માં પૂર્વ પરીક્ષા તાલીમ મેળવી આ યુવાઓ UPSC ફાઇનલમાં સફળ થયા છે. આ તાલીમ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 260 યુવક-યુવતિઓએ UPSC પરીક્ષામાં સફળતા મેળવી સનદી અને કેન્‍દ્રિય સેવા ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરેલી છે. આ વર્ષે સ્પીપામાં પૂર્વ પરીક્ષા તાલીમ માટે આવેલા 30 માંથી 16 યુવાઓને UPSCમાં સફળતા પ્રાપ્ત થઈ છે.

 CM ભૂપેન્દ્ર પટેલે આ યુવાઓને મુખ્ય મંત્રી નિવાસ સ્થાને આમંત્રિત કરીને શિલ્ડ-પ્રશસ્તિપાત્ર અને પ્રોત્સાહક સહાય રાશિથી સન્માનિત કર્યા હતા. સ્પીપામાંથી પૂર્વ પરીક્ષા તાલીમ મેળવીને ફાઇનલમાં સફળ થનારા યુવકોને રૂ. 51 હજાર અને યુવતીઓને રૂ. 61 હજાર પ્રોત્સાહન પુરસ્કાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. CM ભૂપેન્દ્રપટેલે આ યુવાઓને પ્રેરણા આપતા કહ્યું કે, પદ, પૈસા કે પ્રતિષ્ઠા કરતા જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં અહેમિયત આપવાથી જ કાર્ય સંતોષ થાય છે. એટલું જ નહિં, કુદરતના નિયમોનું પાલન અને નીતિ-મત્તા સાથેની સેવા કારકિર્દીથી લોકોને પોઝિટિવ વાઇબ્રેશન મેળવીને જીવનમાં સકારાત્મક પ્રગતિ થઈ શકે છે.

 આ અવસરે CMના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, સચિવ અવંતિકા સિંઘ અને સ્પીપાના નાયબ મહાનિયામક વિજય ખરાડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.