ગુજરાતની હત્યારી વહુ, સસરાને શરીર સુખ આપી પૈસા લેતી, 2 લાખ ન મળ્યા તો...

On

ડાકોરમાં સંબંધોના તાર-તાર કરનારી ઘટના સામે આવી છે. અહીં હત્યાનો સનસનીખેજ ગુનો નોંધાયો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આરોપી વહુની પૂછપરછમાં તેના પોતાના સસરા સાથે અનૈતિક હોવાનો અને તેણે જ હત્યા કરવાનો ખુલાસો થયો. ભગતજીની ચાલીમામાં રહેતો જગદીશચંદ્ર જમનાલાલ શર્મા (ઉંમર 75 વર્ષ) પોતાના પરિવાર સાથે રહેતો હતો. જગદીશચંદ્ર પોતે ઉપરના માળે આવેલા મકાનમાં રહેતો હતો.

જન્માષ્ટમી અગાઉ બે દિવસથી તે ગુમ થયો હતો. આ દરમિયાન 6 સપ્ટેમ્બરના રોજ જગદીશચંદ્ર શર્માનું શબ સડી ગયેલી હાલતમાં તેના મકાનના રૂમમાંથી મળ્યું હતું. ત્યારબાદ ડાકોર પોલીસે સૌપ્રથમ અપમૃત્યુનો અને એ પછી હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા ફોરેન્સિક રિપોર્ટ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરતા આ હત્યા પાછળ મૃતકની નાની વહુનો હાથ હોવાનો ખુલાસો થયો હતો. જેથી આ નાની વહુ મનિષાબેનને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં આરોપી મનીષાબેન અને સસરા જગદીશચંદ્રના અનૈતિક સંબંધ હતા.

જગદીશચંદ્ર પોતાની નાની વહુને આર્થિક સહાય પણ કરતો હતો. આ દરમિયાન આરોપી મનીષા ફેસબુકના માધ્યમથી એક અન્ય વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આ વ્યક્તિએ મનીષાને વિદેશ જવાની લાલચ આપી હતી. જેથી મનીષાએ વિદેશ જવાની ઈચ્છા થતા પોતાના પ્રેમી સસરા પાસે 2 લાખ રૂપિયાની માગ કરી હતી. પોલીસે મનીષાને કોર્ટમાં રજૂ કરી 13 સપ્ટેમ્બર સુધીના રીમાન્ડ મેળવ્યા છે. હવે રિમાન્ડ બાદ આ મામલામાં કોણ કોણ સામેલ હતું. તે પૂછપરછ દરમિયાન ખુલશે.

આ ઘટના મામલે નડિયાદ ડિવિઝનના DYSP વી.આર. બાજપાઈએ જણાવ્યું કે, ‘ડાકોર શહેરની અંદર ભગતજી કોલોની વિસ્તારમાં રહેતા જગદીશ શર્માનો મૃતદેહ 5 સપ્ટેમ્બરના રોજ મળી આવ્યો હતો. લાશ સડી ગયેલી હાલતમાં હતી. તેથી તેનો ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકનું મોત માથાના ભાગે સખત વસ્તુ મારવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું અને તેના શરીરના અન્ય ભાગો પર પણ ઇજાના નિશાન હતા. જેથી કારણે પોલીસે ગુનો નોંધ્યો હતો.

જગદીશભાઈના પુત્ર વિજય જગદીશચંદ્ર શર્માએ તેના નાના ભાઈ અજયની પત્ની મનીષા સામે આ અંગે શંકા વ્યક્ત કરી હતી અને આ શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, મનીષાની પૂછપરછ દરમિયાન મનીષાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો કે, તેના સસરા જગદીશ શર્મા સાથે અનૈતિક સંબંધો હતા અને તેને કેટલાક પૈસાની જરૂરિયાત પડતી હતી, તો તેના સસરા તેના પૈસાની જરૂરિયાત અનૈતિક સંબંધના બદલે પૂરી કરતા હતા અને તેના કારણે મનીષાએ તે પૈસાનો ઉપયોગથી ફેસબુકના માધ્યમથી એક યુવકના પરિચયમાં આવી.

યુવકે તેને વિદેશ જવાની લાલચ આપી હતી. પણ વિદેશ જવા માટે પૈસાની જરૂર હતી અને તેણે તેના સસરા જગદીશ પાસે પૈસાની માગ કરી હતી. પૈસા ન મળવાના કારણે મનીષાએ આ હત્યા કરી હતી. આ કેસમાં હત્યા કરનારી મહિલા મનીષાની ધરપકડ કરવામાં આવી છે અને હજુ પોલીસ કસ્ટડીમાં છે. મનીષાને વિદેશ જવા માટે 2 લાખ રૂપિયાની જરૂર હતી અને જગદીશભાઈએ તેને બે લાખ રૂપિયા આપવાની ના પાડી હોવાથી તેણે આ હત્યા કરી છે.

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.