અમદાવાદનું દંપતી કાશ્મીરમાં રિવર રાફટિંગ દરમિયાન તણાઈ જતા મોત, વીડિયો વાયરલ

ગાંધીનગરના સાદરા-મોતીપુરા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતું દંપતી જમ્મુ-કાશ્મીરમાં ફરવા માટે ગયું હતું. પરંતુ, તેમને કયાં ખબર હતી કે આ સફર તેમની અંતિમ સફર બની જશે. જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળની સહેલગાહ કર્યા બાદ પહેલ ગામ ખાતે રિવર રાફટિંગ કરતી વેળાએ તેમની બોટ અચાનક પાણીમાં તણાઈ જતા દંપતી સહિત અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોતીપુરા ગામમાં હાલ શોકની લાગણી છે.

મળતી માહિતી મુજબ, સાદરા-મોતીપુરા ગામના વતની ભીખાભાઈ અંબાલાલ પટેલ અને તેમની પત્ની સુમિત્રાબેન અમદાવાદના કૃષ્ણનગર ખાતે રહેતા હતા. તેમનો પુત્ર મંથન કેનેડામાં રહે છે. દરમિયાન ભીખાભાઈ પત્ની સુમિત્રાબેન અને વેવાઇ સાથે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે ગયા હતા. દરમિયાન અનેક સ્થળ પર સહેલગાહ કર્યા બાદ દંપતી પહેલગામ ફરવા માટે આવ્યા હતા. દરમિયાન અન્ય સહેલાણીઓ સાથે પટેલ દંપતી પણ રિવર રાફટિંગ કરવા માટે બોટમાં બેઠું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Patiala Politics (@patialapolitics)

તેમની સાથે અન્ય બે યુવતીઓ પણ બોટમાં બેઠી હતી. જો કે બોટની સફર દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ એકાએક વધી જતા ખલાસીએ બોટ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બોટ પાણીના વિશાળ પ્રવાહમાં તણાઈ હતી. આ દુર્ઘટનામાં ભીખાભાઈ તથા તેમના પત્ની સુમિત્રાબેન તથા અન્ય એક નદીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં મોત થઈ ગયા હતા. ત્યાર બાદ સર્ચ ઓપરેશન હાથધરીને ત્રણેય મૃતદેહ શોધી કઢાયા હતા. માહિતી મુજબ, દંપતીનાં મૃતદેહને હવાઈ માર્ગે અમદાવાદ પરત લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. આ દુર્ઘટનાથી મોતીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનાનો હચમચાવે એવો વીડિયો પણ સામે આવ્યો છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.