અમદાવાદમાં 50 વર્ષોમાં પહેલીવાર ફેબ્રુઆરીમાં હિટવેવની આગાહી

રાજ્યમાં મોટાભાગના શહેરોમાં છેલ્લા અમુક દિવસથી મહત્તમ તાપમાનમાં વધારો થયો છે, જેના કારણે લોકો ફેબ્રુઆરી મહિનામાં જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. કેટલાક શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી જ્યારે સુરતનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે.

ઉપરાંત, રાજકોટમાં મહત્તમ તાપમાન 39.8 પર, સુરેન્દ્રનગરનું 39 ડિગ્રી અને અમરેલીનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું છે. ત્યારે હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવાર અને મંગળવારના રોજ બે દિવસ હિટવેવની શક્યતા છે. આ સાથે ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના કેટલાક શહેરોમાં હાલ લોકો બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાતે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. જોકે હવે, આગામી બે દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં આગામી બે દિવસ હિટવેવની શક્યતા છે. વિભાગે જણાવ્યું કે, અમદાવાદમાં મધ્ય અને લો લેવલ પર એન્ટિ સાયક્લોનિક સરક્યુલેશન રચાયું હતું. રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. 24 કલાક તાપમાન યથાવત રહેશે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડીગ્રી રહેવાના અનુમાન છે. જ્યારે ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડીગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે 50 વર્ષમાં પહેલીવાર ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં હિટવેવની આગાહી કરવામા આવી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.