અમદાવાદમાં SIR-2025ને વેગ: કલેક્ટર દ્વારા 3,000 વધારાના કર્મચારીઓની નિમણૂક

અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2025)ને વધુ ઝડપ અને કાર્યક્ષમતા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર સુજીત કુમારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. 21 વિધાનસભા વિસ્તારોમાં કાર્યરત BLO (બૂથ લેવલ ઓફિસર્સ) પરનો કામનો ભાર ઘટાડીને પ્રક્રિયાને ત્વરિત બનાવવાના ઉદ્દેશથી વિવિધ શાસકીય વિભાગોમાંથી અંદાજે 3,000 સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સહાયક સ્ટાફ મુખ્યત્વે ફિલ્ડમાં ભરાયેલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન અને અપલોડિંગ કામગીરી સંભાળશે.

ahmedabad-sir-20253
abplive.com

BLO અને સુપરવાઈઝર્સને મળશે ટેક્નિકલ સહાય

જિલ્લામાં કુલ 5,524 BLO અને 591 સુપરવાઈઝર્સ કાર્યરત છે. તેમને ડિજિટલ સપોર્ટ આપવા માટે 3,000 વધારાના કર્મચારીઓને 'સ્વયંસેવક' રૂપે જોડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ એન્યુમરેશન ફોર્મ્સને કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી અને અપલોડ કરવામાં મદદ કરશે, જેથી ડેટામાં ચોકસાઈ અને ભૂલરહિત પ્રક્રિયા જાળવી શકાય.

ahmedabad-sir-2025
timenews.co.in

62.59 લાખ મતદારો: SIR પ્રક્રિયાનો મોટો પડકાર

27 ઓક્ટોબરથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં શરૂ કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનમાં અમદાવાદ જિલ્લાની ભૂમિકા વિશેષ છે. અહીં મતદારોની સંખ્યા 62.59 લાખથી વધુ છે. આટલા મોટા પ્રમાણમાં મતદારોના વિગતોની તપાસ અને ડિજિટાઇઝેશન કરવું પડકારજનક હોવાથી વધારાના માનવબળને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સંપુર્ણ પ્રક્રિયા ઝડપી, સુવ્યવસ્થિત અને અસરકારક બને.

કયા વિભાગોમાંથી મેળવાયું માનવબળ?

આ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં જિલ્લાનાં અનેક વિભાગોનો સહકાર મેળવાયો છે, જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (ગ્રામ્ય), મહિલા અને બાળ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય શાખા અને નગરપાલિકા વિભાગ, UGVCL, નાયબ શ્રમ આયુક્ત કચેરી, મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન (અમદાવાદ–ગાંધીનગર). આ તમામ વિભાગો દ્વારા ઉપલબ્ધ કરાયેલા કર્મચારીઓ મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

નાગરિકોને સહકાર આપવા અનુરોધ

જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમારે અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે BLO અથવા સરકારી કર્મચારીઓ ઘરે આવે ત્યારે સાચી માહિતી પ્રદાન કરીને સંપૂર્ણ સહયોગ કરે, જેથી સચોટ, પારદર્શક અને અપડેટેડ મતદાર યાદી તૈયાર કરી શકાય.

About The Author

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.