અમદાવાદમાં SIR-2025ને વેગ: કલેક્ટર દ્વારા 3,000 વધારાના કર્મચારીઓની નિમણૂક

અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2025)ને વધુ ઝડપ અને કાર્યક્ષમતા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર સુજીત કુમારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. 21 વિધાનસભા વિસ્તારોમાં કાર્યરત BLO (બૂથ લેવલ ઓફિસર્સ) પરનો કામનો ભાર ઘટાડીને પ્રક્રિયાને ત્વરિત બનાવવાના ઉદ્દેશથી વિવિધ શાસકીય વિભાગોમાંથી અંદાજે 3,000 સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સહાયક સ્ટાફ મુખ્યત્વે ફિલ્ડમાં ભરાયેલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન અને અપલોડિંગ કામગીરી સંભાળશે.

ahmedabad-sir-20253
abplive.com

BLO અને સુપરવાઈઝર્સને મળશે ટેક્નિકલ સહાય

જિલ્લામાં કુલ 5,524 BLO અને 591 સુપરવાઈઝર્સ કાર્યરત છે. તેમને ડિજિટલ સપોર્ટ આપવા માટે 3,000 વધારાના કર્મચારીઓને 'સ્વયંસેવક' રૂપે જોડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ એન્યુમરેશન ફોર્મ્સને કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી અને અપલોડ કરવામાં મદદ કરશે, જેથી ડેટામાં ચોકસાઈ અને ભૂલરહિત પ્રક્રિયા જાળવી શકાય.

ahmedabad-sir-2025
timenews.co.in

62.59 લાખ મતદારો: SIR પ્રક્રિયાનો મોટો પડકાર

27 ઓક્ટોબરથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં શરૂ કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનમાં અમદાવાદ જિલ્લાની ભૂમિકા વિશેષ છે. અહીં મતદારોની સંખ્યા 62.59 લાખથી વધુ છે. આટલા મોટા પ્રમાણમાં મતદારોના વિગતોની તપાસ અને ડિજિટાઇઝેશન કરવું પડકારજનક હોવાથી વધારાના માનવબળને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સંપુર્ણ પ્રક્રિયા ઝડપી, સુવ્યવસ્થિત અને અસરકારક બને.

કયા વિભાગોમાંથી મેળવાયું માનવબળ?

આ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં જિલ્લાનાં અનેક વિભાગોનો સહકાર મેળવાયો છે, જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (ગ્રામ્ય), મહિલા અને બાળ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય શાખા અને નગરપાલિકા વિભાગ, UGVCL, નાયબ શ્રમ આયુક્ત કચેરી, મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન (અમદાવાદ–ગાંધીનગર). આ તમામ વિભાગો દ્વારા ઉપલબ્ધ કરાયેલા કર્મચારીઓ મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

નાગરિકોને સહકાર આપવા અનુરોધ

જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમારે અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે BLO અથવા સરકારી કર્મચારીઓ ઘરે આવે ત્યારે સાચી માહિતી પ્રદાન કરીને સંપૂર્ણ સહયોગ કરે, જેથી સચોટ, પારદર્શક અને અપડેટેડ મતદાર યાદી તૈયાર કરી શકાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.