ભરૂચ-નર્મદા-વડોદરા જિલ્લામાં પૂર પીડિત વિદ્યાર્થીઓની ફી માફ કરવા માગ કરાઇ

ભરૂચ, નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુર આપદાને કારણે શિક્ષણ વ્યવસ્થાને થયેલ નુકશાન, ખાસ કરીને અભ્યાસ કરતા તમામ બાળકોને પુસ્તકો/બેગ/ફી સહીતમાં સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લામાં પુરના કારણે શિક્ષણ વ્યવસ્થાને પણ મોટું નુકશાન થયું છે. ભરૂચ, નર્મદા વિસ્તારમાં ધો. 1 થી 12 માં બે લાખ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. માનવસર્જિત પુરના કારણે અનેક બાળકોના અભ્યાસક્રમના પુસ્તકો-બેગ-શૈક્ષણિક સામગ્રી પુરના કારણે ધોવાઇ ગઈ છે. નાશ પામી છે.

આ સંજોગોમાં ભરૂચ-નર્મદા-વડોદરા જીલ્લાના અસરગ્રસ્ત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પુન:શૈક્ષણિક વ્યવસ્થામાં જોડવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની સહાય કરે તેવી વિનંતી જેથી ગરીબ-સામાન્ય-માધ્યમવર્ગના બાળકો અભ્યાસકીય પ્રવુતિઓ સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકે. ભરૂચ-નર્મદા અને વડોદરા જીલ્લામાં માનવસર્જિત પુરથી ભોગ બનેલા પરિવારો આર્થિક રીતે પારાવાર મુશ્કેલીઓમાં મુકાઇ ગયા છે. ત્યારે તેમના સંતાનો કે જે પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરે છે. તેઓને એક સત્રની ફીની વિશેષ સહાય આપવા કોંગ્રેસ પક્ષએ માંગ કરી છે. રાજ્ય સરકાર માનવીય અભિગમ અપનાવીને સત્વરે હકારાત્મક નિર્ણય કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

સરદાર સરોવર ડેમનો મુખ્ય હેતુ લોકોને પુરના પાણીથી રક્ષણ આપવાનો છે. સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન અને નિર્દોષ નાગરિકોની કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર 19 લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું, જેના કારણે નર્મદા, ભરૂચ અને વગેરે સહિતના જિલ્લામાં પુરનું પાણી મોટી માત્રામાં રહેણાંક વિસ્તારમાં ફરી વળતા સ્થાનિક લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘણાં બધાં ગામોમાં લોકોના ઘર પુરના પાણીમાં ડૂબી ગયા હતા અને ફ્લેટના પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા. સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધીશોની ગુનાહિત બેદરકારી અને બેજવાબદારીના કારણે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું, નર્મદા બંધ ઓવરફ્લો થાય એ આપણને કુદરતી પ્રક્રિયા લાગે તે વાજબી છે, પરંતુ આ તો કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હોનારત જ હતી.

 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.