અમદાવાદઃ BRTSએ બાઈકને અડફેટમાં લેતા અકસ્માત, બેના કમકમાટી ભર્યા મોત

અમદાવાદમાં 24 કલાકમાં જ બીઆરટીએસ બસ સાથે અકસ્માતની ઘટના સામે આવી. આજે સવારે વહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં ઉમિયા મંદિરની સામે બીઆરટીએસએ બાઈકને અડફેટમાં લેતા બે યુવકના મોત થયા છે. જો કે સવારે થયેલા આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો છે.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઘુમાગામમા રહેતો વિપુલ ભાભોર (ઉ.મ.20) અને કલ્પેશ આમલિયા (ઉ.વ 20) આજે સવારે પલ્સર બાઈક લઈને નીકળ્યા હતા. બસની સાથે બાઈકની જોરદાર ટક્કર થતા બસની નીચે બાઈકનું એક વ્હીલ આવી ગયું હતું અને રસ્તામાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ અકસ્માતમાં વિપુલનું મોત થયું હતું અને કલ્પેશને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

તેમજ થોડા સમય પહેલા મહિલા કારચાલકે સાઈકલ પર જઈ રહેલા વિદ્યાર્થી જેસલને ટક્કર મારતા તે નીચે પટકાયો હતો અને બીઆરટીએસની નીચે આવી જવાથી તેનું મોત થયું હતું અને ફરીથી આજે ગમખ્વાર અકસ્માત થવાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.