કોવિડના કેસો આવતા હવે આ રાજ્યએ જાહેર કરી એડવાઇઝરી, માસ્ક પહેરવાની પણ સલાહ

દેશમાં ફરી એક વખત કોરોનાએ ગતિ પકડી લીધી છે. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસો સાથે પોતાની ગંભીરતા દેખાડી દીધી છે. તેની સાથે જ ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના કારણે 5 લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ JN-1ની કેરળમાં દસ્તક સાથે જ દેશના બધા રાજ્યોએ પોતાને ત્યાં સ્વાસ્થ્ય સંબંધિત સુરક્ષા વધારી દીધી છે. કેરળમાં કોરોનાનો સૌથી ઘાતક વેરિયન્ટ સામે આવ્યો છે. તેનાથી બોધ લેતા કર્ણાટક સરકારે એડવાઇઝરી જાહેર કરી છે.

સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે રાજ્યના બધા વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. દેશમાં કોરોના પરત ફરી રહ્યો છે. શિયાળા સાથે સાથે કોરોનાની જોરદાર વાપસીએ કેન્દ્ર સરકારના કાન ઊભા કરી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે પોતાના હેલ્થ બુલેટિનમાં કહ્યું કે રવિવારે કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં એક અને કેરળમાં 4 લોકોના મોત થયા છે. કોરોનાના એક્ટિવ કેસ 1,700 કરતા વધુ થઈ ગયા છે. કેરળમાં કોરોનાનોસૌથી નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, જેણે પહેલા સિંગાપુર અને પછી અમેરિકા અને ચીનમાં કેસોની કોકાફી વધારી દીધી છે.

પાડોશી રાજ્યમાં કોરોનાના વધતા કેસોને જોતા કર્ણાટક સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડૂ રાવે સોમવારે વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. જો કે, કર્ણાટકના કોડાગુમાં પત્રકારો સાથે વાત કરતા સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ સાવધાની જરૂરી છે. અમે કાલે એક બેઠક કરી, જ્યાં અમે ચર્ચા કરી કે શું પગલા ઉઠાવવા જોઈએ.

તેમણે કહ્યું કે, અમે જલદી જ એક એડવાઇઝરી જાહેર કરીશું. હાલમાં જેમની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે અને જેમને હાર્ટની સમસ્યા છે કે અન્ય ગંભીર બીમારીઓ છે તેમણે માસ્ક પહેરવું જોઈએ. અમે સરકારી હૉસ્પિટલોને તૈયાર રહેવા કહ્યું છે. કેરળ સાથે બોર્ડર શેર કરતા ક્ષેત્રોએ વધુ સાવધાન રહેવું જોઈએ. મેંગલોર,ચમનજનગર અને કોડાગુએ સાવધાન રહેવું જોઈએ. ટેસ્ટિંગ વધારવામાં આવશે. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે, તેમણે અનિવાર્ય રૂપે ટેસ્ટિંગ કરાવવું પડશે.

About The Author

Top News

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ જયના હવે ગ્લેમરની દુનિયામાં પદાર્પણ કરી...
Entertainment 
આનંદીબેન પટેલની દોહિત્રી સંસ્કૃતિ 'કૃષ્ણાવતારમ' ફિલ્મથી કરશે બોલિવુડમાં એન્ટ્રી

SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ 142નો ઉપયોગ...
National 
SIRને લઈને કોર્ટે એવો ફેસલો સંભળાવ્યો કે મમતા બેનર્જી ખુશ થઈને બોલ્યા- સુપ્રીમ કોર્ટ પર ગર્વ છે

સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

આજે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકસભા બેઠકોની સંખ્યા વધારશે. તેમનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં...
National 
સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.