કોવિડના કેસો આવતા હવે આ રાજ્યએ જાહેર કરી એડવાઇઝરી, માસ્ક પહેરવાની પણ સલાહ

દેશમાં ફરી એક વખત કોરોનાએ ગતિ પકડી લીધી છે. કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસો સાથે પોતાની ગંભીરતા દેખાડી દીધી છે. તેની સાથે જ ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના કારણે 5 લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ JN-1ની કેરળમાં દસ્તક સાથે જ દેશના બધા રાજ્યોએ પોતાને ત્યાં સ્વાસ્થ્ય સંબંધિત સુરક્ષા વધારી દીધી છે. કેરળમાં કોરોનાનો સૌથી ઘાતક વેરિયન્ટ સામે આવ્યો છે. તેનાથી બોધ લેતા કર્ણાટક સરકારે એડવાઇઝરી જાહેર કરી છે.

સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂ રાવે રાજ્યના બધા વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. દેશમાં કોરોના પરત ફરી રહ્યો છે. શિયાળા સાથે સાથે કોરોનાની જોરદાર વાપસીએ કેન્દ્ર સરકારના કાન ઊભા કરી દીધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે પોતાના હેલ્થ બુલેટિનમાં કહ્યું કે રવિવારે કોરોનાના 335 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ ઉત્તર પ્રદેશમાં એક અને કેરળમાં 4 લોકોના મોત થયા છે. કોરોનાના એક્ટિવ કેસ 1,700 કરતા વધુ થઈ ગયા છે. કેરળમાં કોરોનાનોસૌથી નવો વેરિયન્ટ જોવા મળ્યો છે, જેણે પહેલા સિંગાપુર અને પછી અમેરિકા અને ચીનમાં કેસોની કોકાફી વધારી દીધી છે.

પાડોશી રાજ્યમાં કોરોનાના વધતા કેસોને જોતા કર્ણાટક સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દિનેશ ગુંડૂ રાવે સોમવારે વરિષ્ઠ નાગરિકો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. જો કે, કર્ણાટકના કોડાગુમાં પત્રકારો સાથે વાત કરતા સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ સાવધાની જરૂરી છે. અમે કાલે એક બેઠક કરી, જ્યાં અમે ચર્ચા કરી કે શું પગલા ઉઠાવવા જોઈએ.

તેમણે કહ્યું કે, અમે જલદી જ એક એડવાઇઝરી જાહેર કરીશું. હાલમાં જેમની ઉંમર 60 વર્ષ કરતા વધુ છે અને જેમને હાર્ટની સમસ્યા છે કે અન્ય ગંભીર બીમારીઓ છે તેમણે માસ્ક પહેરવું જોઈએ. અમે સરકારી હૉસ્પિટલોને તૈયાર રહેવા કહ્યું છે. કેરળ સાથે બોર્ડર શેર કરતા ક્ષેત્રોએ વધુ સાવધાન રહેવું જોઈએ. મેંગલોર,ચમનજનગર અને કોડાગુએ સાવધાન રહેવું જોઈએ. ટેસ્ટિંગ વધારવામાં આવશે. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે, તેમણે અનિવાર્ય રૂપે ટેસ્ટિંગ કરાવવું પડશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.