સુરતના વરાછામાં કોરોનાથી એકનું મોત, તેમના પરિવારના 15નું ટેસ્ટિંગ કરાયું

દેશમાં કોરોના મહામારી ફરી માથું ઊચકી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા ત્રણ અઠવાડિયામાં જ દેશભરમાં કોરોનાના કેસ વધીને 3 હજારને પાર પહોંચ્યા છે. રાજ્યમાં પણ કોરોના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. સુરતમાં અઢી મહિના બાદ કોરોનાથી એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું છે. કોરોનાની સાથે હવે વધુ એક વાઇરસે ચિંતા વધારી છે. હોળીના તહેવાર બાદ રાજ્યમાં H3N2 વાયરસના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. H3N2 વાઈરસ એક પ્રકારનો ઈન્ફ્લ્યુએન્ઝા વાઈરસ છે જે એક શ્વાસ સંબંધિત વાઇરલ ઇન્ફેક્શન છે. આ વાઇરસ અનેક રોગોનું કારણ છે.

રાજ્યમાં છેલ્લા અમુક સમયથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે અઢી મહિના બાદ સુરતના કાપોદ્રા વિસ્તારની એક 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી વૃદ્ધાની મોત બાદ તેમના પરિવારના 15 લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. છેલ્લા બે જ દિવસમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. એક તરફ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં હોળી બાદ H3N2 સંક્રમણના કેસમાં પણ વધારો થયો છે. કોરોના બાદ હવે H3N2એ ચિંતા વધારી છે. ડોક્ટરોએ પણ લોકોને જાહેર જગ્યામાં માસ્ક પહેરવા અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરવા સલાહ આપી છે.

જણાવી દઈએ કે, બેવડી ઋતુના કારણે રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે. સુરતમાં પણ બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગાચાળામાં વધારો થયો છે. સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાઈન ફ્લૂના 2, જ્યારે કોરોનાના 4 કેસ નોંધાયા છે. ફેબ્રુઆરીમાં કમળાના 6, ગેસ્ટ્રોના 71 કેસ, ટાઈફોડના 22 અને મેલેરિયાના 8 કેસ નોંધાયા હતા. ઉપરાંત, સ્વાઇન ફ્લૂમાં 2 કેસ એક અઠવાડિયામાં નોંધાયા છે. સુરત શહેરમાં શરદી, ઉધરસ અને તાવ સહિતના વાયરલના કેસોમાં વધારો થતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

માહિતી મુજબ, ગત 30 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન દેશમાં કોરોનાના કુલ 1898 નવા કેસ નોંધાયા હતા, જે તેના પ્રથમ સપ્તાહમાં આવેલા કોરોના કેસ કરતાં 63% વધુ છે. આ પહેલા 20થી 26 ફેબ્રુઆરી વચ્ચે કોરોનાના 1163 કેસ અને 3થી 19 ફેબ્રુઆરી દરમિયાન 839 કેસ નોંધાયા હતા. સુરતમાં અઢી મહિના બાદ કોરોનાથી 60 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.