IIT ડિરેક્ટર કહે- માંસ ખાવા અને જાનવરોને મારવાથી લેન્ડસ્લાઇડ-વાદળ ફાટ્યા, Video

IIT મંડીના ડિરેક્ટર લક્ષ્મીધર બેહરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો કે માંસ ખાવા માટે જાનવરોને મારવાથી હિમાચલમાં લેન્ડસ્લાઇડ અને વાદળ ફાટ્યા. નિર્દોષ જાનવરોને કાપવાનું પર્યાવરણના ક્ષરણ સાથે સહજીવી સંબંધ છે.

તેમણે એક સભામાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા કહ્યું કે, લોકો એ નથી જોઇ રહ્યા છે માંસ માટે જાનવરોને મારવાથી પર્યાવરણ પર તેની શું અસર પડી રહી છે. પણ લોકો તેને ટૂંક સમયમાં જોશે. લેન્ડસ્લાઇડ, વાદળ ફાટવા...જે તમે વારે વારે જોઇ રહ્યા છો, આ બધું પશુ ક્રૂરતાનો પ્રભાવ છે. વીડિયો પહેલા યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો. ત્યાર પછી ટ્વીટર પર એક યૂઝર દ્વારા તેને શેર કરવામાં આવ્યો. જોત જોતામાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

વીડિયોમાં પહેલા ડિરેક્ટરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, સારા વ્યક્તિ બનવા માટે તેમણે શું કરવાનું રહેશે? સારા વ્યક્તિ બનવા માટે તમારે માંસ ખાવાનું નથી. હા કે ના? પોતાના સંબોધનને આગળ વધારતા તેમણે વિદ્યાર્થીઓને 'નો મીટ ઈટિંગ' નારો લગાવવા કહ્યું.

જાણ હોય તો જુલાઇ અને ઓગસ્ટમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અને લેન્ડસ્લાઇડની ઘણી ઘટનાઓ સામે આવી હતી. જેને લઇ બંને રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગંભીર નુકસાન થયું છે. આ ઘટનાઓમાં લગભગ 250 લોકોના મોત થયા છે.

આ વીડિયો ચર્ચામાં ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેને લઇ વિરોધ કર્યો. જયરામ રમેશે ટ્વીટ કરી કે, તે ડિરેક્ટર પદ પર રહેવાને લાયક નથી. તે આ પદ પર જેટલો વધારે સમય રહેશે એટલું જ વધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નુકસાન પહોંચાડશે.

આ નિવેદનને લઇ જયરામ રમેશે પ્રધાનમંત્રી મોદીના એક નિવેદનનો પણ હવાલો આપ્યો છે. પોસ્ટ કરી જયરામ રમેશે લખ્યું કે, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આપણા પૂર્વજોને પ્લાસ્ટિક સર્જરી વિશે જાણકારી નહોતી. તેમણે બાળકોને એવું પણ કહ્યું કે જળવાયુ પરિવર્તન થયું નથી. એક વરિષ્ઠ મંત્રી ન્યૂટન અને આઈંસ્ટાઇન વચ્ચેનો ફરક નથી કરી શકતા. તો બીજી બાજુ અન્ય નેતા ડાર્વિનને અભ્યાસક્રમમાંથી હટાવવાને યોગ્ય ગણાવે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.