ગુજરાત સરકારની જાહેરાત આટલા નવા શિક્ષકોની ભરતી થશે, સરકારી શાળા બંધ નહીં થાય

શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્ત્વની જાહેરાત કરી છે જે શિક્ષક નોકરી મેળવવાની ઇચ્છા રાખતા લોકો માટે કામની છે. સરકારી શાળાઓમાં 25000 નવા શિક્ષકોની ભરતીની જાહેરાત મંત્રીએ કરી છે. બીજી પણ મહત્ત્વની જાહેરાત મંત્રીએ કરી છે. એક પણ સરકારી શાળા બંધ નહીં થાય એમ પણ મંત્રીએ કહ્યું  છે.

ગુજરાતના રાજય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષણને માટે અનેક મહત્ત્વની જાહેરાત કરી છે. પાનસેરિયાએ કહ્યું કે, રાજ્યમાં 25 હજાર નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. 16,000 નવા વર્ગ ખંડ બનાવાશે અને એક પણ સરકારી શાળા બંધ થવાની નોબત નહીં ઉભી થાય.શાળાઓમાં શિક્ષકોના અભાવની ફરિયાદ ઘણા સમયથી ચાલતી હતી.

સુરતના કામરેજના ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં પહેલાવીર મંત્રી બનેલા પ્રફુલ્લ પાનસેરિયાએ શનિવારે મહત્ત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં નવા 25000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. મંત્રી પાનસેરિયાએ કહ્યું કે, રાજ્યમાં એક પણ સરકારી શાળા બંધ નહીં કરવામાં આવે, ભલે 10 વિદ્યાર્થીઓ હશે તો પણ શાળા ચાલું રાખવામાં આવશે.

પાનસેરિયાએ બીજી જાહેરાત એ કરી છે કે ગુજરાતની સરકારી શાળાઓમાં 16,000 નવા વર્ગ ખંડ બનાવવમાં આવશે, સાથે તેમણે એમ પણ કહ્યું છે કે વિદ્યાર્થીઓને એક ગામથી બીજા ગામ જવું હશે તો સરકાર ગાડીની વ્યવસ્થા કરી આપશે.

શિક્ષણ મંત્રી પાનસેરિયાએ કહ્યું કે સરકારી શાળા બંધ કરવાનો સરકારે કોઇ પગલાં ભર્યા નથી. એક પણ સરકારી શાળા બંધ નહીં થાય, ગામડેથી આવતા વિદ્યાર્થીઓ માટે મારૂતિવાન કે અન્ય વાગનની સુવિધા સરકાર પુરી પાડશે.

કોંગ્રેસે વર્ષ 2022મા વિધાનસભા સત્રમાં સવાલ પુછ્યો હતો કે ગુજરાતની શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે? જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં 19 હજાર 128 ઓરડાઓની ઘટ છે. શાળાઓમાં ઓરડાની ઘટ બાબતે ધારાસભ્યો પણ શિક્ષણ મંત્રીઓને રજૂઆત કરતા આવ્યા છે. આ બધી રજૂઆતને પગલે હવે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ 16000 નવા ઓરડા બનાવવાની જાહેરાત કરી છે. આ ઓરડા બનાવવા પાછળ 937 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. મિશન સ્કુલ ઓફ એકસલન્સ હેઠળ નવા ઓરડા તૈયાર કરવામાં આવશે.

ગુજરાતમાં શિક્ષણ વિશે વારંવાર રાજકારણ ચાલતું રહે છે, આમ આદમી પાર્ટીએ પણ અનેક વખત ગુજરાતના શિક્ષણ વિશે સવાલો ઉઠાવ્યા છે. શિક્ષણ સુધારાનું આ પગલું ગુજરાતની ઇમેજ સુધારી શકશે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.