ડિગ્રી વિના પણ વિદેશમાં નોકરી કરી શકો છો! આ દેશ આવા ભારતીયોને નોકરી માટે ભરતી કરી રહ્યો છે

દર વર્ષે લાખો ભારતીયો કામ કરવા માટે વિદેશ જાય છે. બ્રિટન પણ ભારતીયો માટે ભણવા, ફરવા અને નોકરી કરવા માટે પસંદગીનો દેશ છે. બ્રિટનમાં ફક્ત એડવાન્સ્ડ ડિગ્રી જ નહીં, પણ ડિપ્લોમા અને ફક્ત કોઈ પણ ક્ષેત્રનું સર્ટિફિકેટ ધરાવતા લોકો માટે ઘણી બધી નોકરીઓ છે. બદલાતા સમય સાથે લાયકાતના માપદંડો પણ બદલાયા છે. આજકાલ, પરંપરાગત શૈક્ષણિક માર્ગને બદલે વિવિધ આવડતને આધારિત શિક્ષણ તરફ વલણ જોવા મળી રહ્યું છે. જો તમારી પાસે જે તે ક્ષેત્રની કુશળતા હોય, તો તમે ડિગ્રી વિના પણ વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓ મેળવી શકો છો. એવી ઘણી બધી નોકરીઓ છે જેને ડિગ્રીની જરૂર નથી; ફક્ત આના માટે જરૂરી છે તમારી તે ક્ષેત્રમાં આવડત, તેનો અનુભવ અને ટ્રેક રેકોર્ડની જરૂર છે.

UK-Hiring-Indian
economictimes.indiatimes.com

આજકાલ દરેક વ્યક્તિ સારી નોકરી શોધી રહ્યો હોય છે અને તે પ્રાપ્ત કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરતો રહે છે. ભારત સિવાયના અન્ય દેશોમાં કામ કરવાનું સ્વપ્ન જોનારાઓને વિદેશ જવા માટે જરૂરી ડિગ્રી ન હોવા પર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમે એવા લોકોમાંના એક છો જેઓ વિદેશમાં કામ કરવા માંગે છે પરંતુ ડિગ્રી નથી ધરાવતા, તો પણ તમને બ્રિટનમાં હજુ સારી નોકરી મળી શકે છે.

UK-Hiring-Indian2
navbharattimes.indiatimes.com

હકીકતમાં, બ્રિટનમાં ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં કામદારોની તીવ્ર અછત છે, અને જરૂરિયાત વધવાને કારણે કુશળ કામદારોની માંગમાં વધારો થયો છે. બ્રિટનમાં નવી માઈગ્રેશન યોજના હેઠળ, 82 મધ્યમ-કુશળતાવાળી નોકરીઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ કુશળતા ધરાવતા વિદેશી કામદારોને કામચલાઉ વર્ક વિઝા મળશે. આવી રીતે ભારતીય કામદારો બ્રિટનમાં કામ કરી શકશે.

UK-Hiring-Indian1
navbharattimes.indiatimes.com

બ્રિટનમાં એન્જિનિયરિંગ, ટેકનિકલ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં કામદારોની અછત હોવાનું નોંધાયું છે, અને તેના જવાબમાં, ત્યાં PM કીર સ્ટારમરની સરકારે કામદારોની ભરતીની જાહેરાત કરી છે. માઈગ્રેશન સલાહકાર સમિતિ (MAC) દ્વારા 82 મધ્યમ-કુશળ નોકરીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આની અંદર ફક્ત જે તે ક્ષેત્રની કુશળતાનું મજબૂત જ્ઞાન ધરાવતા ભારતીય કામદારો જ નોકરીને પાત્ર છે. પછી ભલે તમારી પાસે ડિગ્રી ન હોય, પણ તમને અંગ્રેજી બોલતા આવડવું જોઈએ, તો આ રીતે બ્રિટનમાં નોકરી શોધવી સરળ બની શકે છે.

UK-Hiring-Indian
livemint.com

બ્રિટનમાં બ્લુ-કોલર કામદારોની જરૂરિયાત વધી છે. તેથી, રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વિઝા માટે અરજી કરી શકે છે. બ્રિટન દ્વારા 3 થી 5 વર્ષના સમયગાળા માટે વર્ક વિઝા આપવામાં આવશે. આ વિઝા કાયમી રહેઠાણ માટે લાયક ગણવામાં આવશે નહીં.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.