રામ ચરણ-ઉપાસનાની પુત્રીને નામકરણ પર મળી ખાસ ભેટ, આ પારણામાં છે અનેક ગુણ

રામ ચરણ અને ઉપાસનાની દીકરીનો જન્મ થયાને હજુ ફક્ત 11 દિવસ જ થયા છે અને તે પહેલાથી જ સમાચારોમાં છવાઈ ગઈ છે. નવા સ્ટાર કિડનું વિશ્વભરના ચાહકો, પરિવાર અને મિત્રો તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. બાળકીના નામકરણની વિધિ 30 જૂને રાખવામાં આવી છે અને દરેકની નજર તેના પર છે. ઉપાસનાએ આ સ્પેશિયલ સેરેમનીની ઝલક પણ બતાવી છે અને તેની દીકરીને કઈ ખાસ ગિફ્ટ મળી છે તે પણ જણાવ્યું છે.

સ્ટાર પત્નીએ ઇન્સ્ટાગ્રામ પર નામકરણ સમારોહની ઉજવણીની એક ઝલક આપી હતી. ઉપાસના કામીનેનીના ઘરે ભવ્ય શણગાર સાથે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમારોહમાં સમગ્ર પરિવારે ભાગ લીધો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફંક્શનમાં ઘણી મોટી સેલિબ્રિટીઓ હાજરી આપે તેવી શક્યતા છે. ઘણી મશહૂર હસ્તીઓ કપલ અને તેમની દીકરીને આશીર્વાદ આપવા પહોંચી શકે એમ છે.

ઉપાસનાની દીકરીને પણ ભેટ તરીકે ખાસ પારણું પણ મળ્યું છે. આની એક ઝલક આપતાં, તેણે તેને ઇન્સ્ટા પર શેર કર્યું, 'પ્રજ્વાલા ફાઉન્ડેશનની યુવતીઓ તરફથી આ ભેટ મેળવીને અમે સન્માનિત અને નમ્રતા મહેસુસ કરીએ છીએ. સૌથી વધુ પ્રિય હાથથી બનાવેલ આ પારણું એ શક્તિ અને આશાનું પ્રતીક છે. તે તેને એક અલગ સફર પર લઈ જશે, જે મારી બાળકી જન્મથી જ સમજે છે.'

રામ ચરણ અને ઉપાસનાએ 20 જૂને તેમની પુત્રીનું સ્વાગત કર્યું હતું. દાદા-દાદીથી લઈને કાકાઓ સુધી, ચિરંજીવીથી લઈને અલ્લુ અર્જુન સુધી, ઘણા લોકોએ હોસ્પિટલની મુલાકાત લીધી અને બાળકીનો જન્મ થતાં જ તેને આશીર્વાદ આપ્યા. પોતાની પૌત્રીને મેગા પ્રિન્સેસ કહેનારા મેગાસ્ટાર ચિરંજીવીએ પૌત્રીના જન્મ પર મીડિયા સાથે વાત કરી અને કહ્યું હતું કે, 'અમારા જીવનની તમામ સારી ક્ષણોને જોતા, મને એવું લાગે છે કે આ બાળકી જે સકારાત્મકતા લાવી રહી છે તેના કારણે છે. અમારો પરિવાર ભગવાન હનુમાનની પૂજા કરે છે. મંગળવાર તેમનો દિવસ છે, અને અમે આભારી છીએ કે બાળકનો જન્મ આ શુભ દિવસે થયો હતો.'

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.