સલમાનની બહેન અર્પિતા વજન અને રંગના કારણે થાય છે ટ્રોલ, પતિ આયુષે કહી આ વાત

સલમાન ખાનની બહેન અર્પિતાને અવારનવાર તેના રંગ અને વજનના કારણે ટ્રોલ કરવામાં આવે છે. જોકે, આજ સુધી અર્પિતાએ ટ્રોલ્સને જવાબ નથી આપ્યો. પરંતુ, અર્પિતાના પતિ અને એક્ટર આયુષ શર્માએ ટ્રોલ્સને ફટકાર લગાવી છે. આયુષ શર્માએ ટેડએક્સ પોર્ટલને એક ઇન્ટરવ્યૂ આપ્યુ હતું, જેમા તે પોતાની પત્ની અર્પિતાનો બચાવ કરતો દેખાયો હતો અને આ સાથે જ તેણે ટ્રોલ્સને ફટકાર લગાવી હતી. આયુષે કહ્યું હતું કે, પોતાના ડાર્ક સ્કિન કલર અને વજનની મજાક બનવા છતા પણ અર્પિતા પોતાના પર ગર્વ અનુભવે છે. આ સાથે જ આયુષે એવુ પણ કહ્યું કે, તેની પત્નીને માત્ર એટલા માટે નિશાનો બનાવવામાં આવે છે કારણ કે, તે એક પબ્લિક ફિગર છે.

આયુષ શર્માએ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું, મારી પત્નીને વજન વધુ હોવાના કારણે હંમેશાં ટ્રોલ કરવામાં આવે છે. લોકો હંમેશાં તેના પર નિશાનો સાધતા રહે છે અને કહે છે કે, એક સેલિબ્રિટી હોવાના નાતે તેણે આટલા જાડા ના હોવુ જોઈએ અથવા તો પછી તેણે કેવા કપડાં પહેરવા જોઈએ અને તેનો રંગ શ્યામ છે. આયુષ શર્માએ આગળ કહ્યું હતું કે, જેવી તેની કોઈ તસવીર આવે છે તો લોકો તેને તરત યાદ અપાવે છે કે તેનો રંગ ડાર્ક છે.

આયુષ શર્માએ આગળ કહ્યું, આજના સમયમાં કોઈપણ અંદરની સુંદરતાને નથી જોતું અને કોઈપણ એ વાત નથી જાણવા માંગતું કે એક વ્યક્તિના રૂપમાં તમે કેટલા સુંદર છો. માત્ર લોકો પોતાના બહારના રૂપથી સુંદર દેખાવા માંગે છે. આ સાથે જ આયુષ શર્માએ એવુ પણ કહ્યું કે, મને પોતાની પત્ની પર ગર્વ છે કારણ કે, તે પોતાની સ્કિનમાં કન્ફર્ટેબલ અનુભવ કરે છે. તે જે છે, તેના પર તેને ગર્વ છે.

 

Aayush on trolling against Arpita
by u/Sonam-Ki-Kutiya in BollyBlindsNGossip

ઇન્ટરવ્યૂમાં આયુષ શર્માએ એવુ પણ જણાવ્યું હતું કે, અર્પિતા ક્યારેય પણ કેમેરાની સામે નથી આવવા માંગતી. તેણે કહ્યું કે, અર્પિતા મને બંધ રૂમમાં કહે છે કે, હું સેલિબ્રિટી નથી, મેં સેલિબ્રિટી બનવા માટે કંઈ નથી કર્યું. હું ક્યારેય પણ કેમેરાની સામે નથી આવવાની. આથી, હું જે છું હંમેશાં એ જ રહીશ.

Related Posts

Top News

‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના...
National 
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
Business 
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
World 
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા,  CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.