હવે કંગના રણૌતે અમિતાભ માટે પણ ન કહેવાનું કહી દીધું

વિવાદિત નિવેદનો માટે જાણીતી બોલિવુડ અભિનેત્રીએ હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફ સામે નિશાન સાધ્યું છે. કંગના અમિતાભ અને ટાઇગર શ્રોફ સામે એટલા માટે નારાજ થઇ છે, કારણકે કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ જે દિવસે રીલિઝ થવાની છે એ જ દિવસે અમિતાભ અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’ની પણ રીલિઝ ડેટ જાહેર થઇ છે.

તાજેતરમાં ગણપત ફિલ્મની ટીઝર સામે આવ્યું એ પછી કંગનાએ પોતાનો ઉભરો ઠાલવ્યો છે. કંગનાએ કહ્યું કે, તે પોતાની ફિલ્મ 20 ઓકટોબરે રીલિઝ કરવા માંગતી હતી, પરંતુ બોલિવુડ માફિયા જબરદસ્તી મારી ફિલ્મ સાથે ક્લેશ કરવાની કોશિશમાં જોડાયેલા છે.

કંગનાએ હાલમાં જ કેટલીક ટ્વિટ કરી છે, જેમાં તેનો ગુસ્સો અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગણપત'ના મેકર્સ પર ફાટી નીકળ્યો છે. પોતાના ટ્વીટ દ્વારા કંગનાએ આખી સીરિઝ પોસ્ટ કરી છે જેમાં તેણે અનેક આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે કંગનાની ફિલ્મની રિલીઝ ડેટ જોયા બાદ જ 'ગણપત'ની રિલીઝ ડેટ 20 ઓક્ટોબર રાખવાનું પુરુ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાથે જ કંગનાએ આરોપ લગાવ્યો છે કે સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઘણી એવી તારીખો છે જેમાં તેમની ફિલ્મ રીલિઝ થઇ શકે તેમ હતી. પરંતુ  ઇમરજન્સી રીલિઝ થવાની છે એ જ દિવસે તેમની ફિલ્મ રજૂ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

એક અન્ય ટ્વીટમાં કંગનાએ લખ્યું છે કે, જ્યારે મેં મારી પોતાની ફિલ્મ ઇમરજન્સીની રીલિઝ માટે તારીખ નક્કી કરવા માટે મન બનાવ્યું તો મેં જોયું હતું કે આ કેલેન્ડર યરમાં ફિલ્મ રીલિઝ માટે ઘણી ડેટ ખાલી છે. એ પછી મેં 20 ઓકટોબરે ઇમરજન્સી ફિલ્મ રીલિઝ કરવા માટે પસંદ કરી હતી. એક સપ્તાહની અંદર T-સીરિઝના માલિક ભૂષણ કુમારે જાહેરાત કરી કે તેમની ફિલ્મ 20 ઓકટોબરે રીલિઝ થશે. જ્યારે સપ્ટેમ્બર, નવેમ્બર, ડિસેમ્બરના મહિનામાં અનેક તારીખો ખાલી હતી તે દિવસે ભૂષણ કુમાર ફિલ્મ રીલિઝ કરી શકે તેમ હતા. કંગનાએ આગળ લખ્યું કે, આજે જોયું કે અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફે પણ તેમની ફિલ્મની રીલિઝ ડેટ 20 ઓકટોબર જ રાખી છે. લાગે છે કે બોલિવુડ માફિયા ગેંગ્સમાં પેનિક મીટિંગ થઇ રહી છે.

કંગના રનૌતની ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે. કંગનાએ આ ફિલ્મમાં ઇંદિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. કંગનાનું માનવું છે કે બોલિવુડ માફિયા તેની રીલિઝ તારીખ સાથે કલેશ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.