બેસ્ટ એક્ટર એવોર્ડ ન મળવા પર તૂટ્યૂ અનુપમ ખેરનું દિલ, કહી આ વાત

નેશનલ ફિલ્મ એવોર્ડ 2023 વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં આલિયા ભટ્ટ અને ક્રિતી સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો તો આલ્લૂ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. આર માધવનની ફિલ્મ રોકેટ્રીને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જોકે, આને લઇ અભિનેતા અનુપમ ખેર ખૂબ જ નિરાશ છે.

અનુપમ ખેરે કહ્યું કે, આટલી મેહનત છતાં તેણે એ ન મળ્યું જેનો તે હકદાર હતો. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં ખેર લીડ રોલમાં જોવા મળ્યો હતો. તેણે ફિલ્મમાં સારો અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે પલ્લવી જોશીને એવોર્ડ મળી ગયો પણ અનુપમ ખેરનું સપનુ અધૂરુ રહી ગયું.

એક ઈન્ટરવ્યૂમાં અનુપમે ફિલ્મના નેશનલ એવોર્ડ જીતવાની ખુશી જાહેર કરી. સાથે જ પોતાના પ્રદર્શન માટે એવોર્ડ ન મળવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે, અમને નેશનલ એવોર્ડ મળવાની ઘણી આશા હતી. કારણ કે જ્યારે તમે તમારું બેસ્ટ કામ કરો છો તો આવી આશા રાખો છો. મને મારી એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ જીતવો સારો લાગતો કારણ કે આ ખરેખર મારું બેસ્ટ કામ હતું.

આ પહેલા અનુપમ ખેરે એક ટ્વીટ પણ કરી હતી. ફિલ્મને લઇ અભિનેતાએ લખ્યું કે, ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે કે ધ કશ્મીર ફાઇલ્સને નેશનલ એવોર્ડ જીત્યો. ફિલ્મને રાષ્ટ્રીય એકતા પર બેસ્ટ ફીચર ફિલ્મ માટે નરગિસ દત્ત એવોર્ડ મળ્યો. એક અભિનેતા જ નહીં બલ્કે ફિલ્મના પ્રોડ્યુસર તરીકે પણ મને આ ફિલ્મને મળેલી માન્યતાથી ખુશી છે. મને વધારે ખુશી ત્યારે થાત જ્યારે મને અભિનય માટે પણ એવોર્ડ મળત. પણ આ ઈચ્છાઓ પૂરી થઇ જાય તો કામ કરવાનો ઉત્સાહ અને મજા આવી જાય. ચાલો કઇ નહીં બીજી વાર.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.