અનુષ્કા-વિરાટ ફરી બાળકોને લઈને પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના આશ્રમે, પૂછ્યા આ સવાલ

અનુષ્કા શર્મા તેના પરિવાર સાથે વૃંદાવનમાં શ્રી પ્રેમાનંદ મહારાજના આશ્રમ પહોંચી. આ પ્રસંગનો એક સુંદર વીડિયો સામે આવ્યો છે, જેમાં અનુષ્કા શર્માની મહારાજ પ્રત્યેની ભક્તિ એક સામાન્ય સ્ત્રી જેવી જોવા મળે છે. વીડિયોમાં અનુષ્કા તેમને કેટલીક વાતો કહેતી પણ જોવા મળે છે.

અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી અને તેના બે બાળકો સાથે વૃંદાવનમાં શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના આશ્રમમાં પહોંચી છે. અહીં તેણે મહારાજ સમક્ષ દંડવત પ્રણામ કર્યા અને પછી અનુષ્કાએ તેમને પોતાના મનની વાત પણ કહી.

આ મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અનુષ્કા તેના સમગ્ર પરિવાર સાથે શ્રી પ્રેમાનંદ મહારાજની સામે શ્રદ્ધા-ભક્તિમાં ડૂબેલી જોવા મળે છે. અહીં અનુષ્કા એક સ્ટાર તરીકે નહીં પણ એક ભક્ત તરીકે હાજર રહેલી જોવામાં આવે છે. જ્યારે, મહારાજ તેમને આશીર્વાદ આપતા અને તેમના શિષ્યોને અનુષ્કા અને તેની પુત્રી વામિકાને ચૂંદડી આપવાનો આદેશ આપતા જોવા મળે છે.

આ દરમિયાન અનુષ્કા શ્રી પ્રેમાનંદ મહારાજને કહેતી જોવા મળે છે, 'ગઈ વખતે જ્યારે અમે આવ્યા હતા, ત્યારે મારા મનમાં કેટલાક સવાલો હતા અને મેં વિચાર્યું હતું કે હું તેમને પૂછીશ, પણ ત્યાં બેઠેલા બધાએ કંઈક એવા જ સવાલો પૂછ્યા હતા. જ્યારે અમે અહીં તમારી પાસે આવવાની વાત કરી રહ્યા હતા... અને હું મારા મનમાં જ તમારી સાથે વાત કરી રહી હતી. બીજા દિવસે હું જોઉં છું કે, કોઈક ને કોઈક તમને એ જ સવાલ પૂછી રહ્યું હોય છે.'

આ દરમિયાન, આશ્રમના એક સભ્ય મહારાજ સમક્ષ વિરાટના વિચારો રજૂ કરતા જોવા મળે છે. આના જવાબમાં, પ્રેમાનંદજી મહારાજ ક્રિકેટરની પ્રશંસા કરે છે અને કહે છે, 'હું સાધના દ્વારા તમારા મનમાં ખુશી લાવી રહ્યો છું. તે રમત દ્વારા સમગ્ર દેશના મનમાં ખુશી લાવી રહ્યો છે. જો તેઓ વિજયી થાય છે, તો આખા ભારતમાં ફટાકડા ફોડવામાં આવે છે અને દેશભરમાં ઉજવણી થાય છે. શું આ તેમની સાધના નથી? આ પણ તેમની સાધના છે. આખું ભારત તેમની સાથે જોડાયેલું છે, તેમનો આ અભ્યાસ જ તેમની પૂજા છે. તે રમતગમત દ્વારા ભગવાનની સેવા કરી રહ્યો છે.'

આ દંપતીની પ્રશંસા કરતી વખતે મહારાજ કહી રહ્યા છે કે, 'આ લોકો ખૂબ જ બહાદુર છે, દુન્યવી ખ્યાતિ અને સન્માન પ્રાપ્ત કર્યા પછી તેમના માટે ભક્તિ તરફ વળવું ખૂબ મુશ્કેલ હોય છે. અમને લાગે છે કે તમારી ભક્તિનો તેમના (વિરાટ) પર ખાસ પ્રભાવ પડશે.' આ પછી અનુષ્કા કહે છે, 'ભક્તિથી ઉપર કંઈ નથી.' આ સાથે મહારાજે બંનેને ઘણા આશીર્વાદ આપ્યા.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.