કિમ કર્દાશિયાંએ યુવાન દેખાવા માટે કરાવી દર્દભરી ટ્રીટમેન્ટ

સોશિયલ મીડિયા સેલિબ્રિટી કિમ કર્દાશિયાં તેના કિલર લુક માટે જાણીતી છે. કિમ અત્યંત ફિટ રહે છે, અને તેના શરીરને સ્લિમ અને ટોન્ડ રાખવા માટે નવી નવી રીતો અપનાવતી રહે છે. હાલમાં જ અમેરિકન ટીવી સ્ટાર કિમે એક વિચિત્ર ખુલાસો કર્યો હતો, જ્યારે તેણે કહ્યું હતું કે તે યુવાન રહેવા માટે પોટી પણ ખાઈ શકે છે. હાલમાં, કિમે એક નાનકડી સર્જરી કરાવી છે, જેનાથી તેનું પેટ અંદર રહે અને તે પાતળી પણ રહે છે.

તેના જીવન પર આધારિત રિયાલિટી શોની સ્ટાર કિમ કર્દાશિયાં માને છે કે સુંદરતા હાંસલ કરવાની કોઈ સીમા હોતી નથી. તેના માટે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે. કિમે પોતાના ફિગરને જાળવી રાખવા માટે ઘણી વાર અલગ-અલગ અજીબોગરીબ રીતો અપનાવી છે. આ વખતે સોશિયલ મીડિયા સ્ટારે સર્જરી કરાવી છે. જેની માહિતી તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. કિમે તેના પેટને ટાઈટનિંગ ટ્રીટમેન્ટ કરાવી છે.

ફોટો શેર કરતા કિમે લખ્યું- આ ગેમ ચેન્જર છે. મેં મારા પેટ પર મોર્ફિયસ લેસર ટ્રીટમેન્ટ કરાવી છે, જેનાથી મારું પેટ વધુ કઠોર દેખાય. મને લાગે છે કે આ મારી પ્રિય લેસર ટ્રીટમેન્ટ છે. તે દર્દનાક છે, પરંતુ હું તેને કરાવવાને લાયક છું. દેખીતી રીતે, કિમને યુવાન દેખાવા માટે કોઈપણ પ્રકારની પીડાનો વાંધો નથી.

સુંદર દેખાવા માટે કિમ કોઈપણ હદ સુધી જઈ શકે છે. બીજી તરફ, જો તમે તેની બાકીની વાત પર નજર નાખો, તો ત્યાં તેનો બોડી રિપોર્ટ પણ જોવા મળશે. કિમે તેના આખા શરીરની અંદર સુધી તપાસ કરાવી છે, જેમાં તેના હાડકાની ઘનતા, શરીરનું પ્રમાણ અને તેના શરીરમાં કેટલી ચરબી છે તે સુધી જાણી શકાશે.

 
View this post on Instagram

A post shared by Kim Kardashian (@kimkardashian)

કિમ કર્દાશિયાં એક સફળ ઉદ્યોગસાહસિક પણ છે. તાજેતરમાં તેણે તેની નવી સ્કિનકેર બ્રાન્ડ SKKNની જાહેરાત કરી છે. કિમની નવી સ્કિનકેર લાઇનમાં 9 પ્રોડક્ટ રૂટિન છે. ક્લીન્સર, ટોનર, એક્સ્ફોલિએટર, હાયલ્યુરોનિક એસિડ સીરમ, ફેસ ક્રીમ, આઇ ક્રીમ, ઓઇલ ડ્રોપ્સ, નાઇટ ઓઇલનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.