5 વર્ષના સંબંધનો અંત, કિંજલ દવેની પવન સાથે સગાઈ તૂટી, જાણો શું છે કારણ

ગુજરાતની જાણીતી અને લોકપ્રિય સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા ખૂબ મોટી છે. દેખાવમાં સુંદર એવી કિંજલનો અવાજ પણ ખૂબ જ સુરીલો છે. ત્યારે હાલ કિંજલ દવેની આશરે પાંચ વર્ષ અગાઉ પવન જોષી સાથે થયેલી સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. માત્ર 17 વર્ષની ઉંમરે સમગ્ર ગુજરાતમાં 'ચાર-ચાર બંગડીવાળી' ગીત ગાઈને પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની સગાઈ 18 એપ્રિલના રોજ અખાત્રીજના શુભ મૂહુર્તમાં લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે થઈ હતી. પરંતુ હવે અચાનક તેમની સગાઇ તૂટી ગઈ હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યાં છે.

રિપોર્ટ મુજબ, કિંજલ દવે તેમજ તેના ભાઇ આકાશની સગાઇ સાટા પદ્ધતિથી કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઈ આકાશની સગાઈ કિંજલના મંગેતર પવન જોષીની બહેન સાથે કરાઇ હતી. જો કે, રિપોર્ટ મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા હાલ કિંજલ દવેની સગાઇ પણ તૂટી ગઇ છે.

વાત કરીએ સાટા પદ્ધતિની તો આ પદ્ધતિ મુજબ એક જ પરિવારનો છોકરો-છોકરી અન્ય પરિવારના છોકરા-છોકરી સાથે લગ્ન કરે છે તેને સાટા પદ્ધતિ કહેવામાં આવે છે. જો કે, હાલના આ સમયમાં પણ હજુ કેટલાંક સમાજમાં આ પદ્ધતિનો રિવાજ ચાલી રહ્યો છે. ત્યારે આ પદ્ધતિ હેઠળ સબંધો બાંધ્યા બાદ જો એકના લગ્નજીવનમાં પણ ભંગાણ પડે છે તો એ જ ક્ષણે બીજાના લગ્ન પણ તૂટી જાય છે. પછી ભલે તેઓ એકબીજા સાથે સુખી હોય તો પણ આ સંબંધો તૂટી જાય છે. આ રિવાજ હેઠળ જ્યારે સબંધો તૂટે છે ત્યારે બંને પક્ષે ઘણું સહન કરવાનો વારો આવે છે.

અહીં તમને જણાવી દઇએ કે, 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં કિંજલનો જન્મ થયો હતો. કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હોવાને કારણે તે જ્યારે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે પણ રજા લઇને ગરબા, લોકડાયરા જેવાં કાર્યક્રમોમાં હાજરી આપવા જતી હતી. લગભગ પાંચેક વર્ષ અગાઉ પવન જોષી નામના બાળપણના મિત્ર સાથે કિંજલ દવેની સગાઇ કરવામાં આવી હતી. જે સગાઈ હવે તૂટી જતા વાયુવેગે આ સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા છે. જો કે, કિંજલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ સગાઇ તૂટી જતા હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વાત કરીએ જેની સાથે કિંજલ દવેની સગાઇ કરવામાં આવી હતી તે પવન જોષીની, તો પવન જોષી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે અને હાલ અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે તેમજ અમદાવાદમાં જ બિઝનેસ કરે છે. તેને મોડેલિંગ ફોટોનો ખૂબ જ શોખ છે. પોતાની સગાઈના દિવસે પવન જોધપુરીમાં સજ્જ થયો હતો જ્યારે કિંજલે ચણિયાચોળી પહેરી હતી. પવને કિંજલ દવેનો એક વીડિયો પણ સગાઈ થયા બાદ શેર કર્યો હતો. જે ખૂબ વાયરલ પણ થયો હતો. જો કે, આ રીતે અચાનક કિંજલની સગાઇ તૂટી જવાના સમાચાર સામે આવતા કિંજલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.