‘આદિપુરુષ’ પર હિન્દુ મહાસભાએ નોંધાવી ફરિયાદ, બોલી-આખી સ્ટાર કાસ્ટ પર થાય કેસ

આદિપુરુષને લઈને વિવાદ થોભતો નજરે પડી રહી નથી. ડાયલોગ્સને લઈને શરૂ થયેલો વિવાદ હવે FIR સુધી આવી ગયો છે. હિંદુમહાસભાએ લખનૌમાં ફિલ્મ વિરુદ્ધ FIR નોંધાવી દીધી છે. ભાર આપીને કહેવામાં આવ્યું છે કે આખી સ્ટાર કાસ્ટ વિરુદ્ધ કેસ થવો જોઈએ. આ અગાઉ હિન્દુ સેનાએ પણ કોર્ટમાં ફિલ્મને બેન કરવાને લઈને અરજી દાખલ કરી હતી. કેટલાક બીજા રાજ્યોમાં પણ વિવાદના સૂર ઉઠી રહ્યા છે. હકીકતમાં આદિપુરુષમાં જે પ્રકારે રામાયણ દેખાડવામાં આવી છે, ઘણા લોકો તેને પસંદ કરી રહ્યા નથી.

ઓમ રાઉતનું આ મોડર્ન વિઝન લોકોને ગળે ઉતરી રહ્યું નથી. તેની ઉપર જે પ્રકારે ડાયલોગ્સ લખવામાં આવ્યા છે, તેણે પણ સોશિયલ મીડિયાની દુનિયામાં મોટો હોબાળો ઊભો કરી દીધો છે. આમ ડાયલોગ તો હવે ફિલ્મના બદલવા જઈ રહ્યા છે. હકીકતમાં ફિલ્મના લેખક મનોજ મુંતશિરે જાહેરાત કરી દીધી છે કે જે પાંચ પંક્તિઓને લઈને સૌથી વધુ વિવાદ છે તેને બદલવામાં આવશે. મેં અને ફિલ્મના નિર્માતા-ડિરેક્ટરે નિર્ણય લીધો છે કે તેઓ કેટલાક સંવાદ જે તમને ઠેસ પહોંચાડી રહ્યા છે, અમે તેને સંશોધિત કરીશું અને આ જ અઠવાડિયે ફિલ્મમાં સામેલ કરવામાં આવશે.

મનોજ મુંતશિરે એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું કે તેને એટલી જલદી જજ કરી લેવામાં આવ્યા. તેમણે કહ્યું કે, બની શકે, 3 કલાકની ફિલ્મમાં મેં 3 મિનિટ કંઈક તમારી કલ્પનાથી અલગ લખી દીધું હોય, પરંતુ તમે મારા મન પર સનાતન દ્રોહી લખવામાં અટલી ઉતાવળ કેમ કરી, હું જાણી ન શક્યો. ભાર આપીને કહેવામાં આવ્યું કે, આ ફિલ્મ સનાતન માટે બનાવવામાં આવી છે અને તેનું ઉદ્દેશ્ય એ જ રહેવું જોઈએ. આમ આ તર્કો વચ્ચે આદિપુરુષની કમાણી પર કોઈ અસર પડી રહી નથી. ફિલ્મ ભારત અને બહાર જબરદસ્ત કમાણી કરી રહી છે. 2 દિવસમાં જ ગ્રાસ કલેક્શન 200 કરોડ પાર થઈ ચૂક્યો છે. એડવાન્સ બુકિંગના આંકડા બતાવે છે કે આગામી દિવસોમાં પણ કમાણીમાં તેજી ચાલુ રહેવાની છે.

ડાયલોગ્સ સહિત તમામ બાબતે નિંદા તો થઈ જ રહી છે. ડિરેક્ટર ઓમ રાઉત આ સમયે સ્પષ્ટતા પણ આપી રહ્યા છે. આ દરમિયાન તેમની એક ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમાં તેમણે હનુમાનજી માટે કંઈક કહ્યું હતું કે, શું ભગવાન હનુમાન બહેરા હતા? મારા બિલ્ડિંગના આસપાસના લોકોને એવું જ લાગે છે? હનુમાન જયંતી પર ખૂબ તેજ મ્યૂઝિક વગાડી રહ્યા છે, મતલબ ખૂબ જ વધારે તેજ, ઉપરથી બધા અપ્રાસંગિક સોંગ.’ આ ટ્વીટ તેમણે વર્ષ 2015માં કરી હતી. જ્યારે આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો તેને ડીલિટ કરી દેવામાં આવી, પરંતુ ત્યાં સુધીમાં તેના સ્ક્રીનશૉટ ચાલવા લાગ્યા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.