પ્રકાશ ઝાએ કહ્યું કે બોલિવુડ કલાકારોને એક્ટિંગ આવડતી નથી, હોલિવુડ પાસે શીખો

આશ્રમ 3ના દિગ્દર્શક પ્રકાશ ઝાએ હવે હોલિવુડ અને બોલિવુડ વચ્ચે બોલિવુડ અને સાઉથ વચ્ચેના વિવાદને જગાડ્યો છે. બોલિવુડ કલાકારોની સ્કિલ્સ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે  બોલિવુડ કલાકારોથી મને ચીઢ છે, તેઓ અભિનય જાણતા નથી. જો કે તેમણે વ્યકિગત કોઇ કલાકારોના નામ આપ્યો નહોતા.

બોલિવુડ વર્સીસસાઉથની ચર્ચા વચ્ચે ફિલ્મમેકર પ્રકાશ ઝાએ બોલિવુડ સ્ટાર્સ વિશે મોટું નિવેદન આપ્યું છે. ગંગાજલ, મૃત્યુદંડ,અફરન' અને ચક્રવ્યુહજેવી ફિલ્મો બનાવી ચુકેલા અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રકાશ ઝા હાલમાં વેબ સિરીઝ 'આશ્રમ 3ને લઈને ચર્ચામાં છે.

પ્રકાશ ઝાને દામુલ અને સોનલ જેવી ફિલ્મો માટે 2 નેશનલ એવોર્ડ મળ્યા હતા. 4 દાયકાથી વધુ સમયથી ફિલ્મો બનાવી રહેલા પ્રકાશ ઝાએ અજય દેવગણથી લઈને શબાના આઝમી, માધુરી દીક્ષિત, ઓમ પુરી, નાના પાટેકર અને રણબીર કપુર સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ પ્રકાશ ઝાને લાગે છે કે બોલિવુડના કલાકારો એક્ટિંગાજાણતા નથી.

હિન્દુસ્તાન ટાઈમ્સ ના અહેવાલમાં જણાવ્યા અનુસાર, ગોફેસ્ટ 2022માં વાતચીત દરમિયાન, પ્રકાશ ઝાએ બોલિવુડ કલાકારોની અભિનય કુશળતા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું, અહીં કલાકારો સાથે કામ કરીને મને ચીઢ આવતી હતી. તેઓ જાણતા જ નથી કે અભિનય શું છે અને શેના માટે છે. આજ સુધી કોઈ પણ કલાકારે મને શૂટના દિવસો વિશે પૂછ્યું નથી કે શૂટનો સમય શું છે, લોકેશન શું છે, કેવી હશે એક્શન સિક્વન્સ અને એવી બીજી બધી બધી બાબતો છે.

પ્રકાશ ઝાએ આગળ કહ્યું, બોલિવુડ અને હોલીવુડના કલાકારો વચ્ચે આ જ મોટો તફાવત છે. હોલીવુડમાં, કલાકારો વર્કશોપમાં હાજરી આપે છે, પ્રેક્ટિસ કરે છે અને તેમની કલાને નિખારે છે. પ્રકાશ ઝાએ જણાવ્યું કે તે પોતાની કુશળતા અને કાર્યને સુધારવા માટે તે વર્કશોપમાં ભાગ લીધો છે. તેણે કહ્યું, હું છુપાઈને જતો હતો અને એક વિદ્યાર્થી તરીકે તે વર્કશોપમાં હાજરી આપતો હતો. આ રીતે હું એક અભિનેતાની ભાષા સમજી શકતો હતો. મેં વર્ગમાં શેક્સપિયર અને અન્ય નાટકો કર્યા, જેનાથી મને વધુ આત્મવિશ્વાસ મળ્યો.


પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત છેલ્લી ફિલ્મ 2019 માં આવી હતી, જેનું નામ પરીક્ષા - ધ ફાઇનલ ટેસ્ટ હતું. તેને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. તે જ વર્ષે, તે ફિલ્મ 'સાંડ કી આંખ માં અભિનેતા તરીકે દેખાયા હતા. 2020 માં, પ્રકાશ ઝાએ બોબી દેઓલને લઇને સુપરહિટ વેબ સીરિઝ આશ્રમબનાવી, હવે ત્રીજો ભાગ એટલે કે આશ્રમ 3રિલીઝ થવા જઈ રહી છે.<

About The Author

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.