શિવરાત્રીના પર્વ પર ભક્તિમય બની સારા અલી ખાન, માથે ચંદન અને ગળામાં..

આખા દેશમાં 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓએ મહાદેવના દર્શન કર્યા હતા. એવામાં બી-ટાઉન પણ પાછળ ન રહ્યું અને તમામ સેલિબ્રિટીઓ પણ શિવરાત્રી માનવતા નજરે પડ્યા. આ અનુસંધાને બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનું નામ પણ જોડાઈ ગયું છે, જ્યાં તે શિવરાત્રીના પર્વના અવસર પર કેદારનાથ પહોંચીને દર્શન કરતી નજરે પડી. સારા અલી ખાને કેદારનાથ પહોંચીને ભગવાન શિવના દર્શન કર્યા.

તેને આ દરમિયાનની ઘણી તસવીર પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરતા મહાદેવનો જયકારો પણ લગાવ્યો. સારા અલી ખાને તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘જય ભોલેનાથ.’ સારા અલી ખાને મહાશિવરાત્રીના અવસર પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં એક્ટ્રેસ ભક્તિના રંગમાં ડૂબેલી નજરે પડી રહી છે. એક્ટ્રેસે કેદારનાથ, ઓમકારેશ્વર, ઉજ્જૈનના મહાકાલ મંદિર સહિત તમામ જગ્યાઓથી તસવીરો શેર કરી છે. જેને જોઈને એ કહેવું ખોટું નહીં હોય કે તે પૂરી રીતે શિવભક્તિમાં રંગાઈ છે. એક્ટ્રેસની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

સારા અલી ખાનની આ તસવીરો પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. તેની સાથે જ કમેન્ટ સેક્શનમાં તેના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ એવા પણ છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, તમે આ મહાશિવરાત્રીમાં ખૂબ જ પ્રિય લાગી રહ્યા છો. બીજાએ એખ યુઝરે લખ્યું ‘જમીન સાથે જોડેલી છોકરી.. સારા અલી ખાન. અન્ય એક યુઝરે લખ્યું લવ યુ સારા અલી ખાન.’ એક યુઝરે લખ્યું કે, ‘સારા ખાન નામ હોવાથી કોઈ મુસ્લિમ હોતું નથી, ઇસ્લામનું પાલન પણ કરવું જોઈએ. તો અન્ય એક યુઝરે લખ્યું, ‘એક મુસ્લિમ એમ કઈ રીતે કરી શકે છે.

એ સિવાય સાઉથ સિનેમાના એક્ટર રામ ચરણે શિવલિંગના દર્શન કરવાની તસવીરો શેર કરીને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. એક્ટ્રેસ મોની રોયે પણ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને મહાશિવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ પણ સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંહ સાથે મંદિરોમાં દર્શન માટે પહોંચી ચૂકી છે. આ અગાઉ પણ તેને ઘણી વખત તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ છે. તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે બધાએ સારા પાસેથી કંઈક શીખવું જોઈએ. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.