ઓસ્કાર 2023 માટે પસંદ થઇ 'કાશ્મીર ફાઇલ્સ' સહિત આ 5 ભારતીય ફિલ્મો

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ખુશીનું ઠેકાણું નથી. એવુ એટલા માટે કારણ કે તેમની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તો અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર બધાને બેસ્ટ એક્ટરની કેટેગરી માટે પસંદ કરવામાં આવ્યા છે. આ વાતની જાણકારી પોતે વિવેક અગ્નિહોત્રીએ આપી છે. 10 જાન્યુઆરીના રોજ અકાદમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટિસ્ટ એન્ડ સાયન્સીસે એ ફિલ્મોનું લિસ્ટ જાહેર કર્યું, જેમને ઓસ્કાર 2023 એટલે કે 95માં અકાદમી એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે, જેમાં 5 ફિલ્મો ભારતની છે.

આ 5 ફિલ્મોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નામ પણ સામેલ છે. પોતાની ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવાથી વિવેક અગ્નિહોત્રીની ખુશી સાતમા આસમાને પહોંચી ગઇ છે. વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટર પર ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, એક મોટું અનાઉન્સમેન્ટ. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ધ અકાદમીએ પોતાની પહેલી લિસ્ટમાં ઓસ્કાર 2023 માટે પસંદ કરી છે. આ વખતે ભારતથી ઓસ્કાર માટે 5 ફિલ્મો પસંદ કરવામાં આવી છે. હું એ બધાને શુભેચ્છા પાઠવું છું. આ વર્ષ ભારતીય સિનેમા માટે ખૂબ સારું રહ્યું છે.

એક અન્ય ટ્વીટમાં વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના સ્ટાર્સને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય આ વખતે ઓસ્કાર 2023ની શોર્ટ લિસ્ટ માટે SS રાજામૌલીની ફિલ્મ ‘RRR’, રિષભ શેટ્ટીની ‘કંતારા’ અને સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ સહિત ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ પણ સામેલ છે. 95માં અકાદમી એવોર્ડ્સની કંટેન્શન લિસ્ટમાં આખી દુનિયાની 301 ફિલ્મો પહોંચી છે.

આ લિસ્ટમાં સામેલ થનારી ફિલ્મો નોમિનેશન સુધી પહોંચવા માટે સભ્યોની વોટિંગ માટે એલિજેબલ થઇ જાય છે. આર માધવનની 'રોકેટરી ધ નમ્બી ઇફેક્ટ્સ', ઇરવિન નિઝલ, કન્નડ ફિલ્મ 'વિક્રાંત રાણા', મરાઠી ફિલ્મ ‘મી વસંત રાવ' અને 'તુઝ્યા સાથી કહી હી’ આ લિસ્ટમાં સામેલ છે. શૌનક સેનાની ડોક્યૂમેન્ટરી ફિલ્મ 'ઓલ ધેટ બ્રીદ્સ' અને કાર્તિકી ગોંજાલ્વિસની 'ધ એલિફંટ વ્હીપરર્સ' કંટેન્શન લિસ્ટમાં પહોંચી છે. કંટેન્શન લિસ્ટમાં આવનારી બધી ફિલ્મો નોમિનેશન માટે પહોંચશે. નોમિનેશન માટે વોટિંગ 12-17 જાન્યુઆરી સુધી વોટિંગ ચાલશે. 24 જાન્યુઆરીના રોજ 95માં અકાદમી એવોર્ડ્સના નૉમિનેશન્સ જાહેર કરવામાં આવશે. એવોર્ડ સન્મારોહ 12 માર્ચના રોજ લોસ એંજલસમાં આયોજિત થશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.