ગેંગસ્ટર બાદ રાવણ બનવા જઇ રહ્યો છે રોકીભાઈ, ‘રામાયણ’માં રિતિકની જગ્યા લેશે?

રોકિંગ સ્ટાર યશનો ભૌકાલ ફેન્સમાં જોરદાર થઇ ચૂક્યો છે. ‘KGF 2’ પછી તો જનતા તેની દિવાની થઇ ચૂકી છે. ફિલ્મની શાનદાર સફળતા બાદથી યશના ફેન્સ તેની આગામી ફીલ્મ વિશે જાણવા માગે છે. જ્યારે, યશે ઓફિશિયલી કોઇ નવો પ્રોજેક્ટ હજુ સુધી એનાઉન્સ નથી કર્યો. જોકે, પોતાના એક ઇન્ટર્વ્યુમાં યશે કહ્યું હતું કે, તે કંઇ મોટુ કરવાની તૈયારીમાં લાગી ગયો છે. પોતાના બર્થડે પર લખેલી નોટમાં યશે કહ્યું હતું કે, હવે તે પોતાના ફેન્સને આ પ્રોજેક્ટની ડિટેલ્સની સાથે જ મળશે.

હવે સામે આવી રહેલા રિપોર્ટ્સ અનુસાર, યશનો મોટો પ્રોજેક્ટ નિતેશ તિવારીની ‘રામાયણ’ હોઇ શકે છે. ‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી મોટી હિટ્સ બનાવી ચૂકેલા નિતેશ તિવારી અને પ્રોડ્યુસર મધુ મંટેનાએ 2019માં ‘રામાયણ’ને મોટી સ્ક્રીન માટે એડોપ્ટ કરવાનું એલાન કર્યું હતું. હવે યશના આ પ્રોજેક્ટ સાથે જોડાવાને લઇને મોટો રિપોર્ટ સામે આવી રહ્યો છે.

પિંકવિલાના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, નીતેશ અને મધુએ યશને પોતાની ફિલ્મમાં રાવણનું પાત્ર ભજવવા માટે એપ્રોચ કર્યો છે. પહેલા નિતેશ તિવારીના ડાયરેક્શનમાં બની રહેલી આ ‘રામાયણ’માં, રાવણના રોલ માટે રિતિક રોશનનું નામ ઓલમોસ્ટ કન્ફર્મ જ હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે, હવે ‘વિક્રમ વેધા’ પછી રિતિક રોશન એક વધુ નેગેટિવ કેરેક્ટર કરવા નથી માગતો. એક ઇવેન્ટમાં રણબીરે કંઇ આ પ્રકારની હિંટ પણ આપી હતી તે કદાચ આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, રોકિંગ સ્ટાર યશ પાસે આ સમયે 4થી 5 સોલિટ સ્ક્રિપ્ટ છે. એવામાં એક જંગલ એડવેન્ચર, એક સાયન્સ ફિક્શન ફિલ્મ અને એક ગેન્ગસ્ટર ડ્રામા પણ છે અને તેમાંથી એક નિતેશ તિવારીની ‘રામાયણ’ પણ છે. સૂત્રો અનુસાર, બન્ને KGF ફિલ્મોની ધુંઆધાર સફળતા બાદ, યશને આવા કેરેક્ટરોની તલાશ છે જે તેની જોરદાર સ્ક્રીન પ્રેઝેન્સ સાથે ન્યાય કરે. રિપોર્ટમાં કહેવાયું છે કે, યશને નિતેશની સ્ક્રિટ અને તેની રામાયણનું પ્રી પિક્ચરાઇઝેશન પસંદ આવ્યું છે.

યશ આ ફિલ્મમાં ઇન્ટરેસ્ટેડ પણ છે. પણ સાઇન કરવા પહેલા કાસ્ટિંગ પૂરી થવાની રાહ જોઇ રહ્યો છે. કારણ કે, આ એક મોટો પ્રોજેક્ટ છે અને તે ચાહે છે કે, કમિટમેન્ટ કરવા પહેલા બધુ પરફેક્ટલી નક્કી થઇ જાય. રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર પણ આ ફિલ્મમાં કામ કરવા માટે હા કરી ચૂક્યો છે, પણ ફાઇનલ સાઇન કરવા પહેલા તે પણ ચાહે છે કે, ફાઇનલ કાસ્ટિંગ થઇ જાય. બીજી બાજુ જ્યાં નિતેશ તિવારી પોતાની ‘રામાયણ’ એડોપ્ટેશનને પૈશનેટ પ્રોજેક્ટ કહી ચૂક્યા છે. જ્યારે, પ્રોડ્યુસર મધુ મંટેના પણ ઇન્ટરવ્યુમાં કહી ચૂક્યા છે કે, ‘રામાયણ’ને ગ્રાન્ડ પ્રોજેક્ટ બનાવવામાં તેઓ કોઇ કસર ન છોડશે.

યશની તરફથી કે મેકર્સના હવાલાથી હજુ કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. પણ જો રણબીર અને યશ ખરેખર રામ રાવણ બનીને આમને સામને હશે, તો થિએટર્સમાં જનતાને મઝા પડી જશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.