એર ઇન્ડિયાના બિઝનેસ ક્લાસ પેસેન્જરના જમવામાં જીવતો કીડો નિકળ્યો, જુઓ વીડિયો

એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં કથિત રીતે તેને પીરસવામાં આવતા ખાવામાં કીડો દેખાય છે. આ વિડિયો મહાવીર જૈન નામના યુઝરે પોસ્ટ કર્યો છે જેણે દાવો કર્યો છે કે મુસાફરી દરમિયાન એર ઇન્ડિયા તરફથી પિરસવામાં આવેલા ભોજનમાં તેમની ડિશમાં જીવતો કીડો નિકળ્યો છે. જો કે એર ઇન્ડિયાના વિમાનમાંથી જમવામાં આ પહેલા એક યાત્રીના ભોજનમાંતી પત્થર નિકળ્યો હોવાની પણ ફરિયાદ થઇ હતી.

 એર ઇન્ડિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને યાત્રી પાસેથી યાત્રાની વિગત માંગી છે જેથી કાર્યવાહી કરી શકાય. મહાવીર જૈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં એવું જોવા મળી રહ્યું છે કે જમવાની ડિશમાં એક કીડો ચાલી રહ્યો છે. એવામાં મહાવીર જૈને વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. મહાવીર જૈને ટ્વીટ કરીને લખ્યું છે કે, એવું લાગે છે કે સાફ-સફાઇનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. મારી ફલાઇટ AI 671 છે અને મુંબઇથી ચેન્નઇની ફ્લાઇટ છે. મહાવીર જૈને લખ્યું કે મારી સીટ નંબર 2સી છે.

આ પછી એર ઈન્ડિયાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. એક ટ્વિટમાં એર ઈન્ડિયાએ લખ્યું, 'પ્રિય મિસ્ટર જૈન, અમારી સાથે ફ્લાઈટ દરમિયાન તમારા અનુભવ વિશે જાણીને અમને ખેદ છે. આ સાંભળવું અમને સારું નથી લાગતું. અમે પ્રક્રિયાના દરેક તબક્કે સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનાં પગલાંનું સખતપણે પાલન કરીએ છીએ. શું તમે કૃપા કરીને તમારી મુસાફરીની તારીખ અને સીટ નંબર સાથે ફ્લાઇટની વિગતો DM કરી શકો છો? અમે સમીક્ષા અને કાર્યવાહી માટે અમારી કેટરિંગ ટીમ સાથે આને તરત જ રજૂ કરીશું.

 આ પહેલાં એ જ દિવસે વધુ આવી જ ઘટના સામે આવી હતી. જાણીતા શેફ સંજીવ કપુરે આ ફરિયાદ કરી હતી. કપુરે કહ્યું હતું કે તેમને એર ઇન્ડિયા દ્રારા જે ખાવાનું પિરસવામાં આવ્યું હતું તે સંતોષ જનક નહોતું. સંજીવ કપુરે લખ્યું કે,  એર ઇન્ડિયાની નાગપુર-મુંબઈ 0740 ફ્લાઈટમાં જે ખાવાનું પિરસવામાં આવ્યું તેમાં ઠંડા ચિકન ટિક્કા સાથે તરબુચ, ટામેટાં અને સેવ આપવામાં આવ્યા હતા. સેન્ડવીચમાં પણ ઠેકાણાં નહોતો. સંજીવ કપુરે કહ્યું કે શું ખરેખર, ભારતીયોને નાસ્તામાં આવું ખાવું જોઇએ? આ પહેલાં જાન્યુઆરી મહિનામાં એક યાત્રીના ભોજનમાંથી કાંકરો નિકળ્યો હતો.

વિમાનમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા લોકો ખાસ્સા રૂપિયા ખર્ચીને ટિકિટ ખરીદતા હોય છે, એવા સમયે આવી લાપરવાહી યાત્રીઓએ ચલાવી જ ન લેવી જોઇએ.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.