પારંપરિક પોશાકમાં કોહલીની રેસ્ટોરાંમાં પ્રવેશ ન મળ્યો, વીડિયો વાયરલ

વિરાટ કોહલીની મુંબઈ સ્થિત રેસ્ટોરાં one8માં એક વ્યક્તિને એન્ટ્રી આપવામાં આવી નહીં. તે વ્યક્તિનું કહેવું છે કે, તેનો ડ્રેસ રેસ્ટોરાંના ડ્રેસકોડ અનુસાર ન હોવાને કારણે તેને પ્રવેશ આપવામાં આવ્યો નહીં. આ વ્યક્તિ વિરાટ કોહલીનો ફેન છે અને તેને રેસ્ટોરાંના આ નિયમથી ઘણી પરેશાની છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં આ વ્યક્તિએ દાવો કર્યો કે, તેને વિરાટ કોહલીની જાણીતી રેસ્ટોરાં one8 કમ્યૂનમાં એન્ટ્રી આપવામાં આવી નહીં. તમિલનાડુના આ વ્યક્તિએ વ્હાઈટ શર્ટ અને મેચિંગ વેષ્ટિ(તમિલનાડુમાં શરીરના નીચેના ભાગને સફેદ કપડાથી લપેટવામાં આવે છે.) પહેરી હતી. વીડિયો રેકોર્ડ કરતા સમયે તે રેસ્ટોરાંની બહાર ઊભો હતો.

એક્સ પર આ વીડિયોને સેન્ડી નામના યૂઝરે શેર કર્યો છે. વાયરલ વીડિયોમાં વ્યક્તિએ દાવો કર્યો કે તેને તેની આ ડ્રેસના કારણે મોંઘી રેસ્ટોરાંમાં એન્ટ્રી આપવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે, મુંબઈમાં JW મેરિએટ હોટલમાં ચેક ઈન કર્યા પછી તે જૂહુ સ્થિત one8માં ગયો. તે સમયે તેને ખૂબ ભૂખ પણ લાગી હતી. એવામાં વિરાટ કોહલીના ફેન તરીકે તેણે તેની આ રેસ્ટોરાંમાં જવાનું મન બનાવ્યું.

યૂઝરનો દાવો છે કે, મેનેજમેન્ટે તેને પ્રવેશ આપ્યો નહીં કારણ કે તેમના અનુસાર પહેરવેશ રેસ્ટોરાંના ડ્રેસ કોડ અનુસાર નહોતો. તેણે લખ્યું કે, રામરાજ કોટનની હાઈ ક્વોલિટીનો ડ્રેસ પહેરવા છતાં મને એન્ટ્રી આપવામાં આવી નહી. નિરાશાની સાથે હું મારી હોટલ પાછી ફરી રહ્યો છું. મને ડાઉટ છે કે તેઓ આના પર કાર્યવાહી પણ કરશે. આશા છે કે આવી ઘટના ફરીવાર ન બને.

તમિલ સંસ્કૃતિનું અપમાન

આ વ્યક્તિએ એવો પણ દાવો કર્યો કે, મેનેજમેન્ટે તમિલ સંસ્કૃતિનું પણ અપમાન કર્યું છે. મારી ભાવના પણ આહત થઇ છે. ઓનલાઈન શેર કર્યા બાદ વીડિયોને 10 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા યૂઝર્સની વચ્ચે ચર્ચા શરૂ થઇ છે.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.