18 વર્ષનો યુવક બ્રેઇન ડેડ થયો પણ અંગદાનથી 6 લોકોની જિંદગીમાં ઓજસ પાથરતો ગયો

સુરતના મોરાભાગળ વિસ્તારમાં રહેતો એક 18 વર્ષનો યુવક પોતાના કામ પર જઇ રહ્યો હતો ત્યાર બાઇક સ્લીપ થઇ જતા તેની માથામાં ગંભીર ઇજા થઇ હતી. હોસ્પિટલમાં દાખલ કર્યો, પરંતુ તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. યુવાનના પરિવારને જ્યારે જાણ થઇ ત્યારે તેમણે બ્રેઇન ડેડ યુવકના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો.સલામ છે આ પરિવારને કે જેમણે પોતાના વ્હાલસોયા પુત્રને ગુમાવવા છતા બીજાને નવી જિંદગી મળે એના માટે વિચાર કર્યો. આ યુવાનને અંગદાનને કારણે 6 લોકોના જીવનમાં ઓજસ પથરાયો છે અને તેમાં પણ એક યુવાનના હ્રદયમાં બ્રેઇન ડેડ યુવાનનું દિલ ટ્રાન્સફર પણ કરી દેવામાં આવ્યું છે. આ આખું ભગીરથ કામ અંગદાન માટે કામ કરતી સંસ્થા ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાળા અને ટીમની મહેનતને કારણે શક્ય બન્યું. અફકોર્સ, તબીબો અને અન્ય લોકોનું પણ તેમાં યોગદાન હતું.

વર્ષ 2022ના અંતિમ દિવસની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે, સુરતમાં એક અંગદાનની ઘટના સામે આવી છે. મોરાભાગળ વિસ્તારમાં રહેતા  હિરલ વિજયભાઇ મહિડા 29 સપ્ટેમ્બરે બાઇક પરથી સ્લીર થયો હતો અને તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. હિરલને પહેલાં લાઇફ લાઇન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. CT- SCAN કરાવ્યું ત્યારે ખબર પડી કે હિરલને બ્રેઇન હેમરેજ થયું છે. પરિવારે હિરલને એ પછી કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યો.

જ્યાં 30 ડિસેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ડૉ. ધીરેન હાડા, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે હિરલને બ્રેઈનડેડ જાહેર કર્યો.

જ્યારે ડોનેટ લાઇફ સંસ્થાના નિલેશ માંડલેવાલાને બ્રેઇન ડેડ યુવાન વિશે જાણકારી મળી તો તેમણે કિરણ હોસ્પિટલના ડો. મેહુલ પંચાલને સાથે રાખીને હિરલના માતા-પિતા અને અન્ય સ્વજનોને અંગદાન વિશે સમજ આપી.પરિવારે કહ્યું કે આમ પણ અમે સામાન્ય લોકો છીએ, કોઇને કશું દાનમાં આપી શકીએ તેવી સ્થિતિમાં નથી, હવે અમારો દિકરો દુનિયામાં રહ્યો જ નથી તો એના અંગદાનથી કોઇકનું જીવન સુધરતું હોય તો અમે અંગદાન કરવા માટે તૈયાર છીએ.

હિરલનાહ્રદય, કિડની, લીવર અને ચક્ષુ દાનની પરિવારે પરવાનગી આપી.દિલ પત્થર મુકીને એક સામાન્ય પરિવારે માનવતાને મહેંકાવી દીધી છે. હિરલના પિતા સ્મીમેરમાં સફાઇ કર્મચારી તરીકે કામ કરે છે. પરિવારે તો અંગદાનની સંમતિ આપી દીધી એ પછી ખરી મહેનત ડોનેટ લાઇફની ટીમની હતી. હિરલના હ્રદયને કિરણ હોસ્પિટલથી મહાવીર હોસ્પિટલમાં ટાઇમ પર પહોંચાડવાનું હતું. અંકલેશ્વરના એક 17 વર્ષના યુવાનને હાર્ટની બિમારી હતી અને તેને મહાવીરમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગ્રીન કોરીડોર રચીને કિરણ હોસ્પિટલથી મહાવીર સુધી હિરલના દિલને પહોંચાડવામાં આવ્યું અને મહાવીરમાં દાખલ યુવાનમાં પ્રત્યારોપણ કરી દેવામાં આવ્યું.

સુરતની મહાવીર હોસ્પીટલના ડો. નિરજ કુમાર, ડૉ. સંદીપ સિંહા, ડૉ જસવંત પટેલ અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, લિવર અને કિડનીનું દાન કિરણ હોસ્પીટલના ડો. ધર્મેશ ધાનાણી, ડૉ. સુનીલ કુમાર સિંગ, ડૉ. અનુરાગ શ્રીમાલ, ડૉ. ગૌરવ પટેલ, ડૉ. મિતુલ શાહ, ડૉ. પ્રશાંત રાવ, ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ નમા, ડૉ.જીગ્નેશ ઘેવરીયા, ડો.પ્રમોદ પટેલ, ડો.મુકેશ આહીર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન ડૉ.સંકીત શાહે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલ હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ અંક્લેશ્વરના 17 વર્ષીય યુવકમાં સુરતની મહાવીર હોસ્પીટલમા ડો. અન્વય મુલે, ડૉ. જગદીશ માંગે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભરૂચના રહેવાસી 34 વર્ષીય વ્યક્તિમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 49 વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 61 વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.

સુરતથી ડોનેટ લાઈફ દ્વારા 43માં હૃદયનું દાન કરાવવામાં આવ્યુ છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ડોનેટ લાઇફ સંસ્થા અંગદાનમાં અનેક લોકોના જીવનમાં રોશની ફેલાવવાનું મહાન કામ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.