સુરતમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા, તમે આના પર શું કહેશો?

સુરતના આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા હતા. આ વાતની પાર્ટીના પહેલા 4 અને નવા 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો. આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ઉધાનમાં આવેલા ભાજપ કાર્યાલયે પહોંચીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના મોટા નોતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાવાના છે તેમના નામ સામે આવ્યા છે. વોર્ડ નંબર-5ના કોર્પોરેટર અશોક ધામી, વોર્ડ નંબર-5ના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા,  વોર્ડ નંબર-17ના મહિલા કોર્પોરેટર સ્વાતિ ક્યાડા, વોર્ડ નંબર-5ના કોર્પોરેટર કિરણ ખોખાણી, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર-3ના મહિલા કોર્પોરેટર ઋતા ખેની, વોર્ડ નંબર-8ના મહિલા કોર્પોરેટર જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર-2ના મહિલા કોર્પોરેટર ભાવના સોલંકી, વોર્ડ નંબર-16ના કોર્પોરેટર વિપુલ મોવલિયાનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના આ 10 કોર્પોરેટરો ભાજપ કાર્યાલયે જોડાયા છે. સુરત આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપ જોડાયા બાદ હવે માત્ર વિરોધ પક્ષમાં 17 કોર્પોરેટર રહ્યા છે. તો દિલ્હીના કથિત આબકારીનીતિ કૌભાંડના કેસમાં મનિષ સિસોદિયા બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ આ કેસમાં શુક્રવારે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલની સવારે 11:00 વાગ્યે પૂછપરછ માટે પોતાની ઓફિસ બોલાવ્યા છે.

તપાસ એજન્સીએ પોતાની નોટિસમાં કહ્યું છે કે, નવી આબકારી નીતિ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, CBI આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સિસોદિયા હાલમાં તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ પ્રકારનો આરોપ છે કે દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂના વેપારીઓનું લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો, જેમણે કથિત રીતે તેના માટે લાંચ આપી હતી. જો કે, આમ આદમી પાર્ટીને આ આરોપોનું ખંડન કર્યું હતું. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ પછી પાછી લઈ લીધી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.