સુરતમાં આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા, તમે આના પર શું કહેશો?

સુરતના આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા હતા. આ વાતની પાર્ટીના પહેલા 4 અને નવા 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. કુલ 10 કોર્પોરેટરો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો. આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ઉધાનમાં આવેલા ભાજપ કાર્યાલયે પહોંચીને ભાજપમાં જોડાયા હતા. ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના મોટા નોતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આમ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાવાના છે તેમના નામ સામે આવ્યા છે. વોર્ડ નંબર-5ના કોર્પોરેટર અશોક ધામી, વોર્ડ નંબર-5ના મહિલા કોર્પોરેટર નિરાલી પટેલ, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયા,  વોર્ડ નંબર-17ના મહિલા કોર્પોરેટર સ્વાતિ ક્યાડા, વોર્ડ નંબર-5ના કોર્પોરેટર કિરણ ખોખાણી, વોર્ડ નંબર-4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, વોર્ડ નંબર-3ના મહિલા કોર્પોરેટર ઋતા ખેની, વોર્ડ નંબર-8ના મહિલા કોર્પોરેટર જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર-2ના મહિલા કોર્પોરેટર ભાવના સોલંકી, વોર્ડ નંબર-16ના કોર્પોરેટર વિપુલ મોવલિયાનો સમાવેશ થાય છે.

આમ આદમી પાર્ટીના આ 10 કોર્પોરેટરો ભાજપ કાર્યાલયે જોડાયા છે. સુરત આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપ જોડાયા બાદ હવે માત્ર વિરોધ પક્ષમાં 17 કોર્પોરેટર રહ્યા છે. તો દિલ્હીના કથિત આબકારીનીતિ કૌભાંડના કેસમાં મનિષ સિસોદિયા બાદ હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી શકે છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ આ કેસમાં શુક્રવારે અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે. CBIએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલની સવારે 11:00 વાગ્યે પૂછપરછ માટે પોતાની ઓફિસ બોલાવ્યા છે.

તપાસ એજન્સીએ પોતાની નોટિસમાં કહ્યું છે કે, નવી આબકારી નીતિ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, CBI આ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. સિસોદિયા હાલમાં તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આ પ્રકારનો આરોપ છે કે દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિમાં દારૂના વેપારીઓનું લાઇસન્સ આપવા માટે કેટલાક ડીલરોને ફાયદો પહોંચાડવામાં આવ્યો, જેમણે કથિત રીતે તેના માટે લાંચ આપી હતી. જો કે, આમ આદમી પાર્ટીને આ આરોપોનું ખંડન કર્યું હતું. દિલ્હી સરકારે નવી આબકારી નીતિ પછી પાછી લઈ લીધી હતી.

Related Posts

Top News

ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ 40 કિમી ફરવાને બદલે લોકો કોઈપણ સુરક્ષા વગર હોડીમાં નદી પાર કરે છે

વડોદરા-આણંદ વચ્ચે આવેલો ગંભીરાબ્રિજ 9 જુલાઈએ તૂટી પડ્યો હતો જેમાં કેટલાક વાહનો મહિસાગર નદીમાં ખાબક્યા હતા, જેના કારણે 21...
Gujarat 
ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ 40 કિમી ફરવાને બદલે લોકો કોઈપણ સુરક્ષા વગર હોડીમાં નદી પાર કરે છે

એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?

આજે એક એવા મલ્ટીબેગર સ્ટોકની વાત કરવી છે જેણે રોકાણકોરાને ન્યાલ કરી દીધા છે. કોઇ રોકાણકારે જો 1 વર્ષ પહેલાં...
Business 
એક એવો મલ્ટીબેગર શેર કે 1 લાખના 84 લાખ થઇ ગયા, તમારી પાસે છે?

‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

રાહુલ ગાંધીની નજરમાં, આજે અંગ્રેજી વિના પ્રગતિ શક્ય નથી. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના...
National 
‘હિન્દી-તામિલ-મરાઠી તો ઠીક, પરંતુ પ્રોગ્રેસ જોઇએ તો આ ભાષા શીખવાની રાહુલ ગાંધીએ સલાહ આપી

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.