સુરતના પરિવારે સ્પાઇડર પ્લાન્ટના કુંડા પર બનાવડાવી આમંત્રણ પત્રિકા

તમે લગ્નની ભાત-ભાતની કંકોત્રીઓ જોઈ હશે, કંકોત્રીઓ લખેલા કેટલાક લખાણો પણ લોકોના ધ્યાન ખેંચી જતાં હોય છે. કેટલાક લોકો ઘટનાઓથી પ્રેરાઇને એ રીતે પ્રિંટિંગ કરાવતા હોય છે. ત્યારે સુરતના એક પરિવારે અનોખી કંકોત્રી બનાવડાવી ચર્ચા મેળવી છે.  સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરી વંશિકાના લગ્ન માટે એક અનોખી પહેલ કરી છે. મિતુલ લંકાપતિને મનમાં વિચાર આવ્યો કે લગ્નની કંકોત્રી દ્વારા દરેક સગાં-સંબંધી સુધી પર્યાવરણની જાગૃતિનો સંદેશો પહોંચાડવો.

તેમની પુત્રી વંશિકાના લગ્ન 6 ફેબ્રુઆરી, 2026ના રોજ નિર્ધારિત થયા છે. અને તેમની નિમંત્રણ પત્રિકા કોઈ કાગળ કે કાર્ડ પર નહીં, પરંતુ ઓક્સિજન આપનાર ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છાપવામાં આવ્યો. આ નિર્ણયથી ન માત્ર સમાજ, પરંતુ સમગ્ર સુરતમાં ચર્ચા થઈ રહી છે. જેના લગ્ન થવાના છે અને નવી જિંદગીની શરૂઆત કરવા જઇ રહી છે એવી વંશિકા લંકાપતિએ આ અનોખા વિચાર પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે મારા પિતાએ આ આઈડિયા આપ્યો ત્યારે એ ખૂબ જ યુનિક અને ગમી ગયો હતો. મેં પિતાને કહ્યું કે આપણે કંઈક આવું જ કરવાનું છે. લોકોને પણ ખબર પડે કે ઇકોફ્રેન્ડલી કંકોત્રીની જરૂર છે. આ એન્વાયર્નમેન્ટલ પોર્ટ્સ છે, જે લોકો ઘરે પણ રાખી શકે છે.

Lankapati-family
divyabhaskar.co.in

તો વંશિકાની માતા પૂનમ લંકાપતિએ અંગે કહ્યું કે જ્યારે તમે ઈકો-ફ્રેન્ડલી ઇન્વિટેશન કોઈને આપો છો, તો લોકોને એક સંદેશ જાય છે કે આવી રીતે તમે પણ કોઈને આમંત્રણ આપી શકો છો. આ આમંત્રણ દ્વારા તેઓ માત્ર દીકરીના લગ્નનો આનંદ જ નથી વહેંચી રહ્યા, પર્તું એક મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપી રહ્યા છે કે ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ અપનાવીને આપણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેની કાળજી લઈ શકીએ છીએ.

મોટા ભાગનાં લગ્નોમાં હજારો કે લાખો રૂપિયા કંકોત્રી પાછળ ખર્ચવામાં આવે છે, જેનો અંતિમ મુકામ કચરો કે પસ્તી હોય છે. લંકાપતિ પરિવારની આ પહેલ આર્થિક વ્યય અને પર્યાવરણનાં નુકસાન સામે એક મજબૂત સંદેશ છે. પર્યાવરણની જાગૃતિ માટે આ પ્રકારની કંકોત્રી દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Invitation-Card1
divyabhaskar.co.in

આ આમંત્રણ માટે સ્પાઇડર પ્લાન્ટને પસંદ કરવામાં આવ્યો છે, જે એક લોકપ્રિય, સરળતાથી ઊગતો અને ઘરમાં રાખવા માટે ઉત્તમ ઇન્ડોર પ્લાન્ટ છે. આ છોડની ગણતરી હવા શુદ્ધ કરવામાં સૌથી અસરકારક પ્લાન્ટોમાં થાય છે. એ ઘરના વાતાવરણમાં રહેલાં ઝેરી કેમિકલ્સ, જેવાં કે કાર્બન મોનોક્સાઇડ, ઝાઈલિન અને ફોર્માલ્ડિહાઇડને દૂર કરીને ચોખ્ખી હવા પૂરી પાડે છે. આ પ્લાન્ટ મહેમાનોને એક જીવંત ભેટ તરીકે મળશે, જે ઘરમાં ઓક્સિજનનું સ્તર વધારશે, સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે અને સકારાત્મકતા ફેલાવશે. આ રીતે લંકાપતિ પરિવારે આમંત્રણની સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણની કાળજીનો સંદેશ પણ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

ઓલાના સ્કૂટર અને તેમની ખરાબ સર્વિસ વિશે કોઈપણ ટિપ્પણી કરવી સમયનો બગાડ છે, કારણ કે કંપનીના અનેક દાવાઓ છતાં...
Tech and Auto 
રાજકોટમાં નવી OLA ઈલેક્ટ્રિક લઈને શો-રૂમની બહાર નીકળ્યો અને સર્વિસ સેન્ટર લઈ જવી પડી, જ્યાં 2 મહિનાથી...

સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

દિલ્હીની એક મહિલાએ તબીબી બેદરકારીના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. તેનો દાવો છે કે, પિત્તાશયની સર્જરી દરમિયાન ડોક્ટરે ભૂલથી ખોટી...
National 
સર્જરીમાં ડોક્ટરે ખોટી નસ કાપી દીધી, પૂછ્યું તો કહ્યું- 'અલ્લાહની મરજી' હતી

આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

યુરોપમાં વધતા ઇમિગ્રેશન અને ઇસ્લામીકરણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, ડેનમાર્ક હવે એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું...
World 
આ યુરોપિયન દેશ નમાજ માટે અઝાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યો છે

અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા

ભાવનગર વન વિભાગ દ્વારા અંધશ્રદ્ધા અને વન્યજીવ શિકારનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. ભાવનગર એરપોર્ટ...
Gujarat 
અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.