સુરતના પરિવારે સ્પાઇડર પ્લાન્ટના કુંડા પર બનાવડાવી આમંત્રણ પત્રિકા

તમે લગ્નની ભાત-ભાતની કંકોત્રીઓ જોઈ હશે, કંકોત્રીઓ લખેલા કેટલાક લખાણો પણ લોકોના ધ્યાન ખેંચી જતાં હોય છે. કેટલાક લોકો ઘટનાઓથી પ્રેરાઇને એ રીતે પ્રિંટિંગ કરાવતા હોય છે. ત્યારે સુરતના એક પરિવારે અનોખી કંકોત્રી બનાવડાવી ચર્ચા મેળવી છે.  સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા લંકાપતિ પરિવારે તેમની દીકરી વંશિકાના લગ્ન માટે એક અનોખી પહેલ કરી છે. મિતુલ લંકાપતિને મનમાં વિચાર આવ્યો કે લગ્નની કંકોત્રી દ્વારા દરેક સગાં-સંબંધી સુધી પર્યાવરણની જાગૃતિનો સંદેશો પહોંચાડવો.

તેમની પુત્રી વંશિકાના લગ્ન 6 ફેબ્રુઆરી, 2026ના રોજ નિર્ધારિત થયા છે. અને તેમની નિમંત્રણ પત્રિકા કોઈ કાગળ કે કાર્ડ પર નહીં, પરંતુ ઓક્સિજન આપનાર ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છાપવામાં આવ્યો. આ નિર્ણયથી ન માત્ર સમાજ, પરંતુ સમગ્ર સુરતમાં ચર્ચા થઈ રહી છે. જેના લગ્ન થવાના છે અને નવી જિંદગીની શરૂઆત કરવા જઇ રહી છે એવી વંશિકા લંકાપતિએ આ અનોખા વિચાર પર આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે મારા પિતાએ આ આઈડિયા આપ્યો ત્યારે એ ખૂબ જ યુનિક અને ગમી ગયો હતો. મેં પિતાને કહ્યું કે આપણે કંઈક આવું જ કરવાનું છે. લોકોને પણ ખબર પડે કે ઇકોફ્રેન્ડલી કંકોત્રીની જરૂર છે. આ એન્વાયર્નમેન્ટલ પોર્ટ્સ છે, જે લોકો ઘરે પણ રાખી શકે છે.

Lankapati-family
divyabhaskar.co.in

તો વંશિકાની માતા પૂનમ લંકાપતિએ અંગે કહ્યું કે જ્યારે તમે ઈકો-ફ્રેન્ડલી ઇન્વિટેશન કોઈને આપો છો, તો લોકોને એક સંદેશ જાય છે કે આવી રીતે તમે પણ કોઈને આમંત્રણ આપી શકો છો. આ આમંત્રણ દ્વારા તેઓ માત્ર દીકરીના લગ્નનો આનંદ જ નથી વહેંચી રહ્યા, પર્તું એક મહત્ત્વપૂર્ણ સંદેશ પણ આપી રહ્યા છે કે ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ અપનાવીને આપણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંનેની કાળજી લઈ શકીએ છીએ.

મોટા ભાગનાં લગ્નોમાં હજારો કે લાખો રૂપિયા કંકોત્રી પાછળ ખર્ચવામાં આવે છે, જેનો અંતિમ મુકામ કચરો કે પસ્તી હોય છે. લંકાપતિ પરિવારની આ પહેલ આર્થિક વ્યય અને પર્યાવરણનાં નુકસાન સામે એક મજબૂત સંદેશ છે. પર્યાવરણની જાગૃતિ માટે આ પ્રકારની કંકોત્રી દ્વારા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

Invitation-Card1
divyabhaskar.co.in

આ આમંત્રણ માટે સ્પાઇડર પ્લાન્ટને પસંદ કરવામાં આવ્યો છે, જે એક લોકપ્રિય, સરળતાથી ઊગતો અને ઘરમાં રાખવા માટે ઉત્તમ ઇન્ડોર પ્લાન્ટ છે. આ છોડની ગણતરી હવા શુદ્ધ કરવામાં સૌથી અસરકારક પ્લાન્ટોમાં થાય છે. એ ઘરના વાતાવરણમાં રહેલાં ઝેરી કેમિકલ્સ, જેવાં કે કાર્બન મોનોક્સાઇડ, ઝાઈલિન અને ફોર્માલ્ડિહાઇડને દૂર કરીને ચોખ્ખી હવા પૂરી પાડે છે. આ પ્લાન્ટ મહેમાનોને એક જીવંત ભેટ તરીકે મળશે, જે ઘરમાં ઓક્સિજનનું સ્તર વધારશે, સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે અને સકારાત્મકતા ફેલાવશે. આ રીતે લંકાપતિ પરિવારે આમંત્રણની સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણની કાળજીનો સંદેશ પણ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.