કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના ઉપયોગ પર ક્રાંતિકારી સંશોધન માટે AM/NS India અને ICAR-IARIએ હાથ મિલાવ્યા

સુરત , સપ્ટેમ્બર 01, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ – ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-IARI)એ આજે કૃષિ ક્ષેત્રે આયર્ન ઓર (અયસ્ક) ટ્રેઇલિંગ્સના ટકાઉ ઉપયોગ અંગે અદ્યતન સંશોધન હાથ ધરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. જે ભારતમાં સર્ક્યુલર અર્થતંત્ર અને સંસાધન સંરક્ષણ તરફનું એક નોંધપાત્ર પગલું છે.

આ સમજૂતી કરાર પર ડો. વિશ્વનાશન એન., હેડ – રિસર્ચ એન્ડ ડેવોલપમેન્ટ, AM/NS India અને ડો. સી. વિશ્વનાથન, સંયુક્ત નિર્દેશક (સંશોધન), ICAR-IARI દ્વારા ડો. ભૂપિન્દર સિંઘ, મુખ્ય વૈજ્ઞાનિક અને તપાસકર્તા ICAR-IARI સહિત બંને સંસ્થાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સહયોગ વર્ષ 2024માં AM/NS India અને ICAR-IARI વચ્ચે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સની ટકાઉતા શોધવા માટે શરૂ કરવામાં આવેલા પ્રાથમિક અભ્યાસોને પ્રોત્સાહિત કરવા પર આધારિત છે, કારણ કે આયર્ન ઓરના બેનેફિકેશન (શુદ્ધિકરણ) દરમિયાન ઉત્પન્ન થતા આયર્ન ઓર ટ્રેઇલિંગ્માં કુદરતી બનતા ખનીજો જેવા કે સિલિકા, આયર્ન ઓક્સાઇડ્સ, એલ્યુમિના, કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા અન્ય સૂક્ષ્મ અને લાભદાયી પોષકતત્વો હોવાનું જાણવા મળ્યું છે, જેનો ઉપયોગ પાક ઉત્પાદન અને જમીનનાં સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે કરી શકાય છે.

શરૂઆતમાં પ્રયોગશાળા અને ક્ષેત્રીય અભ્યાસ નવી દિલ્હીના ICAR-IARI અને છત્તીસગઢના કિરનદુલમાં AM/NS Indiaના બેનેફિકેશન સુવિધા નજીક હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન આશાસ્પદ પરિણામો મળ્યા હતા. સંશોધનમાં ડાંગર, ઘઉં અને શાકભાજી સહિતના પાકો માટે આવશ્યક અને લાભદાયક ખનીજ પોષકતત્વોના સ્ત્રોત તરીકે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સનો ઉપયોગ કરવા માટેની સંભાવના દર્શાવવામાં આવી હતી.

પ્રવર્તમાન એમઓયુ નવી દિલ્હીના ICAR-IAR ખાતે અને કિરનદુલુમાં AM/NS India ખાતે હાથ ધરાનારા અનેક ઋતુઓમાં લાંબા ગાળાના વૈજ્ઞાનિક અભ્યાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી પાકના પ્રતિસાદ, પોષક ઉપલબ્ધતા, ફાઇટો-ટોક્સિસિટી, લિચિંગ લાક્ષણિકતાઓ અને એકંદર પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરી શકાય. આ સંશોધનનો ઉદ્દેશ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાને સ્થાપિત કરવાનો છે, જે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને સક્ષમ અને સુનિશ્ચિત કરી શકે. આ ખાણની બાય-પ્રોડક્ટ્સના લાંબા ગાળાના સંગ્રહ માટેની જરૂરિયાતને ઘટાડવામાં સહાય કરશે.

35

આ અભૂતપૂર્વ સંશોધન સહયોગનો ઉદ્દેશ ખાણ ક્ષેત્રની બાય-પ્રોડક્ટ્સ પૈકીની એક માટે ટકાઉ ઉકેલ શોધવાનો છે, જે કૃષિ ઉત્પાદકતા અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં પણ યોગદાન આપશે. અગ્રણી વૈજ્ઞાનિક પ્રોયોગો અને ચકાસણી દ્વારા, આ પ્રોજેક્ટ આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને પ્રોત્સાહિત કરતા ટેકનોલોજીકલ નવીનીકરણ પૂરા પાડવાનો પ્રયત્ન કરશે, આ ઉપરાંત તે કુદરતી સંસાધન સંરક્ષણ, કચરાના ન્યુનતમીકરણ અને પર્યાવરણીય રીતે ટકાઉ વ્યવસ્થાપનમાં સહાય કરશે, કચરો ઘટાડશે, રાસાયણિક ખાતરોની આયાત ઘટાડશે અને કૃષિમાં વન હેલ્થ અભિગમને ટેકો આપશે, સાથે-સાથે તે લાંબાગાળાના સંગ્રહની આવશ્યકતા હોય એવી સામગ્રીઓમાંથી મૂલ્ય અને સંપત્તિનાં સર્જનની તકો ઊભી કરશે.

હિરૂ ઇશિબાશી, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – ટેકનોલોજી, AM/NS Indiaએ જણાવ્યું હતું કે: “AM/NS India ખાતે, ટકાઉપણું અને નવીનતા એક સાથે ચાલે છે. ICAR-IAR સાથેનો આ સહયોગ વિજ્ઞાન આધારિત સંશોધન મારફતે આયર્ન ઓર ટ્રેએલિંગ્સની સંભાવનાને અનલોક કરવા માટેના અગ્રણી પ્રયાસોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. જો સફળ રહેશે તો, આ પહેલ ટકાઉ કૃષિ અને સંસાધન સંરક્ષણને ટેકો આપતી વખતે બાય-પ્રોડક્ટના સંગ્રહ સાથે સંકળાયેલા પર્યાવરણીય પ્રભાવને ઘટાડીને લાભદાયક પરિણામો લાવી શકે છે. તે સર્ક્યુલર અર્થંત્રના ઉકેલોને આગળ ધપાવવા માટેની અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી ઉદ્યોગ અને સમાજ બંનેને લાભ થાય.”

ડો. ભૂપિન્દર સિંઘે, પ્રોજેક્ટના મુખ્ય તપાસકર્તાએ જણાવ્યું હતું કે: “આ ખેતી, ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન તેમના લાભદાયક ઉપયોગોને વિકસાવવા માટે પૂર્વશરત છે. હકીકતમાં, કચરાનું મૂલ્યાંકન ટકાઉ કૃષિ અને પર્યાવરણ માટે સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. અમારા આરંભિક પ્રયાસોએ કૃષિ પ્રણાલીમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સંભવિત ઉપયોગ અંગે પ્રોત્સાહક સંકેતો દર્શાવ્યા છે. આ AM/NS India સાથેના લાંબા ગાળાના સહયોગી કાર્યક્રમ મારફતે, અમે કૃષિ કામગીરી, પર્યાવરણીય સુરક્ષા અને પોષકતત્વોની ગતિશીલતા પર સમગ્રલક્ષી વૈજ્ઞાનિક ડેટા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ, જે ખાસ કરીને નબળી અને બિનઉપજાઉ જમીનમાં આયર્નની ઉણપને દૂર કરવા અને બાયોફોર્ટિફિકેશનના પ્રયત્નોને ટેકો આપવા માટે કૃષિ ઉત્પાદોમાં આયર્નનું પ્રમાણ સુધારવા માટે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના જવાબદાર ઉપયોગ માટે પુરાવા-આધારિત માર્ગો વિકસાવવામાં સહાય કરી શકે છે.” 

ICAR-IAR સાથેના સહયોગથી ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનાં મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરણ માટેના સંભવિત માર્ગોનો વધુ વિસ્તાર થાય છે, જે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક લાભમાં યોગદાન આપે છે.

આ પહેલ AM/NS Indiaની વ્યાપક ટકાઉપણાની વ્યુહરચના સાથે સંરેખિત છે, જે સંશાધન અસરકારકતા, કચરાનાં મૂલ્યાંકન અને સર્ક્યુલર અર્થતંત્રની પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની સંશાધનોના ઉપયોગને વધારવા માટે ઘણી પહેલોનો અમલ કરી રહી છે, જેમાં મોટા પાયે સ્ટીલ સ્ક્રેપ રિસાઇકલિંગ, આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે સ્ટીલ સ્લેગનું તેની બ્રાન્ડેડ એગ્રીગેટ પ્રોડક્ટ “આકાર” માં રૂપાંતરણ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ મારફતે વ્યાપક જળ રિસાઇક્લિંગ, અને તેની કામગીરીમાં ઉત્પન્ન થતી 90%થી વધુ બાય-પ્રોડક્ટસનો પુનઃઉપયોગ અથવા રિસાઇક્લિંગનો સમાવેશ થાય છે.

About The Author

Top News

પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના ગ્રુપ ફોટોમાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિના ફોટાને કાપી નાખ્યો, જેથી...
National 
પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પાછા ફરવાની રાહ જોઈ રહેલા ચાહકોને થોડી વધુ રાહ જોવી પડી શકે છે. હાર્દિક...
Sports 
હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ઓરેકલ ફરી એક વખત મોટી છટણી કરવાની તૈયારી કરી રહી છે, જેની અસર ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ પર જોવા...
Business 
ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-09-2026 દિવસ: બુધવાર મેષ: સમય સારો છે, લાંબા સમયનું રોકાણ કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓને તમે પહોંચી વળશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.