CM ભૂપેન્દ્ર પટેલના દીકરાને રિલાયન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરાશે, જાણો કેવી છે તબિયત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતના રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લાં 16 દિવસથી બ્રેઇન સ્ટોકને કારણે સારવાર લઇ રહેલા અનુજ હવે કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટર પણ હટાવી લેવામાં આવ્યા છે.જાણવા મળેલી માહિતી મુજબ હવે તેમને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.તબીબોનું કહેવું છે કે અનુજને સંપૂર્ણ રિકવરી આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. પરંતુ ગુજરાતના CM અને તેમના પરિવાર માથેથી અત્યારે તો ચિંતાના વાદળો દુર થયા છે અને બધાએ રાહતની શ્વાસ લીધી છે.

મુંબઇની હિંદુજા હોસ્પિટલે મંગળવારે બહાર પાડેલા હેલ્થ બુલેટીનમાં જણાવ્યું હતું કે ગુજરાતાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે અને તેઓ કોમામાંથી બહાર આવી ગયા છે. બધા વેન્ટીલેટર સપોર્ટ દુર કરી દેવામાં આવ્યા છે. હિંદુજા હોસ્પિટલના બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે અનુજની સંપૂર્ણ રિકવરીમાં હજુ થોડો સમય લાગી શકે છે. તેમને ટુંક સમયમાં મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે.

રીયલ એસ્ટેટ બિઝનેસ સાથે સંકળાયેલા અનુજ પટેલને 30 એપ્રિલે બ્રેઇન સ્ટોક આવ્યો હતો અને તેમને તાત્કાલિક અમદાવાદની કે ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યા હતા. અનુજનું અહીં ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમના આરોગ્યમાં સુધારો ન આવતા એર એમ્બ્યુલન્સથી મુંબઇની હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના પરિવાર માટે ચિંતાનો વિષય એ હતો કે અનુજ કોમામાં હતા અને તેમને વેન્ટીલેટર પર ICUમાં સારવાર આપવામાં આવી રહી હતી. લગભગ 15 દિવસ સુધી અનુજ કોમામાં હોવાને કારણે પરિવારનો જીવ તાળિયે ચોંટેલો હતો. જો કે 16 મે ,મંગળવારે રાહતના સમાચાર આવ્યા કે અનુજ કોમામાંથી બહાર આવી ગયા છે અને વેન્ટીલેટરના બધા સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યા છે.

અનુજ પટેલને જે બ્રેઇન સ્ટોકનો હુમલો આવ્યો છે તેના કારણો વિશે તબીબોનું કહેવું છે કે જ્યારે મગજ સુધી લોહી પહોંચાડનારી ધમનીને નુકશાન થાય છે ત્યારે બ્રેઇન સ્ટોક આવે છે. અથવા એમાં બ્લોકેજ થવાને કારણે મગજ સુધી લોહી પહોંચતું નથી. અમેરિકાની સૌથી મોટી આરોગ્ય એજન્સી CDCના કહેવા મુજબ ઓક્સિજન નહીં પહોંચવાને કારણે મગજની જે કોશિકાઓ હોય છે તે ગણતરીની પળોમાં નાશ પામે છે અને એ રીતે બ્રેઇન સ્ટોક આવે છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.