જીભની સારવારમાં મહિલાનું મોત, શાંતેશ્વર હોસ્પિટલના ડો. દલાલને 2.5 લાખનો દંડ

મહિલાને થયેલ જીભની સારવારમાં બેદરકારી દર્શાવનાર બિલ્લીમોરા- નવસારીની શાંતેશ્વર હોસ્પિટલ અને તેના ENT સર્જન ડો. રાજન દલાલને કસુરવાર ઠેરાવી અવસાન પામેલ મહિલા દર્દીના પતિને રૂ 2.5 લાખ નું વળતર 9 ટકા વ્યાજ સહિત ચુકવી આપવાનો આદેશ નવસારી જિલ્લા ગ્રાહક તકરાર કમિશનના પ્રમુખશ્રી કે,જે, દસોંદી અને સભ્યશ્રી જે.એમ. મેવાવાલાએ કરેલ છે.

ફુલચંદભાઇ પુન્નુભાઈ વિશ્વકર્માએ એડવોકેટ ઇશાન શ્રેયસ દેસાઇ મારફત બિલિમોરા-નવસારી શાંતેશ્વર હોસ્પિટલ તેમજ ડો. રાજન દલાલ ENT સર્જન વિરુધ્ધ નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ દાખલ કરેલ ફરિયાદની સંક્ષિપ્ત હકીકત એવી છે કે, પરચુરણ સુથારી કામ કરતા ફરિયાદી ફુલચંદ વિશ્વકર્માના પત્ની પાર્વતીબેનને મોઢામાં જીભની જમણી બાજુ અલ્સર(ચાંદી) પડેલ. જેની સારવાર માટે તેઓએ શાંતેશ્વર હોસ્પિટલના ડો. રાજન દલાલ (ENT) ને કન્સલ્ટ કરેલા. ડોક્ટરે સામાન્ય અલ્સર હોવાનું અનુમાન આપેલું. પાર્વતીબેનને ડોક્ટરે પ્રિસ્કાઇબ કરેલ દવા 15 દિવસ લીધેલ અને મલમ પણ લગાડેલ. પરંતુ, કોઇ ફેર પડેલ નહી.

જેથી તેઓ ફરિયાદી ડોકટરને બતાવવા ગયેલ તે સમયે ડોક્ટર બીજી દવા લખી આપેલ અને સારુ થઇ જશે એવું આશ્વાસન આપેલ. પરંતુ તેનાથી પણ પાર્વતીબેનને ફેર પડેલ નહીં. આમ, પાર્વતીબેન 2021થી સપ્ટેમ્બર-2021 સુધી ડોક્ટરને વારંવાર નિયમિત બતાવવા ગયેલ અને દર વખતે ડોક્ટર મલમ અને દવા લખી આપતા. પરંતુ તેનાથી પાર્વતીબેનની સ્થિતિ સુધરવાને જગ્યાએ બગડતી જતી હતી. આ રીતે લગભગ 6 મહિના વેડફયા બાદ ડોકટ૨એ પાર્વતીબેનની જીભના ટીસ્યુ લઇ તેનો બાયોપ્સી રીપોર્ટ કરાવડાવેલ.

જેમાં, Findings are suggestive of Sauamous, Cell Carsinoma, Grade II હોવાનું જણાવેલું. રીપોર્ટ જોયા બાદ સામાવાળા ડોક્ટરનું વર્તન બદલાઇ ગયેલ અને ફરિયાદી અને તેમના પત્ની સાથે વાત કે કોઇ ચર્ચા કરેલ નહિ અને સલાહ આપેલ નહિ. ફરિયાદીની વિનંતી પછી સામાવાળાના નર્સે વલસાડના એક ડોક્ટરના રેફરન્સ લેટર લખી આપેલ અને ત્યાં જવા જણાવેલ. પરતું ફરિયાદી કે તેમના પત્નીને સારા ડોક્ટર પર ભરોસો રહયો ન હતો જેથી તેઓ વલસાડના કોઇ પાસે જવાને બદલે સુરતમાં ભરત કેન્સર હોસ્પિટલમાં ગયેલા.

જયા પાર્વતીબેનના જરૂરી ટેસ્ટ કરવામાં આવેલ અને ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવેલા. સર્જરી કરી કેન્સરગ્રસ્ત ભાગ કાઢવામાં આવેલ. ભરત કેન્સર હોસ્પિટલના તબીબે પાર્વતીબેનની ડાબી બાજુ અને ગળાના ભાગના ઈસ્યું લઇ ને બાયોપ્સી કરાવેલ હતી જેના રીપોર્ટમાં કેન્સર વધુ પ્રસરેલ હોવાનું જણાયું હતુ.પાર્વતીબેને 21/11/2021 થી 28/11/2021ના રોજ કેમોથેરાપીની સારવાર આપવામાં આવેલ. પાવંતીબેનનું અવસાન થયેલુ. જેવી ફરિયાદીએ નવસારી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરાવી પત્નીની સારવારમાં સામાવાળા ડોક્ટરની સેવામાં ગંભીર બેદ૨કારી થઇ હોવાનું જણાવી વળતર અપાવવા માટે દાદ માંગેલ હતી.

ફરિયાદી તરફે એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઇને દલીલો કરવા જણાવેલ હતું. કે સામાવાળા ડૉ. રાજન દલાલએ ફરિયાદીના પત્નીને Non- Healing અલ્સર હતું તે જાણવા છતા Medical Standard Practice મુજબ સમયસર બાયોપ્સી કરાવેલ નહિ. જેવી ફરિયાદીના પત્નીને કેન્સર આખા ભાગ શરીરમાં પ્રસરી ગયેલ. સામાવાળા ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીની કેન્સરની ટીટ્રમેન્ટની શરૂઆતના 6 માસનો અમુલ્ય સમય વેડફાઇ ગયેલ જેના કારણે દર્દીને ખુબ જ ટુંકા સમયમાં જાન ગુમાવવાનો વારો આવ્યો.

નવસારી ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ કે.જે. દસોંદી અને સભ્ય જે.કે. મેવાવાલાએ ફરિયાદીની ફરિયાદ મંજુર રાખી મૃતક પાર્વતીબેનના પતિ ફરિયાદીને રૂા. 2.5 લાખ નું વળતર વાર્ષિક 9% વ્યાજ સહિત તેમજ કાનુની કાર્યવાહીના ખર્ચ રૂા. 10,000 સહિત ચૂકવી આપવાનો આદેશ આપ્યો છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.