સોમનાથ મંદિર પાસેની દીવાલ 6 ફૂટથી વધુ ઊંચી ન બનાવો, સુપ્રીમ કોર્ટે કેમ કર્યો ગુજરાત સરકારને આ આદેશ

સુપ્રીમ કોર્ટે સોમવારે ગુજરાત સરકારને જણાવ્યું હતું કે ગીરમાં સોમનાથ મંદિર નજીક તોડી પાડવામાં આવેલા સ્થળે અતિક્રમણ અટકાવવા માટે બનાવવામાં આવી રહેલી કમ્પાઉન્ડ વોલની ઊંચાઈ પાંચથી છ ફૂટ સુધી મર્યાદિત હોવી જોઈએ. જસ્ટિસ B.R. ગવઈ અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ અતિક્રમણ અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છે.

Supreme Court
indianexpress.com

દિવાલની ઊંચાઈ અંગે અરજદારના વકીલ દ્વારા કરવામાં આવેલા દાવાઓનો વિરોધ કરતા, ગુજરાત સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર તેની જમીનના રક્ષણ માટે કમ્પાઉન્ડ વોલ બનાવી શકે છે.

જસ્ટિસ B. R. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, 12 ફૂટ ઊંચી દિવાલ ન બનાવો. જો તમે તેને સુરક્ષિત કરવા માંગતા હો તો પાંચ કે છ ફૂટ ઊંચાઈ પૂરતી છે. સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, 12 ફૂટ ઊંચી દિવાલ બનાવવાનો દાવો અરજદારના વકીલનો માત્ર મૌખિક દાવો છે. અમે એવો કોઈ કિલ્લો નથી બનાવી રહ્યા કે જેમાં કોઈ પ્રવેશી ન શકે. આ ફક્ત ગેરકાયદેસર અતિક્રમણ અટકાવવા માટે છે.

Somnath Temple
newsdrum.in

બેન્ચે કહ્યું કે કમ્પાઉન્ડ વોલની ઊંચાઈ યોગ્ય હોવી જોઈએ અને પૂછ્યું કે, તમે 12 ફૂટ ઊંચી દિવાલ કેમ બનાવવા માંગો છો? બેન્ચે તેને પાંચ કે છ ફૂટ બનાવવાનો નિર્દેશ આપ્યો. અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ દલીલ કરી હતી કે, સત્તાવાળાઓ દિવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જસ્ટિસ ગવઈએ મહેતાને કહ્યું કે, આ સંદર્ભમાં સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચનાઓ આપવી જોઈએ. મહેતાએ કહ્યું કે, હું સૂચનાઓ આપીશ. અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ રજૂઆત કરી હતી કે, અધિકારીઓ પરિસરની આસપાસ દિવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેતાએ હેગડેના દાવાઓને ફગાવી દીધા અને આ મામલે સુપ્રીમ કોર્ટમાં આપેલા તેમના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કર્યો.

Supreme Court
indianexpress.com

મહેતાએ 31 જાન્યુઆરીએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે, અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક વિધિઓ સહિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી રહી નથી. તેમણે સોમવારે કહ્યું કે, પરિસ્થિતિ એવી જ છે. તેમણે કહ્યું કે, અમે ફક્ત અતિક્રમણ અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છીએ. અરજદારને ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું છે. બેન્ચે કહ્યું, 'તમને ખબર કેમ નથી? હવે ડ્રોન દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.'

હેગડેએ કહ્યું કે, એવું લાગે છે કે તમે 'ગ્રેટ વોલ ઓફ ચાઈના' બનાવી દીધી હોય અને જાણે કહી રહ્યા છો કે અમે તેનું રક્ષણ કરી રહ્યા છીએ. મહેતાએ જવાબ આપ્યો કે આ 'ગ્રેટ વોલ ઓફ ચાઈના' નથી. કૃપા કરીને આ મુદ્દાને સનસનાટીભર્યા ન બનાવો. અરજદારે કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ. બેન્ચે સુનાવણી માટે 20 મેની તારીખ નક્કી કરી.

Related Posts

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.