રાજ્યપાલ-રાષ્ટ્રપતિના બિલ સામે રાજ્ય સરકારને કોર્ટમાં જવાનો કોઈ અધિકાર નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી કે, રાજ્ય સરકારો વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના નિર્ણયો સામે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો દાવો કરીને સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરી શકતી નથી. મુખ્ય ન્યાયાધીશ BR ગવઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ વાત કહી હતી.

બંધારણ બેંચ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના બિલો પર નિર્ણય લેવાના અધિકારક્ષેત્ર સાથે સંબંધિત રાષ્ટ્રપતિ સંદર્ભની સુનાવણી કરી રહી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ સંદર્ભ દ્વારા રાષ્ટ્રપતિ બે પ્રશ્નો પર કોર્ટનો અભિપ્રાય જાણવા માંગે છે...

શું કોઈપણ સરકાર રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના નિર્ણય સામે કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે?

Supreme-Court1
hindi.opindia.com

કલમ 361 હેઠળ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને બંધારણીય રક્ષણનો અવકાશ શું છે?

મહેતાએ ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ PS નરસિંહા અને ન્યાયાધીશ AS ચંદુરકરની બેંચને કહ્યું કે, તેમણે સંદર્ભમાં આ પ્રશ્નો પર ચર્ચા કરી છે, પરંતુ રાષ્ટ્રપતિ માને છે કે ભવિષ્યમાં ઉદ્ભવતા મુદ્દાની ચોક્કસ કાનૂની સ્થિતિ જાણવા માટે તેઓ કોર્ટનો દૃષ્ટિકોણ જાણવા માંગે છે.

મહેતાએ દલીલ કરી હતી કે, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના બિલો પરના નિર્ણયો ન્યાયિક સમીક્ષાના કાર્યક્ષેત્રમાં આવતા નથી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારો આ બંધારણીય પદો સામે કલમ 32 હેઠળ અરજી દાખલ કરી શકતી નથી, કારણ કે આવી અરજીઓ કાયદેસર રીતે માન્ય નથી. ઉપરાંત, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને કોઈ સૂચના આપી શકાતી નથી.

તુષાર મહેતાએ કહ્યું કે, કલમ 32 હેઠળ, વ્યક્તિ ફક્ત ત્યારે જ કોર્ટમાં આવી શકે છે જ્યારે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય. રાજ્ય સરકાર પોતે એક બંધારણીય સંસ્થા છે, તેના પોતાના કોઈ મૂળભૂત અધિકારો નથી. સરકાર પોતે નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષક છે.

Supreme-Court2
jagran.com

તુષાર મહેતાએ કહ્યું કે, રાજ્ય સરકાર તેના નાગરિકોની પ્રતિનિધિ હોઈ શકે છે, પરંતુ આ કારણે તેને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની દલીલ કરીને કલમ 32 હેઠળ કોર્ટમાં આવવાનો અધિકાર મળતો નથી. કલમ 32 હેઠળ, લોકોને સરકાર વિરુદ્ધ કોર્ટમાં આવવાનો અધિકાર છે. જો કોઈ કેસમાં અરજદાર ગરીબ અથવા વંચિત વર્ગનો હોય, તો પણ NGO ચોક્કસપણે તેમના પ્રતિનિધિ તરીકે કોર્ટમાં આવી શકે છે.

મહેતાએ 8 એપ્રિલના તમિલનાડુના ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો રાજ્યપાલ બિલોને મંજૂરી આપવાની સમયમર્યાદાનું પાલન નહીં કરે, તો રાજ્ય સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. જોકે, મહેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોર્ટને એક બંધારણીય સંસ્થાની ફરજોમાં ખામીના કિસ્સામાં બીજા બંધારણીય સંસ્થાને નિર્દેશ આપવાનો અધિકાર નથી.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.