એન્જિનિયરે બનાવી 126 નકલી ધાર્મિક વેબસાઇટ અને 22 હજાર લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી

ગુજરાત પોલીસે એક મોટા સાયબર છેતરપિંડી ગ્રુપનો પર્દાફાશ કર્યો છે. પોલીસની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ટીમના જણાવ્યા અનુસાર, આ ગ્રુપે કુલ 126 નકલી ધાર્મિક વેબસાઇટ બનાવી હતી, જેમાં નકલી હોટલ, ધર્મશાળાઓ અને આશ્રમો બતાવીને આશરે 22,000 લોકો સાથે છેતરપિંડી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડી લગભગ 11 રાજ્યોમાં ફેલાયેલી હતી અને બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક મુખ્ય આરોપી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આરોપીઓએ પૂજા અને VIP દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરાવતા ભક્તોને નિશાન બનાવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છબીઓ ભક્તોને બતાવવામાં આવી હતી અને તેમને અગાઉથી ચુકવણી કરવાનું કહેવામાં આવ્યું હતું. એકલા ગુજરાતમાં જ લગભગ 40 ધાર્મિક સ્થળોના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

Gujarat Cyber Scam
divyabhaskar.co.in

પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તાની ધરપકડ કરી છે. વિકી એક એન્જિનિયર છે અને દિલ્હીથી તેનું છેતરપિંડી ગ્રુપ ચલાવે છે. રાજસ્થાનના રહેવાસી શૈલેષ સૈનીની પણ ધરપકડ કરવામાં આવી છે. તે ટેકનિકલ અને નાણાકીય કાર્ય સંભાળે છે. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 21,985 લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

તપાસકર્તાઓએ ખુલાસો કર્યો છે કે, આરોપીઓએ હોટલ, ધર્મશાળાઓ અને આશ્રમોના AI ફોટાઓ  બનાવ્યા હતા અને તેને નકલી પોર્ટલ પર અપલોડ કર્યા હતા. આ ફોટાઓ અસલી ફોટાની જેવા જ દેખાતા હતા. જ્યારે ભક્તો ઓનલાઈન બુકિંગ શોધતા હતા, ત્યારે આ વેબસાઇટ દેખાતી હતી. વપરાશકર્તાઓ ત્યાં જતા હતા અને તેમનું એડવાન્સ બુકિંગ કરાવતા હતા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક ભક્તે ઓનલાઈન ચુકવણી કરી હતી, પરંતુ ધાર્મિક સ્થળ પર પહોંચ્યા પછી, તેમને કૌભાંડની જાણ થઈ.

પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર એજન્સીઓની નજર ન પડે એ માટે આરોપીઓએ દર વખતે ડોમેન નામ બદલી નાખતા હતા.

Gujarat Cyber Scam
divyabhaskar.co.in

રિપોર્ટ મુજબ, ગુજરાતમાં મુખ્ય ધાર્મિક સ્થળોના નામે 40 પોર્ટલ બનાવવામાં આવ્યા હતા. નકલી વેબસાઇટ્સે સાળંગપુર કષ્ટભંજન દેવ, પ્રભાસ પાટણ, દ્વારકા જગત મંદિર, પાલિતાણા જૈન મંદિર, જૂનાગઢમાં ગિરનાર/અંબાજી, ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર અને સોમનાથ જેવી સાઇટ્સને નિશાન બનાવી હતી.

એવો પણ આરોપ છે કે, આ ગેંગ તિરુપતિ દેવસ્થાનમ, તિરુમાલા, કટરા, શિરડી, જગન્નાથ પુરી, વૃંદાવન, ઋષિકેશ અને હરિદ્વાર જેવા મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા યાત્રાળુઓને નિશાન બનાવવા માટે નકલી વેબસાઇટ્સ બનાવી હતી.

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપ સિંહ ઝાએ જણાવ્યું હતું કે આ કેસમાં અત્યાર સુધીમાં 70 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. તપાસ ગુજરાતની બહાર પણ વિસ્તૃત કરવામાં આવી છે, અને હવે તેની તપાસ કરવામાં આવી રહી છે કે આ નેટવર્ક ચલાવવા માટે પૈસા ક્યાંથી આવી રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે

શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 'નિફ્ટી-50' (Nifty-50) ઇન્ડેક્સમાં સામેલ શેરોમાં મોટો ફેરફાર થવા...
Business 
NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે

શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક વ્યકિત વિરુદ્ધ નોંધાયેલો છેતરપિંડીનો કેસ રદ કરતો આદેશ કર્યો હતો. આ વ્યક્તિ પર તેની હોન્ડા એક્ટીવાની પાછળના...
National 
શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દી હવે તેના અંતિમ તબક્કામાં છે. ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ...
Sports 
કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી

'તે મારા અંડરઆર્મ્સ સુંઘે છે અને...', પતિની આ હરકતથી પરેશાન છે ગૌહર ખાન

બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન તાજેતરમાં પોતાના પતિ ઝૈદ દરબાર સાથે એક ચેટ શોમાં પહોંચી હતી. આ શોનું નામ 'ડબલ...
Entertainment 
'તે મારા અંડરઆર્મ્સ સુંઘે છે અને...', પતિની આ હરકતથી પરેશાન છે ગૌહર ખાન

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.