દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા, 22.50 કરોડનું કૌભાંડ

મહેસાણા દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીને કોર્ટે 7 વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. લગભગ 10 વર્ષ પછી 22.50 કરોડના કૌભાંડમાં ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા સંભળાવી છે.

શંકરસિંહ વાઘેલાના કહેવાથી ભાજપમાં આવેલા વિપુલ ચૌધરી ધારાસભ્ય પણ બન્યા હતા અને રાજયના ગૃહ મંત્રી પણ હતા. ચૌધરી દુધસાગર ડેરીના ચેરમેન પણ હતા, તે વખતે સાગર દાણ કૌભાંડના આરોપમાં તેમને ચેરમેન પદેથી હટાવી દેવાયા હતા. વર્ષ 2013માં 22.50 કરોડ રૂપિયાનું સાગર દાણ કૌભાંડ બહાર આવ્યું હતું અને વિપુલ ચૌધરી સહિત કુલ 22 સામે વર્ષ 2014માં ફરિયાદ થઇ હતી.

વિપુલ ચૌધરીએ આ કેસમાંથી બહાર આવવા માટે ઘણા હવાતિયા માર્યા હતા અને સરકાર પર પ્રેસર પણ ઉભું કર્યું હતું, પરંતુ આખરે મહેસાણા કોર્ટે ગુરુવારે વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજાનો ચુકાદો જાહેર કર્યો છે. કુલ 22 આરોપીઓમાંથી 3 આરોપીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે અને 19 સામે આરોપો સાબિત થયા છે. કોર્ટે 4ઓરોપીઓને 50,000ના જામીન પર છોડ્યા છે.

સાગરદાણ કૌભાંડના આરોપી વિપુલ ચૌધરી સામે કોર્ટમાં 21 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને સરકારી વકીલ તરીકે વિજય બારોટની નિમણુંક કરવામાં આવી હતી.

વિપુલ ચૌધરી સહિત અન્ય આરોપીઓને સજા કરવામાં આવી છે, તમાં પૂર્વ વાઇસ ચેરમેન જલાબેન, પૂર્વ એમ.ડી. નિશિથ બક્ષી, પ્રથમેશ પટેલ, રશ્મિકાંત , મોદી,ચંદ્રિકાબેન,ઝેબરબેન રબારી, જોઇતા ચૌધરી, જયંતિ પટેલ, કરસન રબારી, જેઠાજી ઠાકોર, વીરેન્દ્ર સિંહ ઠાકોર, ઇશ્વર પટેલ, ભગવાન ચૌધરી, દિનેશ ચૌધરીનો સમાવેશ થાય છે.

વિપુલ ચૌધરીને જે કેસમાં સજા થઇ છે તે સાગર દાણ કૌભાંડમાં એવું થયું હતું કે વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં દુષ્કાળ સમયે વિપુલ ચૌધરીએ મફતમાં સાગર દાણ મોકલી આપ્યું હતું, જેને કારણે દુધસાગર ડેરીને 22.50 કરોડનું નુકશાન થયું હતું. મહેસાણા દુધસગાર ડેરીએ મહારાષ્ટ્ર સરકારને કોઇ પણ લેખિત મંજૂરી વગર સાગર દાણ મોકલવાને કારણે 2014માં વિપુલ ચૌધરી સહિત 22 સામે પોલીસમાં ફરિયાદ થઇ હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વિપુલ ચૌધરીએ બનાવેલી અર્બુદા સેનાએ સરકાર પર પ્રેસર ઉભું કરવાની કોશિશ કરી હતી, પરંતુ એ કારી તેમની ફાવી નહીં. અને મહેસાણા કોર્ટે હવે 7 વર્ષની સજા ફરમાવી દીધી છે.  સાથે 15 આરોપીઓને પણ 7 વર્ષની સજા કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.