અમિત શાહે સંસદમાં જે વાત કહી તે સાચી સાબિત થઈ, વક્ફની જમીન પર દૂકાન ભાડે આપી 17 વર્ષથી...

ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વક્ફ સંપત્તિઓ પર જે દાવો કર્યોં હતો, તેની સત્યતા હવે ગુજરાતમાં સામે આવી છે. શાહે વક્ફ સંશોધન કાયદા પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ‘કેટલાક લોકો વક્ફની સંપત્તિને સામાન્ય કિંમતે ઉઠાવીને પાછળથી મોટી કમાણી કરી રહ્યા છે. બરાબર આવા જ પ્રકારનો એક મામલો ગુજરાતમાં સામે આવ્યો છે, જ્યાં 5 લોકોને વક્ફ સંપત્તિઓમાંથી 17 વર્ષથી સુધી ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.

waqf board
deccanchronicle.com

અમદાવાદમાં, આરોપીઓએ કાચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટની 5,000 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર રીતે નિર્માણ કરીને લગભગ 100 દુકાનો અને ઘર બનાવ્યા હતા. વક્ફના ટ્રસ્ટી હોવાનો દાવો કરીને, આ લોકો દર મહિને તેનું ભાડું વસૂલતા હતા અને પોતાના ખિસ્સા ભરતા હતા. વર્ષ 2008 થી વર્ષ 2025 સુધી, આ લોકોએ નકલી ટ્રસ્ટી બનીને 142.69 કરોડ રૂપિયાનું ભાડું વસૂલ્યું, જે વક્ફ બોર્ડ માટે હતું. આ રકમ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે ખર્ચ થવી જોઈતી હતી, મુસ્લિમોના કલ્યાણ માટે ઉપયોગ થવી જોઈતી હતી, પરંતુ તે તેમના ખિસ્સામાં જતી રહી.

આખરે કેવી રીતે ખુલ્યું રહસ્ય?

પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની જમીન પર ભાડૂઆત મોહમ્મદ રફીક અંસારીએ તેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી હતી. તેણે કહ્યું કે અમે તો દર મહિને ભાડું ચૂકવી દઇએ છીએ, પરંતુ આ પૈસા ન તો ટ્રસ્ટના ખાતામાં જમા થયા કે ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં ભરવામાં આવ્યા. ત્યારબાદ, પોલીસે ભાડું વસૂલતા 5 આરોપીઓ સામે FIR નોંધી હતી. તેમાં સલીમ ખાન પઠાણ નામનો એક હિસ્ટ્રી શીટર પણ છે. હાલમાં, તેની ધરપકડ કરવામાં આવી છે. DCP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓએ નકલી દસ્તાવેજથી સંપત્તિ પર કબજો કર્યો હતો. પોલીસે તેને છેતરપિંડી અને ઠગબાજીનું સંગઠિત રેકેટ ગણાવ્યું છે.

waqf board
x.com/TimesAlgebraI

વક્ફની કેટલી સંપત્તિ?

એક અનુમાન મુજબ, દેશભરમાં વક્ફની 58,929 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 994 વક્ફ સંપત્તિઓ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં તામિલનાડુમાં 734, આંધ્ર પ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ-કાશ્મીરમાં 10 સંપત્તિઓ સામેલ છે. દેશમાં કુલ 8.8 લાખથી વધુ વક્ફ સંપત્તિઓ રજિસ્ટર્ડ છે. તેમાંથી 8,72,352 અચલ અને 16,713 ચલ  સંપત્તિઓ છે.

About The Author

Top News

જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો માહોલ જામ્યો છે. આજે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર-16ના...
Gujarat 
જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ...
Politics 
2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.