31 ફર્સ્ટની ઉજવણીને લઈને હર્ષ સંઘવીએ જાણો શું જાહેરાત કરી, આખા ગુજરાતમાં....

ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના વિકાસમાં પ્રજાના સહયોગની વાત કરી હતી અને સાથે સાથે 31 ફર્સ્ટની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાની પણ વાત કરી હતી. ગૃહ મંત્રીએ કહ્યું કે આ વખતે આખા ગુજરાતમાં એન્ટી ડ્રગ કીટનો ઉપયોગ કરવામાં આવશે. ડ્રગ્સ સામેની લડાઇને મજબુત કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવશે અને આ કીટનું મેં જાતે નિરિક્ષણ કર્યું છે એમ સંઘવીએ કહ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજી વખત મજૂરા વિધાનસભા બેઠક પરથી બમ્પર જીત મેળવ્યા પછી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ફરી એકવાર હર્ષ સંઘવીને ગૃહ ખાતાની જવાબદારી સોંપવામાં આવી છે. શનિવારે સુરત આવેલા હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, વર્ષ 2022માં  આ શહેરના લોકોએ રાજ્યના વિકાસમાં એકતાના દર્શન કરાવ્યા છે. સંઘવીએ કહ્યુ કે, મને આશા  છે કે વર્ષ 2023માં પણ આપણે સાથે મળીને કામ કરીશું.

એ પછી હર્ષ સંઘવીએ ગુજરાતમાં  થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની સુરક્ષા વ્યવસ્થાની વાત કરી હતી. તેમણે કહ્યુ કે,ગુજરાતના તમામ શહેરોમાં પોલીસ દ્વારા ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ જગ્યાએ નાકાબંધી કરી દેવામાં આવી છે. દારૂ પર કડક નિયંત્રણ રાખી રહ્યા છીએ. લો- એન્ડ ઓર્ડરની સ્થિતિનું પ્લાનીંગ કરી દેવામાં આવ્યું છે. જો કે ચૂંટણી પહેલાં નવરાત્રીના સમયે ગૃહ મંત્રીએ જે ઉત્સાહથી કહેલું કે નિયત સમયથી 5 મિનિટ પહેલાં પણ જો પોલીસ ગરબા બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. એવી ઉત્સાહિત વાત નવા વર્ષની ઉજવણી માટે કરી નહોતી.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ વખતે ડ્રગ્સ સામેની લડાઇને મજબુત કરવા માટે ખાસ એન્ટી ડ્રગ્સ કીટનો ઉપયોગ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત આખા રાજ્યમાં કરવામાં આવશે. કીટમાં દારૂડિયાઓને સુંઘવાનું બ્રેથ એનેલાઇઝર પણ હશે.

ગૃહ મંત્રીએ સીધું કીધું નથી, પરંતુ તેમનો કહેવાનો મતલબ એવો કહી શકાય કે, પોલીસનો બંદોબસ્ત પુરતો ગોઠવાયો છે, એટલે આડાતેડા થયા કે ડ્રગ્સ-દારૂનું સેવન કર્યું તો જેલભેગા થશો.

એક પત્રકારે જ્યારે પુછ્યું કે સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો છે, તો હર્ષ સંઘવીએ પુછ્યું કે ક્યાં વેચાઇ છે? પત્રકારે સ્થળનું નામ આપ્યું તો, સંઘવીએ કહ્યું કે તમે જાણકારી આપી છે તો રાજ્ય સરકાર પગલા લેશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.