માત્ર 10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં સુરતીઓ પાસેથી 12.42 કરોડ રૂપિયા દંડ વસૂલાયો

સુરત ટ્રાફિક પોલીસે 28 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી એક સ્પેશિય ડ્રાઈવ આયોજિત કરી હતી. આ 10 દિવાસીય ડ્રાઈવ દરમિયાન પોલીસે વાહન ચાલકોના કુલ 24,847 ચલણ ફાડ્યા હતા. આ ચલણની દંડની રકમ 12.42 કરોડથી વધુ થાય છે. આ ડ્રાઈવમાં દંડની ઓછામાં ઓછી રકમ 500 રૂપિયા હતી.

surat-traffic-policesurat-traffic-police
bhaskar.com

આ ડ્રાઈવ 4 રિજિયનમાંમાં કરવામાં આવી હતી, જેમાં રિજિયન-1ના વરાછા, કાપોદ્રા અને સરથાણા સહિતના વિસ્તારોમાં સાથી વધુ ભાંગના કેસ નોંધાયા હતા. આ વિસ્તારોમાં માત્ર 10 દિવસમાં જ 10,158 ચલણ ફાડવામાં આવ્યા હતા. આ વિસ્તારોમાં સૌથી વધુ કેસ (913 કેસ) રોંગ સાઈડમાં ગાડી ચલાવનારા લોકોના છે.  આ ઉપરાંત સિગ્નલ તોડવાના 2524 કેસ અને ઓવરસ્પીડના 4614 કેસ નોંધાયા હતા. આ ડ્રાઈવમા સૌથી વધુ ઓવરસ્પીડના કેસ નોંધાયા હતા, જ્યારે સૌથી ઓછા કેસ હેલમેટ ન પહેરવાના નોંધાયા હતા. ત્યારબાદ રિજિયન-3માં 7588 ચલણ ફાડવામાં આવ્યા હતા.

ટ્રાફિક નિયમના ભંગ બદલ 24,847 ચલણના કેસોમાં ઓવરસ્પીડિંગના 85,62 કેસ, સિગ્નલ ભંગના 6655, રોંગ સાઈડમાં ગાડી ચલાવનારાઓના 1707, હેલમેટ ન પહેરવાના 145 અને અન્ય નિયમભંગના 7,778 કેસોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે સુરતમાં કયા વિસ્તારમાં નિયમોનો સૌથી વધુ ઉલ્લંઘન થાય છે અને કયા ક્ષેત્રમાં સૌથી વધુ જાગૃતિની જરૂરિયાત છે.

surat-traffic-policesurat-traffic-police1
bhaskar.com

ટ્રાફિક DCP પન્ના મોમ્યાએ જણાવ્યુ હતું કે, ‘ચલણ ભરવામાં લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે 13 ડિસેમ્બર 2025ના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતમાં વધુ ટેબલ લગાવવામાં આવશે. જેથી લોકો સરળતાથી દંડ ભરી શકે. આ ઉપરાંત ઓનલાઇન ચલણ ભરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.