સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા

 શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી સોય શેરીમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર ચાર દિવસ પહેલા જ મક્કા-મદીનાથી ઉમરાહ કરીને પરત ફરેલા એક સુખી પરિવારના ત્રણ સભ્યોના ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઈડ ગેસને કારણે મોત નિપજ્યા છે.

unjha1
divyabhaskar.co.in

મંગળવારે સવારે જ્યારે કેમિકલ વેપારી ફૈઝ અહેમદના ઘરનો દરવાજો લાંબો સમય સુધી ન ખુલ્યો અને ફોન પણ ન ઉપાડ્યા, ત્યારે તેમના ભાઈએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદરનું દ્રશ્ય જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. બેડરૂમમાં ફૈઝ અહેમદ (41) અને તેમના પત્ની મુબીનાબાનુ (37) મૃત હાલતમાં મળી આવ્યા હતા. હોલમાં 12 વર્ષનો પુત્ર નમાન મૃત અવસ્થામાં મળ્યો હતો. એવું જણાય છે કે નોમાન ગૂંગળામણ અનુભવાતા દરવાજો ખોલવા માટે હોલ સુધી પહોંચ્યો હતો, પરંતુ તે સફળ થાય તે પહેલા જ ઢળી પડ્યો હતો.

કેવી રીતે બની દુર્ઘટના 

તબીબી તપાસ અને એફએસએલ (FSL) ના રિપોર્ટ મુજબ, બાથરૂમની બહાર રાખવામાં આવેલું ગેસ ગીઝર આખી રાત ચાલુ રહ્યું હતું. શક્ય છે કે રાત્રે કોઈ સભ્યએ હાથ-પગ ધોવા માટે ગરમ પાણીનો નળ ચાલુ કર્યો હોય અને તે બરાબર બંધ ન થતા ગીઝર સતત ચાલુ રહ્યું. ઘરના બારી-બારણાં બંધ હોવાથી ગીઝરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઈડ (CO) ગેસ આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. આ ગેસ ગંધહીન અને રંગહીન હોવાથી પરિવારને તેની જાણ ન થઈ અને ઊંઘમાં જ પાંચ કલાકની અંદર ત્રણેયના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા.

surat
divyabhaskar.co.in

પુત્રીનો ચમત્કારિક બચાવ

ફરીનનો બચાવ થયો છે. સોમવારે રાત્રે દાદીના ઘરે પ્રસાદનું પેકિંગ કરતી વખતે તે ત્યાં જ સૂઈ ગઈ હતી, જ્યારે ફૈઝભાઈ, તેમના પત્ની અને પુત્ર ઘરે સૂવા આવ્યા હતા. જો ફરીન પણ ઘરે ગઈ હોત તો કદાચ તે પણ આનો ભોગ બની હોત.

ગૃહ વપરાશમાં સાવચેતી: 

ગીઝર હંમેશા બાથરૂમની બહાર અથવા ખુલ્લી જગ્યાએ લગાવો. બંધ બારી કે વેન્ટિલેશન વગરના બાથરૂમમાં ગીઝર ન વાપરો. બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેન કે બારી ખુલ્લી રાખો. ગીઝરને લાંબા સમય સુધી સતત ચાલુ ન રાખો. વર્ષમાં એકવાર નિષ્ણાત પાસે સર્વિસ કરાવો. ગેસ લીકેજની ગંધ આવે તો સ્વીચ ચાલુ ન કરો. કાર્બન મોનોક્સાઈડ ડિટેક્ટર એલાર્મ લગાવો. ગીઝર ચાલુ રાખીને બાથરૂમમાં સૂઈ ન જાવ કે લાંબુ ન નાહવું.

સુરતની આ ઘટના ગેસ ગીઝરના જોખમો પ્રત્યે લાલબત્તી સમાન છે. કાર્બન મોનોક્સાઈડ એક 'સાયલન્ટ કિલર' છે, જે ઓક્સિજનના અભાવે જીવ લઈ શકે છે. હંમેશા આઈએસઆઈ (ISI) માર્કવાળા ઉપકરણો વાપરવા અને પૂરતા વેન્ટિલેશનનો આગ્રહ રાખવો જોઈએ.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

પાકિસ્તાનના રહસ્યમય સ્પિનર, ઉસ્માન તારિક, એક અનોખી બોલિંગ એક્શન ધરાવે છે. તેનો રન-અપ સામાન્ય છે, પરંતુ બોલ...
Sports 
શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી

જાણીતા અભિનેતા રાજપાલ યાદવ હાલ ચર્ચામાં છે. 9 કરોડનું દેવું ન ચૂકવવાના કારણે તેમણે 5 ફેબ્રુઆરીએ તિહાર જેલમાં સરન્ડર કર્યું...
Entertainment 
રાજપાલ યાદવને હજુ નથી મળ્યા રૂપિયા, ભાઈ બોલ્યો- લોકો ખાલી જાહેરાત કરે છે મળ્યું કંઈ નથી

સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા

  શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી સોય શેરીમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર ચાર દિવસ પહેલા જ divyabhaskar.co.in...
Gujarat 
સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા

એપ્સટિન ફાઇલ: આરોપો પર કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી આપ્યો જવાબ, રાહુલનું નામ લઈ કહ્યું...

રાહુલ ગાંધીએ આરોપો લગાવ્યા પછી હરદીપ સિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને વિગતવાર સ્પષ્ટતા આપી હતી. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ...
National 
એપ્સટિન ફાઇલ: આરોપો પર કેન્દ્રીયમંત્રી હરદીપ પુરી આપ્યો જવાબ, રાહુલનું નામ લઈ કહ્યું...

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.