MLA વિમલ ચુડાસમાએ રાજીનામાની અટકળોને લઈને આપ્યું નિવેદન, બોલ્યા- હું કોંગ્રેસ..

હવે ગુજરાતનું રાજકારણ રોજબરોજ ગરમાઈ રહ્યું છે. સૌથી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને ગુરુવારે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું. આ દરમિયાન એવી ચર્ચાઓને બળ મળ્યું છે કે, આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. બીજી તરફ હવે રાજીનામાની અટકળો વચ્ચે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાનું નિવેદન આપ્યું છે. વિમલ ચુડાસમાએ કહ્યું કે, તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવાઇ રહી છે.

રાજ્યમાં આજે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી વધુ એક રાજીનામું પડે તેવી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન રાજીનામાની અટકળો વચ્ચે ગીરસોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ તેમને ઘણુ બધુ આપ્યુ છે. તેમને બદનામ કરવા માટે રાજીનામાની વાત ફેલાવવામાં આવી રહી છે. અમે કોંગ્રેસ પાર્ટીના વફાદાર સૈનિક છીએ. આ સાથે તેમણે કહ્યું કે, જેના મન ડગે તેવા લોકો પક્ષ પલટો કરતા હોય છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ગીર સોમનાથ વિધાનસભા બેઠક પર કોગ્રેંસના વિમલ ચુડાસમાની જીત થઈ હતી. જ્યારે ભાજપના માનસિંહ પરમારની હાર થઈ હતી. વિમલ ચૂડાસમા પાસે જંગમ મિલકત 57,94,859.44 છે. ગીર સોમનાથ જિલ્લામાં 4માંથી એક બેઠક પર જ કોંગ્રેસનું રાજ છે. જ્યારે ઉના, કોડિનાર, તાલાલા બેઠક પર ભાજપનો કબજો છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા દિવસ અગાઉ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ અચાનક રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં સોંપો પડી જવા પામ્યો હતો. તો ગઈકાલે ખંભાતનાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું. હજુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાવાની વાત વહેતી થઇ હતી.

આ અંગે ઉમેશ મકવાણાને પૂછવામાં આવતા તેમણે આ વાતને અફવા ગણાવી હતી. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ધારાસભ્ય ચિરાગ પટેલના રૂપમાં વધુ એક ઝટકો મળ્યો છે. ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા જ ચિરાગ પટેલના સૂર બદલાયા છે. ચિરાગ પટેલે હજુ પણ કોંગ્રેસ તૂટે તેવા આપ્યા સંકેત આપ્યા છે.

તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કંઇ જ આવડતુ નથી. 'ડૉનેટ ફોર દેશ' અભિયાનના ચિરાગ પટેલે લીરે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ અલગ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.