વિસાવદર સીટ પર ગોપાલ ઈટાલિયાની જીતના 5 મોટા કારણો

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી (AAP)એ સારી વાપસી કરી છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં 2022ની ચૂંટણીમાં જીતેલી વિસાવદર સીટ AAPએ જાળવી રાખી છે. આ સીટ પરથી AAPએ પોતાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ કેટલાક રાઉન્ડ છોડીને  21 રાઉન્ડની મતગણતરીમાં મોટાભાગના સમયે લીડ બનાવી રાખી હતી. ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરિટ પટેલને 17,581 મતોથી હરાવ્યા. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં AAPની જીત એટલે મોટી છે કારણ કે દિલ્હીમાં હાર બાદ AAPમાં ભારે નિરાશા હતી. પેટાચૂંટણીમાં સત્તાધારી પાર્ટીનું પલડું ભારે હોવાની ધારણા છે, પરંતુ AAPએ મજબૂત રણનીતિ સાથે વિસાવદરમાં ભાજપનું કમળ ખીલતા રોકી દીધું. ભાજપ આ સીટ પર વર્ષ 2007થી જીત માટે ઝંખી રહી છે. આ ચૂંટણીમાં કુલ 16 ઉમેદવારો મેદાનમાં હતા.

gopal
facebook.com/gopalitaliaofficial

1.  પહેલા ઉમેદવારની જાહેરાત:

AAPએ ગુજરાતમાં પણ પંજાબ જેવો દાવ રમ્યો હતો. દિલ્હીની ચૂંટણીમાં હાર બાદ, AAPએ વિસાવદર સીટ માટે ચૂંટણી પંચની જાહેરાત અગાઉ જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. એવામાં ભાજપમાં જ્યાં ઉમેદવારને લઈને અંત સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યારે AAP ઉમેદવાર સાથે પ્રચારમાં પહેલા જ વ્યસ્ત થઈ ગઈ હતી.

2.  મોટા ચહેરા પર દાવ લગાવ્યો:

ગુજરાતની આ સીટ બચાવવા માટે આમ આદમી પાર્ટીએ પોતાનો મોટો ચહેરો મેદાનમાં ઉતાર્યો. આ વિસ્તારના રહેવાસી ન હોવા છતા, ગોપાલ ઇટાલિયાએ 2-3 વખત આખી વિધાનસભાનો પ્રવાસ કરીને લોકો વચ્ચે જગ્યા બનાવી લીધી. એવામાં તેમણે લોકોને પોતાની સાથે જોડી લીધા. ભાજપ સત્તામાં હોવા છતા અંત સુધી ચૂંટણી પ્રચારમાં પાછળ રહ્યું. ગોપાલ ઇટાલિયા સામે કિરિટ પટેલ હલકા સાબિત થયા.

gopal1
facebook.com/gopalitaliaofficial

3.  કેજરીવાલના હીરો ચેલેન્જે માહોલ બનાવ્યો:

2022ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ AAP પર ભરોસો કર્યો હતો, પરંતુ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાતા AAPના દાવાને ઝટકો લાગ્યો હતો. ગોપાલ ઇટાલિયાના નામાંકનમાં પહોંચેલા અરવિંદ કેજરીવાલને આ વાતની જાણ હતી, તો તેમણે સાર્વજનિક રૂપે જાહેરાત કરી દીધી કે જો ભાજપ ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે, તો હું રાજનીતિ છોડી દઈશ. કેજરીવાલના આ ચેલેન્જે લોકો અને પાર્ટી કાર્યકર્તાઓમાં વિશ્વાસ ભરી દીધો. કેજરીવાલે વિસાવદરમાં કહ્યું હતું કે, તેમણે પોતાના સૌથી મોટા હીરોને મેદાનમાં ઉતાર્યા છે.

4.  ઇટાલિયાએ ભાજપને મુદ્દાઓ પર ઘેર્યા:

વિસાવદરમાં જ્યારે AAP પાછલી વખત જીતી હતી, ત્યારે ગોપાલ ઇટાલિયા પ્રદેશ અધ્યક્ષ હતા. તેમણે આ ચૂંટણીમાં સુરતના કતારગામથી ચૂંટણી લડી હતી, પરંતુ આ વખત ગોપાલ ઇટાલિયાએ ઉમેદવાર તરીકે વિસાવદર પર ફોકસ કર્યું. ઉમેદવાર તરીકે તેમણે જબરદસ્ત હોમવર્ક કર્યું અને તે બધા મુદ્દાઓ ઉઠાવ્યા જેના પર ભાજપને ઘેરી શકાતી હતી. ગોપાલ ઇટાલિયા એ ભરોસો જગાડવામાં સફળ રહ્યા કે જો જનતા તેમને ચૂંટે છે, તો તેઓ તેમનો અવાજ બનશે.

RJD
simple.wikipedia.org

5.    ઇસુદાન ગઢવી બૂથ માટે મજબૂત:

પત્રકારત્વમાંથી રાજનીતિમાં આવેલા ઇસુદાન ગઢવી આ ચૂંટણીમાં પૂરી રીતે પ્રદેશ અધ્યક્ષની ભૂમિકામાં રહ્યા. સૌરાષ્ટ્રથી આવનારા ઇસુદાન ગઢવીએ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારતા પહેલા એક સર્વે કરાવ્યો અને પાર્ટી કાર્યકર્તાઓના મંતવ્યો જાણ્યા. ત્યારબાદ તેમણે તેમની ઇચ્છા મુજબ નિર્ણય લીધો. ઇસુદાન ગઢવીએ 11 નેતાઓની એક કોર ટીમ બનાવીને અંત સુધી દરેક બૂથ પર ફોકસ કર્યું. આ જ કારણ છે કે જ્યારે ટેક્નિકલ ખામી આવી તો AAP 2 મતદાન કેન્દ્રો પર ફરીથી મતદાન કરાવવામાં સફળ રહી. ગઢવી આ કમ્યુનિકેટર કરવામાં સફળ રહ્યા કે લડાઈ AAP અને BJPની છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.