મહિલાને ઇજા થઈ, તેના પર કૂતરાએ ચાટ્યું, એક અઠવાડિયા પછી જીવ ગુમાવ્યો

બ્રિટનમાં એક મહિલાના ઇજા થયેલા ઘા ને કથિત રીતે કૂતરા દ્વારા ચાટવામાં આવ્યા પછી તેનું મૃત્યુ થયું. થોડા સમય પહેલા મહિલા તેના ઘરમાં શૌચાલયમાંથી બહાર આવતી વખતે ઘાયલ થઈ હતી અને તેને તેના પગમાં ઈજા થઈ હતી. બીજા જ દિવસે તેની પૌત્રીના કૂતરાએ તેના પગ પરનો ઘા ચાટ્યો હતો. અહેવાલો અનુસાર, આ પછી પહેલા તો મહિલાની તબિયત બગડી ગઈ, અને ત્યાર પછી એક અઠવાડિયામાં તેનું મૃત્યુ થયું.

મહિલાની ઓળખ 83 વર્ષીય જૂન બેક્સટર તરીકે થઈ છે. શૌચાલયમાંથી બહાર આવતી વખતે જ્યારે તેના પગમાં ઈજા થઈ હતી, ત્યારે તેની પૌત્રી કેટલન એલન તેને મળવા આવી. કેટલન સાથે, તેનો કૂતરો પણ જૂન બેક્સટરના ઘરે પહોંચ્યો. અને તેણે જૂન બેક્સટરના ઇજા થયેલા પગને ચાટ્યો હતો.

June Baxter
bbc.com

બીજા જ દિવસે જૂન બેક્સટરની તબિયત બગડી. આવી સ્થિતિમાં, તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી. મીડિયા સૂત્રોના સમાચાર અનુસાર, સારવાર કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે જૂન બેક્સટરના ઘાની તપાસ દરમિયાન, તેમાં 'પેસ્ટ્યુરેલા મલ્ટોસિડા' નામનો બેક્ટેરિયા મળી આવ્યો હતો. આ બેક્ટેરિયા સામાન્ય રીતે પાળેલા પ્રાણીઓના મોંમાં જોવા મળે છે. પરંતુ તે તેમના માટે ખતરનાક નથી.

જૂન બેક્સટરનું કૂતરા દ્વારા ચાટ્યાના લગભગ એક અઠવાડિયા પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું. મૃત્યુના અન્ય (ગૌણ) કારણોમાં કિડની, લીવર અને હૃદય સંબંધિત અન્ય રોગોનો સમાવેશ થાય છે.

June Baxter
thelallantop.com

કેમ્બ્રિજ યુનિવર્સિટીના વેટરનરી મેડિસિન વિભાગના રોગશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર ડૉ. એન્ડ્રુ કોનલોન, મીડિયા સૂત્રો સાથે વાત કરતા કહે છે, 'જો કોઈની રોગપ્રતિકારક શક્તિ ઉંમર અથવા અન્ય કોઈ ચેપને કારણે નબળી પડી ગઈ હોય, તો તેણે કૂતરાની લાળ તેના પર પડવાથી સાવચેત રહેવું જોઈએ. જો તમે સ્વસ્થ છો, તો તેમનું ચાટવું ખતરનાક નથી હોતું.'

જ્યારે, બીજા એક ડૉક્ટર મીડિયા સૂત્રને કહે છે કે, પ્રાણીઓ માટે શરીરના અન્ય ભાગો ચાટવા સામાન્ય રીતે ખતરનાક નથી. પરંતુ પ્રાણીઓને આંખો, નાક અને મોં ચાટવાની મંજૂરી આપવી જોઈએ નહીં. કારણ કે આ ભાગો મ્યુકોસ મેમ્બ્રેનથી ઢંકાયેલા છે. જે સામાન્ય ત્વચા કરતાં વધુ સંવેદનશીલ હોય છે. આ ભાગો બેક્ટેરિયા સામે લડવા માટે તુલનાત્મક રીતે નબળા હોય છે. આ ઉપરાંત, ડોકટરો સલાહ આપે છે કે, ખુલ્લા ઘાને પણ પ્રાણીઓથી સુરક્ષિત રાખવા જોઈએ.

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.