ભાજપના પૂર્વ સાંસદ અને હત્યાના દોષી દિનુ બોધાને IAS અધિકારી પગે લાગ્યા

Indian Administrative Service (IAS) ભારતીય એડમિનિસ્ટ્રેટીવ સેવાનું ગરીમા ભર્યું અને સન્માનીય પદ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત લાભ મેળવવા માટે કેટલાંક IAS અધિકારીઓ ચાપલૂસી કરીને પદની ગરીમાને લાંછન લગાડે છે. ગુજરાતના એક IAS ઓફીસરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ હત્યાના દોષિત અને ભાજપના પૂર્વ સાંસદને પગે લાગી રહ્યા છે. એક IAS ઓફીસર હત્યાના દોષિતને પગે લાગે એ વાતે ભારે ચર્ચા જગાવી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં IAS ઓફીસર આર જી. ગોહિલ જેમને હત્યામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા તેવા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાને પગે લાગી રહ્યા છે. જો કે આવું પહેલીવાર સામે નથી આવ્યું આ પહેલા પણ ઘણા સરકારી અધિકારીઓ નેતાને ખુશ કરવા માટે જાહેર મંચ પર પગે લાગતા કે ખુશામત કરતા જોવા મળતા હોય છે. એક અધિકારીએ તો નેતાના ચંપલ હાથમાં પકડી રાખ્યા હતા. એક ઉચ્ચઅધિકારીઓને આવી વાત શોભા આપતી નથી.

 IAS  ઓફીસર આરજી ગોહીલિ ગીર સોમનાથના કલેકટર હતા અને તેમની તાજેતરમાં સચિવાલયમાં એર્બન ડેવલમેન્ટ વિભાગમાં સેક્રેટરી તરીકે નિમણુંક થઇ છે. ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાની વાત કરીએ તો તમને એક જાણીતા કેસ વિશે જાણ હશે.  RTI એક્ટિવીસ્ટ અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી.

દિનુ બોઘા સોલંકી રાજકારણની સાથે સાથે ટ્રાન્સપોર્ટ, સિમેન્ટ, માઇનિંગ, રિઅલ એસ્ટેટ, કેબલ નેટવર્ક જેવા અનેક બિઝનેસ સાથે સંકળાયેલા છે. સિમેન્ટ બિઝનેસમાં બોઘાનું મોટું નામ હતું. કોડિનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગથી લઇ સહકારી ક્ષેત્રમાં દિનુ બોઘાનો દબદબો હતો.

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ દિનુ સોંલકી વિરુદ્ધ ગેરકાયદે ખનનની ફરિયાદો અને RTI કરી હતી. જેને કારણે ગીર સોમનાથના હરમડિયામાં  અનેક ખાણો બંધ કરવાની ફરજ પડી હતી. આ વાતથી અમિત જેઠવા દિનુ બોઘામાં કણાની જેમ ખટકવા માંડ્યો હતો અને તેનો કાંટો દુર કરવા માટે અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી.  

દિનુ બોઘાની રાજકીય સફરની વાતકરીએ તો વર્ષ 2009માં સંસદ સભ્ય અને જેલવાસ સુધી 21 વર્ષનું જાહેર જીવન વિવાદાસ્પદ રહ્યું. વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી વખતે દિનુ બોઘાએ જે એફિડેવીટ રજૂ કર્યું હતું તેમાં તેની પાસે ટોયેટો. ફોર્ડ, ઇનાવો જેવી અનેક કાર, ટ્રેકટર અને ડમ્પર્સનો માલિક હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.