તમારા પતિ પાનની પિચકારી મારે તો સીધા દોર કરી દે જો, જરૂર પડે તો..:હર્ષ સંઘવી

સુરતમાં રેલવે પોલીસ કર્મચારીઓ માટેના આવાસના લોકાપર્ણ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ મકાનોને સરકારી આવાસ નહીં, પરંતુ તમારા સપનાનું ઘર સમજજો. તેમણે ઉપસ્થિત મહિલાઓને સંબોધતા કહ્યુ હતું કે, જો તમારા પતિ ઘરમાં પાનની કે ગુટકાની પિચકારી મારે તો તમે સીધા દોર કરી દેજો અને જરૂર પડે તો મને કહેજો.

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્રારા બનાવવામાં આવેલા આવાસનું રવિવારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યુ હતું, આ પ્રસંગે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોષ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મેયર દક્ષેશ મેવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ આવાસને સ્વચ્છ રાખવાની તાકીદ કરી હતી. તેમણે કહ્યુ કે આને તમે તમારા સપનાનું ઘર જ સમજજો.

તેમણે સાથે રેલવે પોલીસના વખાણ કરતા કહ્યુ હતું કે, રેલવે પોલીસ લોકોની સેવા કરે છે અને અમદાવાદ, વડોદરા, સુરત સહીતના સ્ટેશનો પર થતા ગુના અટકાવવામાં મદદરૂપ બને છે. રેલવે સ્ટેશન પર આવતા દરેક ભાષાના પ્રવાસીઓનો રેલવે પોલીસ ખ્યાલ રાખે છે.

સંઘવીએ આગળ કહ્યુ કે રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓની સુખાકારીમાં વધારો કરવો એ અમારું પ્રાથમિક કર્તવ્ય છે.

સુરત શહેર રેલવે પોલીસ લાઈન ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.દ્વારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નવનિર્મિત અત્યાધુનિક સુવિધાયુક્ત કક્ષા બી - ૪૦ આવાસોનું લોકોપર્ણ કરવામાં આવ્યું છે.

પોલીસની માળખાકીય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા તથા તેમની સુખાકારીમાં વધારો કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે ત્યારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજરત પોલીસ કર્મીઓ માટે ફરજ સ્થળ સમીપ આવાસોની ઉપલબ્ધતા તેમની કાર્યદક્ષતામાં વધારો કરશે.

હર્ષ સંઘવીએ કહ્યુ હતુ કે, માતાઓ નાના બાળકો સાથે રેલવેમાં મુસાફરી કરે છે અને કોઇક વાર ભીડભાડમાં બાળકો ગુમ થઇ જાય છે ત્યારે રેલવે પોલીસ તેમને શોધીને લાવે છે.

ગૃહ રાજ્ય મંત્રીએ આગળ કહ્યુ કે દિવાળીના તહેવારમાં રોડ પર પાથરણા નાંખીને માલસામાન વેચનારા લોકોનનું ધ્યાન રાખવા માટે દરેક પોલીસ સ્ટેશનના પી.આઇને સૂચના આપી દેવામાં આવી છે. ટ્રાફીકના નિયમોનું ધ્યાન રાખીને તેમને ધંધો કરવા દેવાશે. તેમણે લોકોને વિનંતી કરી હતી કે પાથરણા વાળા પાસે જ ખરીદી કરજો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.