ગૃહમંત્રી અમિત શાહે જણાવી દીધું નિવૃત્તિ પછી શું કરશે તેઓ

ભારતમાં એવું જોવા મળે છે કે લોકો વૃદ્ધાવસ્થા સુધી રાજકારણ કરતા રહે છે. બહુ ઓછા રાજકારણીઓ નિવૃત્તિ પછી કંઈક અલગ કરી શકે છે. જોકે, BJPના દિગ્ગજ નેતા અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે એક અલગ યોજના બનાવી છે. આજે તેમણે પોતાની ભવિષ્યની યોજના પણ જાહેર કરી. તેમણે કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે જ્યારે પણ હું નિવૃત્ત થઈશ, ત્યારે હું મારા બાકીના જીવન માટે કુદરતી ખેતી કરીશ. બહુ ઓછા લોકો જાણશે કે, શાહ હજુ પણ તેમની જમીન પર કુદરતી ખેતી કરે છે.

અમદાવાદમાં એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યું કે, નિવૃત્તિ પછી હું મારું જીવન વેદ, ઉપનિષદ વાંચવામાં અને કુદરતી ખેતી કરવામાં વિતાવીશ. તેમણે કહ્યું કે, આ કુદરતી ખેતી... એક પ્રકારનો વૈજ્ઞાનિક પ્રયોગ છે જે ઘણા પ્રકારના ફાયદા આપે છે.

Amit Shah
jagran.com

શાહે કહ્યું કે રાસાયણિક ખાતરવાળા ઘઉં ખાવાથી કેન્સર થાય છે. BP વધે છે. થાઇરોઇડની સમસ્યા થાય છે. તેને ખાનાર વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે ખાતર વિના ખોરાક ખાવો જરૂરી છે, જો આવું થાય તો તેનો અર્થ એ છે કે દવાઓની જરૂર નથી. શાહે આગળ કહ્યું કે, આનાથી ઉત્પાદન પણ વધે છે. તેમણે કહ્યું કે મેં મારા ખેતરમાં કુદરતી ખેતી અપનાવી છે, આજે મારા અનાજના ઉત્પાદનમાં લગભગ 1.5 ગણો વધારો થયો છે. જે લોકો કુદરતી ખેતી કરે છે, તેમના ખેતરમાં અળસિયા હોય છે. આનાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે ખેતરમાંથી પાણી પણ બહાર જતું નથી. લોકોએ જાણવું જોઈએ કે અળસિયા કોઈપણ ખાતરની જેમ જ કામ કરે છે. કુદરતી ખેતી માટે એક ગાય પૂરતી છે. તમે તેના છાણમાંથી તૈયાર કરેલા ખાતરથી 21 એકર જમીનમાં ખેતી કરી શકો છો. ભારત સરકારના સહકાર મંત્રાલયે કુદરતી ખેતીના અનાજ ખરીદવા માટે એક સહકારી સંસ્થાની રચના કરી છે. નિકાસ માટે પણ એક સહકારી સંસ્થાની રચના કરવામાં આવી છે. તેનું પરીક્ષણ કાર્ય 8-10 વર્ષમાં શરૂ થશે. અમૂલની તર્જ પર નફો આવવાનું શરૂ થશે.

Amit Shah
hindi.newsbytesapp.com

શાહે આજે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી માતાઓ, બહેનો અને અન્ય સહકારી કાર્યકરો સાથે 'સહકારી સંવાદ' યોજ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ એક કલાક ચાલ્યો. સહકારી ક્ષેત્રની મહિલાઓએ સફળતાની વાર્તાઓ કહી.

ઊંટના દૂધમાંથી કમાણી: ગુજરાતના કચ્છની રહેવાસી મીરલબેન, ઉંટડીના દૂધના વ્યવસાયમાં કામ કરે છે. તે કહે છે કે કુલ 360 પરિવારો તેમની સાથે જોડાયેલા છે. તેઓ આધુનિક રીતે દૂધ વેચે છે. આનાથી સારી આવક થાય છે. મિરાલબેને ઉંટડીના દૂધ પર સંશોધનની જરૂરિયાત જણાવી. આ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, તેમણે ત્રણ સંસ્થાઓને આ અંગે સંશોધન કરવા કહ્યું છે. કામ પણ શરૂ થઈ ગયું છે.

Amit Shah
livehindustan.com

મહિલા જૂથ 15 કરોડ રૂપિયા કમાય છે: મધ્યપ્રદેશના ધાર જિલ્લાની રુચિકા પરમારે તેમના સંગઠનની વાર્તા કહી. તેમણે કહ્યું કે 2508 મહિલાઓ તેમની સાથે જોડાયેલી છે. આ દ્વારા તેઓ ખાતર અને લોન વિતરણનું કામ કરે છે. આનાથી લગભગ 15 કરોડ રૂપિયા કમાય છે. રુચિકાએ જણાવ્યું કે, હાલમાં તેમની પાસે એક હેક્ટર જમીન છે અને તે તેમાં લગ્ન ગૃહ બનાવવા માંગે છે. આ અંગે અમિત શાહે કહ્યું કે, તમને જિલ્લા સહકારી બેંકમાંથી લોન મળી જશે. શાહે એમ પણ કહ્યું કે, હવે સહકાર દ્વારા ઘણું કામ થઈ શકે છે.

બચત કરીને અઢી કરોડ રૂપિયા ભેગા કર્યા: રાજસ્થાનની સીમાએ જણાવ્યું કે, તેમના જૂથની મહિલાઓએ બચત દ્વારા અઢી કરોડ રૂપિયા ભેગા કર્યા છે. હવે જૂથની મહિલાઓ આ રકમથી પોતાનો નાનો વ્યવસાય શરૂ કરે છે. પશુપાલન અને ખેતી માટે પણ લોન આપવામાં આવે છે.

About The Author

Top News

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.