વડોદરામાં કોંગ્રેસે સૌથી શિક્ષિત ઉમેદવાર ઉતાર્યા છે મેદાને

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ઘણા ઉમેદવારો ચર્ચામાં રહ્યા. પાર્ટીઓએ પાથરણા પાથરીને ગુજરાન ચલાવતી મહિલાઓને પણ ટિકિટ આપી છે તો પાર્ટીઓ હવે શિક્ષિત ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપી રહી છે. એવામાં વડોદરામાં કોંગ્રેસે P.hd હાંસલ કરી ચૂકેલા પ્રોફેસર નિકલુ પટેલને પ્રોફેસર બનાવીને ચૂંટણી રસપ્રદ બનાવી દીધી છે.  

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર-1 સૌથી વધુ ચર્ચિત બન્યો છે. કોંગ્રેસનો આ પ્રયાસ મતદારોમાં નવી છાપ ઊભી કરવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીનો દાવો છે કે શિક્ષિત નેતૃત્વ શહેરના વિકાસ માટે વધુ યોગ્ય સાબિત થશે. વોર્ડ નંબર-1માં કોંગ્રેસે Ph.D ધરાવતા અને મિકેનિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રના પ્રોફેસર નિકુલ પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

02

પ્રોફેસર તરીકે લાંબા સમયથી શિક્ષણક્ષેત્રમાં સેવાઓ આપતા નિકુલ પટેલ હવે જાહેર જીવનમાં પ્રવેશી રહ્યા છે. કોંગ્રેસે તેમને સૌથી વધુ શિક્ષિત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા છે. જે પાર્ટીની નવી રણનીતિનો ભાગ છે. તેમની ઉમેદવારીથી યુવા અને શિક્ષિત મતદારોમાં સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. પ્રોફેસર નિકુલ પટેલ માત્ર એકલા જ નહીં, પરંતુ કોંગ્રેસના 3 ભૂતપૂર્વ કોર્પોરેટર સાથે મળીને મજબૂત પેનલ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. આ સંયોજનમાં એક તરફ નવી ઊર્જા અને શિક્ષણ છે તો બીજી તરફ અનુભવી નેતૃત્વનો પણ સહારો છે.

SR અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર આ પેનલ મતદારો વચ્ચે સક્રિય પ્રચાર કરી રહી છે. તેમના પ્રચાર અભિયાન દરમિયાન વિસ્તારોમાં લોકોનો સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રોફેસર નિકુલ પટેલ અને તેમની ટીમને મતદારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોમાં બદલાવની આશા અને શિક્ષિત નેતૃત્વ પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે.

04

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વોર્ડ નંબર-1માં કોંગ્રેસની આખી પેનલનો ભવ્ય વિજય થશે. પ્રોફેસર નીકુલ પટેલનું માનવું છે કે શિક્ષણ અને પારદર્શિતાના આધાર પર તેઓ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ થશે. હવે જોવાનું એ રહેશે કે મતદારો આ વખતે કોને મત આપીને વિજય અપાવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2026 વાર- શનિવાર મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'
Copyright (c) Khabarchhe All Rights Reserved.