માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે

એડવાન્સ્ડ આર્થરાઇટિસ, ક્રોનિક ફૂટ રોટ, ગંભીર હલનચલનની સમસ્યાઓ અને ભારે આઘાતમાંથી સાજી થયા બાદ માધુરી કોલ્હાપુર પરત ફરી રહી છે, જ્યાં તે ત્રણ દાયકાથી વધુ સમયથી રહે છે. માધુરી,જે હાથીણને વનતારા દ્વારા બચાવ્યા બાદ વિશેષ તબીબી સારવાર માટે જામનગર સ્થિત વન્યજીવ પુનર્વસન અને સંરક્ષણ કેન્દ્ર વનતારા ખાતે લાવવામાં આવી હતી, તેણે એક વર્ષથી વધુ સમયની સારવાર અને પુનર્વસન પૂર્ણ કર્યું છે અને હવે તે મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત નંદાની મઠ પરત ફરવા માટે તૈયાર છે. 

જ્યારે માધુરી વનતારા ખાતે આવી હતી, ત્યારે તે એડવાન્સ્ડ આર્થરાઇટિસ,ક્રોનિક ફૂટ રોટ અને હલનચલન સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાતી હતી. વર્ષો સુધી મર્યાદિત હલનચલન અને લાંબા સમય સુધી કઠોર કોંક્રિટની સપાટી પર રહેવાને કારણે આ સમસ્યાઓ વિકસિત થઈ હતી. લાંબા સમય સુધી સાંકળોથી બાંધી રાખવામાં આવવાથી તેની કુદરતી હલનચલન વધુ મર્યાદિત થઈ હતી અને તેના સાંધાની જકડન તથા હલનચલન સંબંધિત સમસ્યાઓ વધુ ગંભીર બની હતી. તેની સ્થિતિ હોવા છતાં, તેને તહેવારો અને જાહેર સરઘસોમાં સતત ઉપયોગમાં લેવામાં આવતી હતી. તેમાં દોરડાથી બાંધેલી સ્થિતિમાં ગરમ ડામરના રસ્તાઓ પર લાંબા અંતર સુધી ચાલવા માટે મજબૂર કરવામાં આવવાનો પણ સમાવેશ થાય છે.

અનંત અંબાણીના માર્ગદર્શન હેઠળ વનતારા ખાતે માધુરીને બહુપક્ષીય નિષ્ણાતોની ટીમ દ્વારા વ્યાપકઅને વિશેષ સંભાળ આપવામાં આવી હતી. તેના શારીરિક સ્વાસ્થ્ય, હલનચલનની ક્ષમતા અને ભાવનાત્મક સુખાકારીને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વનતારાખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન માધુરીએ પશુચિકિત્સકો, સંભાળ રાખનારાઓ, પોષણ નિષ્ણાતો અને વર્તણૂક નિષ્ણાતોની બહુપક્ષીય ટીમના નેતૃત્વ હેઠળ સઘન પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થઈ હતી.તેની સારવારમાં હાઇડ્રોથેરાપી, લેસર થેરાપી, લક્ષિતપોષણ, વિશેષ પગની સંભાળ અને સતત દેખરેખનો સમાવેશ થતો હતો. તેની હલનચલનમાં સુધારો કરવો, તેની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનું સંચાલન કરવું અને તેના સમગ્ર સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવું એ સારવારનો મુખ્ય હેતુ હતો.
 
તેના શારીરિક સ્વાસ્થ્યમાં સુધારાની સાથે, માધુરીએ ભાવનાત્મક પુનર્વસનની એક મહત્વપૂર્ણ પ્રક્રિયાપણ પસાર કરી. વનતારાખાતે તેને સુરક્ષિત અને સમૃદ્ધ વાતાવરણમાં અન્ય હાથીઓ સાથેવાતચીત કરવાની અને તેમની સાથેસંબંધો વિકસાવવાની તક આપવામાં આવીહતી. વર્ષો સુધી મર્યાદિત હલનચલન અને કેદમાં રહ્યા બાદ ભાવનાત્મક સ્થિરતા અને સુરક્ષાની ભાવના ફરી પ્રાપ્ત કરવામાંઆ સામાજિક સાથએ મહત્વની ભૂમિકાભજવી હતી. તેની વાપસી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત હાઇ પાવર્ડ કમિટી(HPC) દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન બાદ થઈ રહીછે, જેમાં માધુરીના સુધારેલા સ્વાસ્થ્યની સમીક્ષા કરવામાં આવી હતી. આ મૂલ્યાંકન બાદ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી તેના સ્થળાંતર માટે જરૂરી મંજૂરીઓ અને ટ્રાન્ઝિટ પરમિટ આપવામાં આવ્યા છે. માધુરી વનતારાથી ખાસ રીતે સજ્જહાથી એમ્બ્યુલન્સમાં પોતાની મુસાફરી શરૂ કરશે.

સમગ્ર મુસાફરી દરમિયાન તેના આરામ, સુરક્ષા અને સતત તબીબી દેખરેખ સુનિશ્ચિત કરવા માટે વનતારાની પશુચિકિત્સા અને સંભાળ ટીમના સભ્યો તેની સાથે રહેશે.માધુરીની વાપસી માત્ર એક વર્ષથી વધુ સમયની તબીબી સારવાર અને સાજા થવાની યાત્રાના પૂર્ણ થવાનું પ્રતીક નથી. માધુરીનું કોલ્હાપુરપરત ફરવું વનતારાની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.માધુરીના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા મુજબ, અનંત અંબાણીએ ખાતરી કરી કે વનતારા ખાતે તેને વ્યાપક તબીબી સારવાર અને પુનર્વસન મળે. તેના સ્વાસ્થ્ય અને સુધારાની સંપૂર્ણ સમીક્ષા બાદ, માધુરીને હવે મુસાફરી માટે ફિટ જાહેર કરવામાં આવી છે અને તે કોલ્હાપુર પરત ફરવા માટે તૈયાર છે.

About The Author

Related Posts

Top News

માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે

એડવાન્સ્ડ આર્થરાઇટિસ, ક્રોનિક ફૂટ રોટ, ગંભીર હલનચલનની સમસ્યાઓ અને ભારે આઘાતમાંથી સાજી થયા બાદ માધુરી કોલ્હાપુર પરત ફરી રહી છે,...
Gujarat 
માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે

ક્રૂડ ઓઇલ ટ્રાન્સફરના ત્રણેય માર્ગો કરાયા બંધ... શું તેલ માટે દુનિયામાં ફરી અંધાધૂંધી ફેલાશે?

વૈશ્વિક ઉર્જા સંકટ સતત વધતું જ રહ્યું છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ પ્રભાવિત છે. અને હવે ઇરાકી...
Business 
ક્રૂડ ઓઇલ ટ્રાન્સફરના ત્રણેય માર્ગો કરાયા બંધ... શું તેલ માટે દુનિયામાં ફરી અંધાધૂંધી ફેલાશે?

ISROની ચેતવણી: 2026ના અંતમાં આવી શકે છે 3 વાવાઝોડા; 44 વર્ષમાં સૌથી શક્તિશાળી

ઓક્ટોબર અને ડિસેમ્બર 2026ની વચ્ચે ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ ઉષ્ણકટિબંધીય ચક્રવાત (tropical cyclones) સર્જાઈ શકે છે. ISROના...
Tech and Auto 
ISROની ચેતવણી: 2026ના અંતમાં આવી શકે છે 3 વાવાઝોડા; 44 વર્ષમાં સૌથી શક્તિશાળી

કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે માફી કેમ માંગી? જાણો આખો મામલો શું છે

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં લગભગ 30 આદિવાસી બાળકોના મોત થયા છે, જેના કારણે રાજ્યભરમાં ભારે ચર્ચા શરૂ...
National 
કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકે માફી કેમ માંગી? જાણો આખો મામલો શું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.