રામકથાના નામે 275 રૂપિયાની ખુરશી 350 માં વેચી નાંખી, નવસારીમાં મોરારીબાપુ...

નવસારીમાં જાણીતા સંત કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રોતાઓ બેસીને કથા સાંભળી શકે તેના માટે ખુરશીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કથાની પૂર્ણાહુતિના દિવસે આ ખુરશીનું વેચાણ કરવામાં આવ્યું અને ખુરશીની ખરીદીનો ઉત્સાહ જોઇને કોઇ ઠગ વેપારીએ બહારથી ખુરશીઓ મંગાવી અને મોંઘા ભાવે વેચી દીધી હતી. સવાલ એ નહોતો કે તેણે ભાવ વધારે લીધો, પરંતુ સવાલ એ હતો કે લોકો ખુરશી રામકથાની સાક્ષી હોવાની આસ્થામાં ખરીદી કરતા હતા, જ્યારે  બહારથી લાવીને વેચવામાં આવેલી ખુરશીઓ રામકથામાં રાખવામાં આવેલી નહોતી.

સંત કથાકાર મોરારી બાપુની રામકથાની પૂર્ણાહુતી થઇ ઘઇ છે અને મંડપમાં હજારોની સંખ્યામાં ખુરશીઓ રાખવામાં આવી હતી. હવે રામકથામાં જે લોકો ખુરશી પર બેઠા હતા તેમને એવી આસ્થા હતી કે જ્યારે આ ખુરશી રામકથાની સાક્ષી બની છે તો તેને ખરીદીને ઘરે લઇ જવી જોઇએ. મંડપ રામકથાની પૂર્ણાહુતિના દિવસે આ ખુરશીઓનું વેચાણ શરૂ કર્યું અને જોતજોતામાં ખુરશીઓ વેચાઇ ગઇ.

કોઇ ઠગ વેપારીએ આનો લાભ ઉઠાવ્યો અને બહારથી  નવી 5,000 ખુરશીઓ મંગાવી જેની કિંમત 275 રૂપિયા હતી તે 350માં લોકોને વેચી દીધી હતી. હવે લોકોને એ વાતની ખબર નહોતી કે આ ખુરશી બહારથી નવી મંગાવવામાં આવી છે. કથામાં આવેલા લોકોને એમ જ હતું કે આ એ જ ખુરશીઓ છે જે રામકથામાં હતી. સ્વાભાવિક રીતે ખુરશી સાથે આસ્થા જોડાયેલી હતી.

ઠગ વેપારી એ નવી 5,000 ખુરશીઓ લાવ્યો અને તે પણ વેચાઇ ગઇ એટલે લોભમાં આવીને બીજી 5,000 ખુરશીઓ મંગાવી તેમાં ભાંડો ફુટી ગયો. જ્યારે આ ઠગ વેપારી બીજી 5,000 ખુરશીઓ વેચવા આવ્યો તે પહેલા નવસારી ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ સુખડીયાને આ વિશે ફરિયાદ કરવામાં આવી હતી.

ભરતભાઇ સુખડીયા, પ્રમુખ, નવસારી ચેમ્બર ઓફ કોમર્સ

નવસારી ચેમ્બરના પ્રમુખ ભરતભાઇ સુખડીયાને જ્યારે જાણ થઇ તો તેઓ લુન્સી કુઇ ગ્રાઇન્ડ પર પહોંચ્યા હતા જ્યાં મોરારી બાપુની કથાનું આયોજન થયું હતું. સુખડીયાએ એ વેપારીની પુછપરછ કરતા ખબર પડી હતી કે  GST વગર જ બારોબાર તેણે ખુરશીઓ વેચી નાંખી હતી અને 275 રૂપિયાની ખુરશી તેણે 350માં વેચી હતી. સુખડીયાએ વધારે પુછપરછ કરી તો ઠગ વેપારી ગેંગે ફેંફેં થઇ ગયો હતો અને ત્યાંથી ભાગી છુટ્યો હતો.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.